<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-2533492869937373095</id><updated>2012-02-16T07:43:37.340-08:00</updated><title type='text'>Short Stories</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>29</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-6906748386028748282</id><published>2009-08-22T05:22:00.000-07:00</published><updated>2009-08-22T05:23:08.502-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;Friday, August 21, 2009&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ જતો. ક્યારેક તો એકાદ બે લીટીમાં જ – પણ એ થોડા જ શબ્દોમાં દેવશ્રી એનું હૈયું ઠાલવી દેતી. એ કાગળ વાંચીને રુચિરનો ચહેરો પુલકિત થઈ ઊઠતો. હસી ઊઠતો. દેવશ્રી અધીરી થઈ ઊઠતી કે રુચિર હવે કંઈક બોલશે, પણ રુચિર કંઈક બોલતો નહીં. દેવશ્રીના મનમાં પ્રશ્ન અટવાયા કરતો કે ‘રુચિર મને કહે, તું કેમ આટલો ખુશ થઈ ગયો ? મારા કાગળથી તારા હૈયામાં કેવી લાગણીઓ ઊઠે છે ?’ પણ દેવશ્રી મનમાં ઊઠતો એ પ્રશ્ન હોઠ બહાર કાઢી શકતી નહિ. વાતાવરણ જીવંત રાખવા એ એક હજાર ને એક નિરર્થક સવાલો પૂછતી ને રુચિર એ પ્રશ્નોના જવાબ આપતો. પણ દેવશ્રીના હૃદયને બેચેન કરી મૂકતો પેલો સવાલ તો બાકી જ રહી જતો.&lt;/p&gt; &lt;p&gt;રુચિર દેવશ્રી સાથે દુનિયાભરની વાતો કરતો. નાનપણનાં તોફાનની, મિત્રો સાથે હતુતુ અને નાગોળચું રમતાં કેટલી વાર પડ્યો હતો ને હાથપગ છોલાયા હતા. સંતાકૂકડી રમતાં ભોંયરામાં જતાં એ કેવો ડરતો હતો ને ખો રમે ત્યારે દાવ આવે તો એ કેવો ગભરાઈ ઊઠતો, લખોટી રમવાની કુનેહ કુશલતા કદી સધાઈ નહિ ને કાયમ હારી જતો, બધી લખોટીઓ ગુમાવવાથી સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એ હક્કાબક્કા થઈ જતો. આમ બાળપણની વાતો એ સંપૂર્ણ વિગતે દેવશ્રીને કરતો, ત્યારે દેવશ્રી એકીટશે એના મોં-આંખો સામે જોતી. રુચિરની આંખોમાં બાળકોની દુનિયા દેખાતી પણ દેવશ્રીને એના સવાલનો જવાબ ના મળતો.&lt;br /&gt;&lt;span id="more-445"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;ચિરપુરાતન આ એક સવાલ સદીઓથી એક પ્રેમીએ બીજા પ્રેમીને પૂછ્યો છે, ‘તમને મારી જરૂર છે ને ! તું મારા વગર જીવી નહિ શકે ને ! મારા વગર તારી જિંદગી અધૂરી રહી જશે ને ! બોલ એક વાર બોલ, મને એક વાર કહે તને આખી દુનિયા વગર ચાલશે પણ મારા વગર નહિ ચાલે !’ દેવશ્રીના હૃદયમાં આ સવાલ આંધીની જેમ ઊઠતો અને એના સમગ્ર અસ્તિત્વનો ભરડો લઈ લેતો. રુચિરને હચમચાવીને આ પૂછવા ઉત્સુક થઈ ઊઠતી કે, ‘બોલ રુચિર બોલ. આ ક્ષણે, આ પળે જ મને જવાબ આપ. આ ક્ષણ વીતી જાય પછી કોને ખબર શું થાય ?’ પણ દેવશ્રી પૂછી શકતી નહિ. એ અત્યંત સ્વમાની હતી. એનામાં એ આભિજાત્ય અને લજ્જાનું એવું આવરણ હતું કે એ હટાવીને રાતદિવસ એને સતાવતો પ્રશ્ન એ ખુલ્લંખુલ્લા પૂછી શકતી નહિ. રુચિર એને કેટલીય સાહિત્યકૃતિઓ અને કલાકૃતિઓની વાત કરતો. દેવશ્રી એને ચૂપચાપ સાંભળ્યા કરતી. એની આંખો રુચિરના ચહેરા પર સ્થિર થતી. પોતાની આંખો દ્વારા જાણે એ કહેવા માગતી હતી, રુચિર એક પુસ્તક તારી સામે પડ્યું છે, એ જીવંત છે, ખુલ્લું છે, એનાં પાનાં હવામાં ઊડે છે, તું હાથ લંબાવ, તારા હાથમાં આ પુસ્તક લે, એ વાંચ, એમાં તારા હસ્તાક્ષર કર. પણ રુચિર દેવશ્રીની આંખની ભાષા સમજી શકતો નથી. અને દેવશ્રી સીધેસીધું, મોંથી પૂછવામાં માનતી નથી. કહેવું ગમતું નથી.&lt;/p&gt; &lt;p&gt;છતાં એક વાર એ એક સુગંધીદાર ગુલાબી કાગળ પર લીલા રંગની શાહીથી લખે છે, ‘રુચિર, તારી આંખમાં એક ચમક છે. એનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?’ રુચિર આ વાંચીને હસે છે પણ દેવશ્રી જે શબ્દો સાંભળવા આતુર છે એ બોલતો નથી. એક દિવસ દેવશ્રી એને યલો રંગનું કાર્ડ આપે છે. એમાં લખ્યું છે, ‘તારી પ્રસન્નતાથી મને સંગીત કેમ સંભળાય છે ?’ રુચિરે આ વાંચ્યું ને હસ્યો પણ એ હસવામાં દેવશ્રી કોઈ અર્થ ના તારવી શકી. એક રમ્ય સાંજે નજીક બેઠેલા રુચિરને દેવશ્રીએ પૂછ્યું, ‘રુચિર, મને લાગ્યું કે હું નજીક બેઠી ત્યારે મારા સ્પર્શથી તારામાં કોઈ ઝણઝણાટી થઈ હતી. બોલ એ સાચું કે ભ્રમ ?!’ દેવશ્રી આ પ્રશ્ન પૂછીને ક્યાંય સુધી રુચિર સામે તાકી રહી પણ રુચિરમાં ભાવની કોઈ ઉત્કટતા ના આવી, એના મોંમાંથી કોઈ શબ્દો ના નીકળ્યા. એણે હાથ લંબાવીને દેવશ્રીના હાથ પકડીને પ્રેમનો કોઈ એકરાર ના કર્યો. લગ્નનો પ્રસ્તાવ ના મૂક્યો.&lt;/p&gt; &lt;p&gt;સમય વીતતો જાય છે. સોનાનાં ઘડી પળ કાળનાં ગર્ભમાં ઓગળતાં જાય છે. પૂર્ણ યૌવનના ઉંબરે આવીને બેઉ ઊભાં. હવે તો કોઈ નિર્ણય લેવો આવશ્યક છે. દેવશ્રીના ઘરમાં વિવાહની વાત ચર્ચાવા લાગી. દેવશ્રીને પોતાની વાત કહેવી છે, પણ કઈ રીતે કહે ? એના અને રુચિર વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી થઈ. મા-બાપને એ શું કહે ? દેવશ્રી અત્યંત સંવેદનશીલ, ઋજુ અને નાજુક હૃદયની હતી. એની અપેક્ષાઓ, અરમાનો ઘણા ઊંચાં હતાં. એ ઈચ્છતી હતી જે રીતે કળી સ્વયં પુષ્પરૂપે ખીલે છે, એ જ રીતે રુચિરના હૃદયમાં દેવશ્રી માટે પોકાર પડવો જોઈએ. એના અસ્તિત્વનું રૂંવેરૂંવું દેવશ્રી દેવશ્રી પોકારી ઊઠે અને એ દેવશ્રી પાસે દોડી આવે ને કહે, ‘ચાલ દેવશ્રી અત્યારે, હાલ આ જ પળે આપણે એક થઈ જઈએ…’ પણ દેવશ્રીના હૈયાનું ગાન જ જાણે રુચિરને સંભળાયું નહિ, અથવા તો સંભળાયું પણ કોઈ પ્રતિધ્વનિ ઊઠ્યો નહિ. પ્રેમનો પ્રબળ સાદ ઊઠ્યો જ નહિ.&lt;/p&gt; &lt;p&gt;હવે ? હવે શું થાય. દેવશ્રી તો પ્રતીક્ષામાં બેઠી હતી, પણ એનાં મા-બાપ તો વ્યાવહારીક સંસારમાં વસનારાં હતાં. એ ક્યાં સુધી રાહ જુએ ? એમને તો દીકરીની વાત સમજાતી જ ન હતી. એ તાડૂકે છે, ‘આવો તો કેવો તારો પ્રેમ ? છોકરો કેમ કંઈ બોલતો નથી ? તું સીધેસીધું જ પૂછી જો. લગ્નની માગણી કર.’ આ સાંભળીને એનો ભાઈ જતીન બોલ્યો, ‘ના, ના, બહેન. તું માંગણ નથી. પ્રેમની ભીખ શું માગવાની ? માંગ્યો મળે તો એ પ્રેમ જ ના કહેવાય. એણે પ્રેમ ઓળખવો જોઈએ. તારા વગર કહે એણે જ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. છોકરો જ માગણી કરે…’ દેવશ્રી મા-બાપ અને ભાઈની વાત સાંભળે છે, પણ કંઈ બોલતી નથી. ભાભી એની સખી જેવી હતી એ હેતથી પૂછે છે, ‘તમારી વચ્ચે ખરેખર પ્રેમ છે કે પછી ભ્રમણા જ છે ? તમારી કહાનીનો આરંભ ક્યારે થયો, ક્યાં થયો, વાત તો કરો !’ પણ દેવશ્રી શું વાત કરે ? એના હૈયામાં તુમુલ મંથન ચાલી રહ્યું છે, શું કરું, હું શું કરું ? રાતોની રાતો એ જાગતી બેસી રહે છે. હાથમાં પેન લે છે પણ રુચિરને કાગળ લખી શકતી નથી. થાય છે, શબ્દો તો બધા નિરર્થક નીવડ્યા. અંતરમાં રુચિર રુચિર નામ પડઘાય છે ને રુદનના ઓઘ ઊમટે છે. હાથમાંથી પેન સરી પડે છે.&lt;/p&gt; &lt;p&gt;દેવશ્રીની બહેનપણી રાજુલાએ દેવશ્રીની સ્થિતિ જાણી ને એ રુચિર પાસે દોડી. કંઈ પણ પ્રસ્તાવના કર્યા વિના ગોળી છોડતી હોય એમ એ બોલી, ‘રુચિર, નિર્ણય કર.’&lt;br /&gt;‘નિર્ણય, શાનો નિર્ણય ?’ રુચિર ફફડી ઊઠ્યો.&lt;br /&gt;‘સેંકડો વખત તું અને દેવશ્રી મળ્યાં છો. કલાકો વાતો કરી છે. શું કામ, શું કામ ? એને આવી રીતે અધવચ્ચે છોડી દેવા ?’&lt;br /&gt;‘તો હું શું કરું ?’ રુચિરે બાઘાની જેમ પૂછ્યું. આ સાંભળ્યું ને રાજુલાનું મગજ તપી ગયું, ‘ઓ ભગવાન, આ માણસને શું કહેવું ? રાજકુંવર જેવા બત્રીસલક્ષણા કંઈ કેટલાય છોકરાઓ પ્રાણ પાથરતા હતા એ બધાને મૂકીને દેવશ્રીએ આવા ઊણા, અધૂરા, ઓછા છોકરાની સાથે કેમ હૃદય જોડ્યું ? આમાં શું જોઈને વારી ગઈ ? આ એના નસીબની કરુણતા જ ને ! કમનસીબી.’ પોતાના ગુસ્સા પર માંડ માંડ કાબૂ રાખીને રાજુલાએ કઠોરતાથી પૂછ્યું :&lt;br /&gt;‘રુચિર, દેવશ્રી તને રોજ કાગળ લખતી હતી કેમ ? બીજા કોઈને નહિ ને તને રોજ મળતી હતી, તને જોઈને નાચી ઊઠતી હતી કારણ કે એને તારા માટે પ્રેમ હતો. એટલું તો તેને સમજાય છે ને ?’&lt;br /&gt;‘હા’ રુચિર શાંતિથી બોલ્યો.&lt;br /&gt;‘તો આવા ઉત્કટ પ્રેમની પરિણીતિ શું હોય ? લગ્ન. તું દેવશ્રીને ચાહતો નથી ? એની સાથે લગ્ન કરવાની ઈચ્છા તને નથી ?’ રાજુલાએ ચોખવટથી પૂછ્યું.&lt;br /&gt;‘દેવશ્રી લગ્ન કરવા ઈચ્છે છે ?’ સામાન્ય સવાલ પૂછતો હોય એમ રુચિરે પૂછ્યું. રાજુલા ગુસ્સાથી બોલી, ‘કોઈ અબુધ, અબુઝ માનવી પણ આ સમજી શકે, રુચિર પ્રેમ કંઈ વિચારવાની કે સમજવાની જ વાત નથી. એ તો અનુભવવાની વાત છે, ફીલ કરવાની વાત છે. તારું હૈયું શું ઈચ્છે છે ? તું લગ્ન નથી ઈચ્છતો ? પ્રેમીઓની ઈચ્છા શું હોય ચિરમિલન. લગ્ન.’&lt;br /&gt;‘જો દેવશ્રીની ઈચ્છા હશે, માગણી હશે તો હું લગ્ન કરીશ.’ ઠંડા અવાજે રુચિરે પૂછ્યું.&lt;/p&gt; &lt;p&gt;રાજુલાના મોંએ દેવશ્રીએ સાંભળ્યું કે રુચિરે કહ્યું છે, ‘જો દેવશ્રીની ઈચ્છા હશે તો હું લગ્ન કરીશ.’ ને દેવશ્રીએ માથું કૂટ્યું, ‘ઓરે મને તો મારા પ્રેમમાં પારાવાર શ્રદ્ધા હતી. મને ભરોસો હતો કે રુચિર વગર કહે સમજશે. મને તો એ ઘડીની ઝંખના હતી કે રુચિર પ્રેમમાં પાગલ બનીને દોડી આવશે, કહેશે ચાલ દેવશ્રી, આપણે લગ્ન કરી લઈએ.’ પણ રુચિર તો મારા જેવી પ્રેમની ઉત્કટતા ને તીવ્રતા અનુભવતો જ નથી. એ તો મારા ખાતર, મારી જો ઈચ્છા હોય તો દયા કરતો હોય એમ મારી સાથે લગ્ન કરશે. દેવશ્રીનો અહંકાર ઘવાયો. એ બોલી ઊઠી, ‘રહેવા દો નથી કરવાં મારે લગ્ન’ એનું મન મરી ગયું.&lt;/p&gt; &lt;p&gt;દેવશ્રીએ ઘરમાં કહી દીધું પોતે લગ્ન નહિ કરે. એના ઈન્કારમાં એટલી મક્કમતા હતી કે એના લગ્નની વાત પર પડદો પડ્યો. પાંચ-છ મહિના પસાર થયા ને રુચિર દેવશ્રીના દ્વારે આવ્યો,&lt;br /&gt;‘દેવશ્રી, ચાલ લગ્ન કરી લઈએ.’&lt;br /&gt;‘રુચિર, એ ઘડી પળ તો ક્યારનાં વીતી ગયાં.’ નિસાસો નાંખતા દેવશ્રીએ કહ્યું.&lt;br /&gt;‘તો શું હવે તું મને પ્રેમ નથી કરતી ? તારો પ્રેમ મરી ગયો ? તારો પ્રેમ એવો ઝાકળબિંદુ જેવો હતો ?’&lt;br /&gt;‘તને શું જવાબ આપું ? રુચિર, પ્રેમ કદી મરતો નથી. હું રુચિરને જ પ્રેમ કરું છું. સ્વપ્નમાં કે જાગ્રત અવસ્થામાં રુચિર જ મારી સાથે હોય છે. એના વિના બીજા કોઈ પુરુષનો સાથ મને ખપે નહિ.’&lt;br /&gt;‘તો પછી લગ્નની ના કેમ કહે છે ?’&lt;br /&gt;‘રુચિર, મારો રુચિર આ મારી નજર આગળ ઊભો છે એ દેહધારી રુચિર નથી. મારો રુચિર તો મારા મનનો મોરલો છે. જે આ સ્થૂળ આંખે દેખાય નહિ, હાથથી અડકાય નહિ. એ તો મારા હૃદયમનનો સાથીદાર છે. મારી સાથે એકાકાર થઈ ગયો છે.’&lt;/p&gt; &lt;p&gt;રુચિર જોઈ રહ્યો. આ વિચિત્ર છોકરીને શું કહેવું ? એ મારી પાછળ પાગલ હતી, તેથી તો બીજા કોઈની સાથે લગ્ન કર્યા નથી. હું સામેથી લગ્નનું કહું છું તો ના પાડે છે. એનાં મા-બાપને વાંધો નથી. ક્યાંય અંતરાય નથી. અવરોધ નથી છતાં મારો પ્રસ્તાવ સ્વીકારતી નથી. એ આજીજીભર્યા સૂરે બોલ્યો : ‘દેવશ્રી, તારા વગર હું નહિ રહી શકું’&lt;br /&gt;‘પણ તારા વગર રહેવાનો મેં નિર્ણય લઈ લીધો છે. હવે ભૂતકાળની યાદ ના દેવડાવ, એ સ્થૂળ સહવાસ તો ભુલાઈ ગયો.’ દેવશ્રી બોલી.&lt;br /&gt;‘જો ભૂતકાળ યાદ ના કરવો હોય તો તેં અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો હતો એ ઘડીય વીતી ગઈ છે. એ ભૂતકાળની વાત થઈ. તો એ નિર્ણયને શું કામ વળગી રહે છે. દરેક ક્ષણના નવા નિર્ણય હોય. દેવશ્રી, આ ઘડીએ નવો નિર્ણય લે. એક થવાનો સંકલ્પ કર.’ આર્તભર્યા કંઠે રુચિર બોલ્યો.&lt;br /&gt;‘રુચિર, ભૂતકાળ વીતી જાય છે પણ એની અસર રહી જાય છે. એના પાયા પર જ વર્તમાન રચાય છે. રુચિર, વિચાર કર, આપણે બે આટલાં પાસે હોવાં છતાં પહેલાંની જેમ કેમ નજીક બેસીને હાથમાં હાથ પકડીને વાત નથી કરતાં ? એનું કારણ શું ? વચ્ચે જે ઘટના ઘટી એની અસર વર્તમાન પર છે જ.’&lt;br /&gt;આ સાંભળીને રુચિર અકળાઈને બોલ્યો : ‘આ તો જડતા કહેવાય. દેવશ્રી, તું હાથે કરીને તારા હૃદયનાં બારણાં ભીડી દે છે. સુખ ઉંબરે આવ્યું છે ને તું અંદર નથી પ્રવેશવા દેતી. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. ભૂલી જા એ તારા ગાંડા નિર્ણયને.’&lt;br /&gt;‘રુચિર, મારા હૃદય પર બુદ્ધિની ગણતરી કે તોલમાપ લાગુ નથી પડતાં. એના રાહ જુદા છે. એ એની રીતે જ વર્તે છે. તારી સાથેના લગ્નની ઈચ્છા મેં ત્યજી દીધી. હવે એ વાત સમાપ્ત થઈ ગઈ. હવે ફરી ત્યાં અંકુર ફૂટે જ નહિ. હવે લગ્નની વાત જ નહિ. તારી સાથેય નહિ કે બીજા કોઈની સાથેય નહિ. રુચિર, મારા જીવનમાં લગ્ન નથી, એ વાત મેં સ્વીકારી લીધી છે.’&lt;/p&gt; &lt;p&gt;રુચિરે નિસાસો નાખ્યો, ‘ઓ રે, આ દેવશ્રીના દિલને કોણ મનાવે ? એની પર કોની સત્તા ચાલે ? એને એકલતાનો ડર નથી, ભવિષ્યનો ભય નથી. એ ગભરુ કે નિર્બળ નથી. એનું તેજ જરાય ઝાંખું નથી પડ્યું. એવી જ મસ્તી એના વ્યક્તિત્વમાંથી છલકાય છે, માત્ર મારી સાથેના લગ્નની બાદબાકી થઈ ગઈ. હવે ત્યાં કોઈ સરવાળો ના થાય. મારે જવું જ રહ્યું.’ લાચાર બનીને આશાહીન રુચિર લથડતા પગે દીન મુખમુદ્રા સાથે પાછો વળી ગયો.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-6906748386028748282?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/6906748386028748282/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/friday-august-21-2009.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/6906748386028748282'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/6906748386028748282'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/friday-august-21-2009.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-3986766529507623335</id><published>2009-08-13T18:28:00.001-07:00</published><updated>2009-08-13T18:28:46.961-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;એકલતાનું ખમીર – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;‘એટલે શું અમારે અમારાં સુખસગવડનું બલિદાન આપવાનું ? અમારી ઊંચા પગારની નોકરીને લાત મારવાની ? પપ્પા, આવી મૂર્ખામી કરવાની સલાહ તો કોઈ દુશ્મનેય ના આપે.’ કિન્નરે સાવ લાગણીહીન સ્વરમાં દિનેશભાઈને કહ્યું. દિનેશભાઈ તો આભા બનીને સાંભળી જ રહ્યા. ચંદ્રિકાબહેનને અકસ્માત થયો હતો, હાથે પગે અને પાંસળીઓમાં ફ્રેકચર થયાં હતાં, નાનાંમોટાં કંઈ કેટલાંય ઑપરેશન કરાવવાં પડશે. ચંદ્રિકાબહેન બચી ગયાં એ જ ઈશ્વરની મહેરબાની એવી પરિસ્થિતિ હતી. પણ દવાખાનામાં કેટલો વખત રહેવું પડશે એ નક્કી ન હતું. &lt;span id="more-105"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;ત્રણે દીકરાઓ કિન્નર, અક્ષય અને અશોક પરદેશ સ્થાયી થયા હતા. દિનેશભાઈએ ગભરાઈને કોલ કર્યો ને ત્રણે દીકરાઓ હાજર થઈ ગયા હતા. પણ ત્રણે એકલા જ આવ્યા હતા. કોઈ પોતાની પત્નીને સાથે લાવ્યું ન હતું. ત્રણેની પત્ની જોબ કરતી હતી. આવવાની અનુકુળતા ન હતી.&lt;/p&gt; &lt;p&gt;દિનેશભાઈને મનમાં હતું, ત્રણ ત્રણ દીકરાઓ અને એમની વહુઓ છે. મારે તો કોઈ ચિંતા નહિ રહે. હૉસ્પિટલમાં રહેવું, આંટાફેરા, ડૉકટરને મળવું, દવા લાવવી બધું છોકરાઓ ઉપાડી લેશે. પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા. હાજરી પુરાવવા આવ્યા હતા. એમણે તો આવ્યા એ ઘડીએથી જ જવાની વાત ઉચ્ચારી. માની પાસે બેસવાની કોઈને પડી ન હતી. માની ચાકરીની ચિંતા ન હતી.&lt;/p&gt; &lt;p&gt;દિનેશભાઈએ કહ્યું, ‘તમે ત્રણે એક સાથે અહીં રહો એવું નથી કહેતો પણ વારાફરતી એક એક જણ રહો. તમારી મમ્મીની પથારી લાંબી ચાલશે માટે આપણે બધુ ગોઠવવું તો પડશે.’&lt;/p&gt; &lt;p&gt;‘પપ્પા, તમે તો અમારા પપ્પા છો કે વેરી ? કેવી નાદાન જેવી વાત કરો છો ? તમે અમારું હિત તો વિચારતા નથી.’ અક્ષય બોલ્યો.&lt;/p&gt; &lt;p&gt;‘બેટાઓ આજ સુધી તમારું જ હિત જોયું છે, તમને ભણાવ્યા, ગણાવ્યા….’ દિનેશભાઈએ લાચાર સૂરમાં કહ્યું.&lt;/p&gt; &lt;p&gt;‘પપ્પા, ભણાવ્યા ગણાવ્યા એમાં તમે નવાઈ નથી કરી. બધાં માબાપ પોતાના સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઈચ્છતા હો તો બોલો કિંમત આપી દઈએ.’ ત્રીજો દીકરો અશોક બોલ્યો.&lt;/p&gt; &lt;p&gt;દીકરાઓના મોં એ આવી વાત સાંભળીને દિનેશભાઈનું ચેતન જ હણાઈ ગયું. ઓરે, આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેઓ રડી પડયા. બોલ્યા, ‘દીકરાઓ, તમારી મમ્મી તરફ તમારી કોઈ ફરજ નહીં ?’&lt;/p&gt; &lt;p&gt;‘ફરજની કોણ ના પાડે છે ? એટલે તો કહીએ છીએ પૈસા બોલો. અમે ભાગે પડતા આપી દઈએ. બાકી અમારી જિંદગીને પૂર્ણવિરામ મૂકીને અહીં રોકાઈ ન શકીએ. કોઈ માબાપ પોતાના સંતાનો પાસેથી આવો ભોગ ન માગે. પપ્પા, મમ્મીની સારવાર તમે તમારી રીતે કરો ને પૈસાની ચિંતા ન કરશો. તમે નિવૃત છો. તમે સમય આપી શકો.’&lt;/p&gt; &lt;p&gt;દિનેશભાઈ સમસમી ગયા. ભરપૂર પ્રેમ આપીને જે દીકરાઓને ઉછેર્યા હતા એમણે આવો પડઘો પાડયો ?&lt;/p&gt; &lt;p&gt;આજ સુધી અમે આવી ભ્રમણામાં જીવ્યાં ? મારો પગાર ટૂંકો હતો પણ છોકરાઓ પાછળ ખરચ કરવા જેવો હોય ત્યાં કર્યો જ હતો. અમારા મોજ શોખ બધા વિસારે પાડયા હતા. બાર બાર મહિના થઈ જાય તોય ચંદ્રિકા એના માટે એક સાડલો લેતી નહીં, આખા જીવન દરમ્યાન એક ઘરેણું મેં એને કરાવી આપ્યું નથી, ગાંધીજીના જેવી સાદાઈથી અમે જીવ્યા માત્ર છોકરાઓ ના વિકાસ ખાતર ! છોકરાઓ પાસેથી અમે આજ પહેલાં કશું માગ્યું નથી.&lt;/p&gt; &lt;p&gt;ચંદ્રિકાને આવો અકસ્માત ન થયો હોત તો છોકરાઓને અંહી રોકાઈ જાઓ એમ કહેત જ નહીં. આટલાં વરસો થઈ ગયાં, છોકરાઓ જયારે આવ્યા ત્યારે આવો કહ્યું છે, ગયા ત્યારે આવજો કહ્યું છે. કોઈ દિવસ અમારી ઈચ્છા પ્રગટ કરી કોઈ સૂચન નથી કર્યું. આગ્રહ નથી કર્યો. એમની આડે કયાંય આવ્યા નથી. કદી અધિકાર નથી કર્યો.&lt;/p&gt; &lt;p&gt;છોકરાઓને આ બધું કેમ નથી સમજાતું ? અમે બીજાં સામાન્ય માબાપ જેવા સ્વાર્થી નથી, ગણતરી બાજ નથી, છોકરાઓ પર આધિપત્ય જમાવવા નથી માગતાં. અમારી કોઈ જવાબદારી એમના પર નાખવા પ્રયત્ન નથી કર્યો. અમારી હોંશ, લાલસા, તૃષ્ણા પર અંકુશ રાખ્યો છે.&lt;/p&gt; &lt;p&gt;પણ સંજોગો એવા આવ્યા કે મારે એમને સહાય માટે કહેવું પડયું અને તેઓ ત્રણ જણ છે, થોડો થોડો સમય વહેંચી કાઢવાની યોજના કરે તો ! આટલો ભોગ આપવાય દીકરાઓ તૈયાર નથી. આટલોય મા માટે પ્રેમ નથી ? એ ન રહી શકે તો એમની પત્ની વારાફરતી રહે.&lt;/p&gt; &lt;p&gt;ચંદ્રિકાએ છોકરાઓને પોતાનાથી જરાય અલગ નથી કર્યા. એમની નાનામાં નાની માંગણીને સંતોષી છે. નાની ખુશી માટેય કેટલી મહેનત કરી છે.&lt;/p&gt; &lt;p&gt;છોકરાઓ પહેલે નંબરે પાસ થતા તો અમે કેટલું હરખાતાં. એ નાટકમાં ઊતરતા ને સ્ટેજ ગજાવતા તો અમારી છાતી ગજ ગજ ફૂલતી. રમતગમતમાં ઈનામો જીતતા તો અમે ફૂલ્યાં ન સમાતાં.&lt;/p&gt; &lt;p&gt;દીકરાઓ માટે અમે કેટલું ગૌરવ લેતાં હતાં. દીકરાઓ અમારા પ્રાણ હતા. આવા તેજસ્વી દીકરાઓ આપવા માટે અમે પ્રભુનો કેટલો આભાર માનતાં હતાં. એ દીકરાઓને આજે અમારી ચિંતા નથી. જરાય ચિંતા નથી.&lt;/p&gt; &lt;p&gt;એમની વહાલસોઈ મા પથારીમાં પડી છે. આટલી વેદના, આટલી પીડા, આટલું કષ્ટ પામી રહી છે ત્યારે એને એકલી મૂકીને પૈસા ગણવા જઈ રહ્યા છે.&lt;/p&gt; &lt;p&gt;દીકરાઓ તો કાલે પરણ્યા એ એમનો સંસાર થયો પણ એ પહેલાં એમના નાનપણના ખેલકૂદના દિવસમાં, અભ્યાસકાળમાં કોનો સાથ એમને હતો ? પરીક્ષા હોય ત્યારે રાતોની રાતો એમની સાથે જાગતું કોણ બેસી રહેતું ? એ ચિત્રો કરતા ત્યારે એમના રંગ પૂરતા જોવા ને દીકરા આ બરાબર નથી જામતું, હા હવે વંડરફૂલ લાગે છે એમ કહી કહીને એમનો પાનો કોણ ચડાવતું હતું ? એમની સાથે કવિતાઓ ને શ્લોકો ગોખવા કોણ બેસતું ? દીકરાઓને પળેપળનો સાથે જે માબાપે આપ્યો છે, એ માબાપ સાથે માત્ર પૈસાનો સંબંધ ? કિંમત ચૂકવવાની વાત ? જે માબાપ વડીલ તરીકે નહિ પણ મિત્ર તરીકે વર્ત્યાં એ માબાપ આજે પારકા થઈ ગયા ? માબાપની જરૂર નથી એટલે ? દીકરાઓના હ્રદય આવાં લાગણીશૂન્ય કેમ ?&lt;/p&gt; &lt;p&gt;અક્ષય ઓસ્ટ્રેલિયા વસ્યો, કિન્નર સિંગાપોર ને અશોક અમેરિકા જઈ વસ્યો. દેશમાં અમે બે જણ એકલાં રહ્યાં તો ય કદી ફરિયાદ નથી કરી. એમના આનંદના સમાચાર જાણીને અમે ખુશ થતાં હતાં.&lt;/p&gt; &lt;p&gt;પણ આજે ચંદ્રિકા પથારીમાં ને હું એકલો પડી ગયો છું. ત્યારે દીકરાઓ અમારો ટેકો બનવાને બદલે કેટલી આસાનીથી ખસી જાય છે. હું ઘરડો છું, દોડાદોડ થતી નથી. છતે દીકરે પારકાના ઓશિયાળા.&lt;/p&gt; &lt;p&gt;આવા વિચારો કરી કરીને દિનેશભાઈ કકળવા માંડયા. લાંબા દીર્ઘજીવનમાં દિનેશભાઈ અને ચંદ્રિકાબહેન વચ્ચે એટલું ઐક્ય સધાયું હતું કે મનમાં ઊઠતી વાત એકે એક તરંગ, કલ્પના, ચિંતા એકબીજાને કહેતાં જયારે આજે તો ચંદ્રિકાબહેન પથારીમાં છે. એમને આવી આઘાતજનક વાત કહેવાય નહીં. દિનેશભાઈના હૈયામાં આ વાત ઘૂંટાતી રહી, હૈયાને વલોવતી રહી, વહેરતી રહી.&lt;/p&gt; &lt;p&gt;ચાર દિવસમાં દીકરાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગયા. એ પછી આઠ દિવસે દિનેશભાઈને હાર્ટએટેક આવ્યો ને મૃત્યુ પામ્યા. સમાચાર સાંભળીને ત્રણે દિકરાઓ વહુઓ સાથે દોડાદોડ આવી પહોંચ્યા. દીકરાઓ સફેદ ઝભ્ભો ને સફેદ લેંઘા, વહુઓ સફેદ કપડાં પહેરી ગંભીર મોં લઈને બેઠાં છે. નથી બોલતા નથી ચાલતા. બોલે છે તોય ખૂબ ધીમા સ્વરે, ખપપુરતું ના છૂટકે. જાણે કે પિતાના મૃત્યુના શોકમાં દટાઈ ગયાં છે.&lt;/p&gt; &lt;p&gt;પણ ખરેખર શું એમને બાપ ગયાનું દુ:ખ હતું ? ના. આ તો એક દેખાવ હતો. સમાજને બતાવવાનું નાટક હતું. સમાજને પ્રભાવિત કરીને સર્ટિફિકેટ લેવાનું.&lt;/p&gt; &lt;p&gt;દસ દિવસ થયા એટલે દીકરાઓ જવા તૈયાર થયા. ત્રણેએ માને કહ્યું, ‘હિંમત રાખજે. તારી તબિયત સાચવજે. અમે અવારનવાર કોલ કરતા રહીશું.’&lt;/p&gt; &lt;p&gt;ચંદ્રિકાબહેને માથું ધુણાવીને હા કહી. એમને દીકરાઓ પરથી સાવ મન ઊઠી ગયું હતું. આવા નગુણા દીકરાઓનો એમને જરાય મોહ નહોતો રહ્યો. તેઓ જાય એનો અફસોસ ન હતો. તેઓ દીકરાને એમનો આધાર નહોતા માનતા.&lt;/p&gt; &lt;p&gt;એમનું મન મક્કમ થઈ ગયું હતું. સ્વાભાવિક નિર્બળતા, દૂર્બળતા અદ્રશ્ય થઈ ગઈ હતી. એમણે નક્કી કર્યું હું જીવીશ, શાનથી જીવીશ. આ ઘર વેચીને નાનકડી જગ્યામાં રહેવા જઈશ પણ પૈસા ખરચીને મારી બરાબર દવા કરાવીશ. બાઈ રાખીને રસોડું ઘર એને સોંપી દઈશ પણ ઑપરેશન કરાવીને ફરી એકવાર ચાલતી થઈશ.&lt;/p&gt; &lt;p&gt;દીકરાઓ પણ જાણશે કે હું એમની પર આધારિત નથી. એમની તરફ મેં મારી ફરજ બજાવી દીધી. હવે એ જંજાળ દૂર થઈ છે. તો દૂર જ રહેવા દઈશ. હવે મારું નવું જીવન શરૂ થશે. હું મારું જીવન કે મોત બગાડીશ નહિ. આવા આવા વિચારથી ચંદ્રિકાબહેનમાં હિંમત આવી ને મનની શરીર પર અસર થઈ.&lt;/p&gt; &lt;p&gt;એમની તબિયત ઝડપથી સુધરવા લાગી. ફરી એકવાર એ ચાલતા થઈ ગયા. દીકરાઓ ન આવ્યા પણ દીકરાઓથીય અધિક સંભાળ લેનાર સ્નેહીજનોની ખોટ ન હતી. મિત્રોની ખોટ ન હતી. એમણે ચંદ્રિકાબહેનને હૈયાના હેતથી સાચવ્યાં.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-3986766529507623335?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/3986766529507623335/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2761.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3986766529507623335'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3986766529507623335'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2761.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-6965976979724385800</id><published>2009-08-13T18:26:00.000-07:00</published><updated>2009-08-13T18:27:01.039-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;પ્રેમનો આદર્શ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;&lt;p&gt;જાનકી ગ્રેજ્યુએટ થઈ ગઈ, એટલે રૂપાબેન તથા અક્ષયભાઈ કહે, ‘બેટા, તું ઈન્ડિયા જા, ત્યાં મોટા કાકાએ બે-ત્રણ છોકરા જોઈ રાખ્યા છે. તું તારી રીતે જો, પસંદ કર, પછી લગ્ન કરાવવા અમે આવી જઈશું.’&lt;br /&gt;જાનકી બોલી, ‘પણ એમ કઈ રીતે છોકરો પસંદ થાય ? એકાદ-બે વાર કોઈને જોઈએ એટલે એની બુદ્ધિનો ખ્યાલ આવે, સ્વભાવનો ખ્યાલ આવે પણ લગ્નનું નક્કી કરવા માટે તો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ થયા વગર લગ્નનું શી રીતે વિચારાય ?’ જાનકીના અવાજમાં મૂંઝવણ હતી.&lt;/p&gt; &lt;p&gt;આ પહેલાં જાનકી એનાં મમ્મી-પપ્પાના મોંએ કેટલીય વાર સાંભળી ચૂકી હતી કે જાનકીનાં લગ્ન તો ભારતમાં કરીશું, ભારતમાં જન્મેલા અને ભારતમાં ભણીગણીને તૈયાર થયેલા યુવક સાથે.&lt;br /&gt;આવું વિચારીને એમણે જાનકીને ડેટિંગ પર કોઈ દિવસ મોકલી ન હતી. જાનકીનું નાનપણ વિદાય થવા માંડ્યું ત્યારથી એમણે એને છોકરાની સોબતના ખતરા વિશે સમજ આપવ માંડી હતી. તેમણે જાનકીનો ઉછેર ભારતમાં વસતાં માબાપની જેમ કર્યો હતો. અહીં અમેરિકામાં પણ એમનું સર્કલ બધું ભારતીય હતું. જાનકીને પણ પોતે ભારતીય છે એનું ગૌરવ હતું. ભારતીય સંસ્કારનું ગૌરવ હતું. ભારત જવું એને ગમતું હતું. પરંતુ આ તો વર પસંદ કરવા જવાનું હતું. ઘડી બે ઘડી કોઈને મળીને એની સાથે આખી જિંદગી રહી શકાશે કે નહિ એ નક્કી કરવું કેટલું કઠિન છે.&lt;br /&gt;પણ અક્ષયભાઈ કહે, ‘આપણા દેશની આ જ રીત છે. ઘર અને કુટુંબ વિશે તપાસ કરીને વડીલો બે-ચાર પાત્રો નક્કી કરે, પરણનાર વ્યક્તિ એકાદ-બે વાર જુએ મળે ને પસંદગી કરી લે. અમે બધાં આ રીતે જ પરણ્યાં છીએ. અને સુખી થવું હોય તો આપણી રીત શ્રેષ્ઠ છે.’&lt;/p&gt; &lt;p&gt;રૂપાબેન બોલ્યાં, ‘છોકરો ભારતીય હોય, આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને રીતરિવાજ પ્રમાણે ઊછર્યો હોય તો એની સાથે મનનો મેળ સહેલાઈથી બેસે, એ આપણી લાગણીઓ સમજી શકે.’&lt;/p&gt; &lt;p&gt;‘અહીંના ધોળિયાઓ આપણી કુટુંબભાવના કંઈ ના સમજે, પતિ-પત્નીના સંબંધની ગરિમા ના જાણે, એમને તો તરંગ ઊઠે એટલે છૂટાછેડા લઈ લે. એમને એમની જાત સિવાય કોઈ દેખાય નહિ. લાંબા લગ્નજીવનનો એક ઘડીમાં ફેંસલો મૂકીને ચાલી નીકળે.’ જાનકી મમ્મી-પપ્પાની વાત સાંભળે છે, વિવેકથી સાંભળે છે અને પછી ધીરે રહીને કહે છે, ‘તમે કહો છો એમાં પ્રેમનું નામ તો આવતું જ નથી. મારી નજરે તો સુખી થવા પ્રેમ સૌથી પહેલાં જોઈએ.’&lt;br /&gt;‘ઓ બેટા, તારી વાત સાચી છે. પ્રેમ જોઈએ, પરંતુ સંબંધને ટકાવી રાખવા, એની માવજત કરવા સંસ્કાર જોઈએ, નિષ્ઠા જોઈએ, જે આપણા ભારતીય છોકરામાં મળશે.’&lt;br /&gt;&lt;span id="more-359"&gt;&lt;/span&gt;&lt;br /&gt;મમ્મી-પપ્પાની સલાહને મનમાં વાગોળતી વાગોળતી જાનકી ઈન્ડિયા પહોંચી. જાનકીનો જન્મ ઈન્ડિયામાં થયો હતો. પાંચેક વર્ષની ઉંમર સુધી એ ઈન્ડિયામાં જ ઊછરી હતી. અમેરિકામાં વસ્યા પછી ય એ એક-બે વાર ઈન્ડિયા ગઈ હતી. ઈન્ડિયા એના માટે અપરિચિત નહોતું. મોટાકાકાએ એને ખૂબ ભાવથી આવકારી. બધાં સગાં ભાવથી ભેટ્યાં.&lt;/p&gt; &lt;p&gt;જાનકી વિચારે છે, આ સગાંઓ પપ્પાને ઓળખે છે, પપ્પા સાથે તેઓ રહ્યાં છે અને હું પપ્પાની દીકરી છું એટલું સાંભળીને કેવા પ્રેમથી વાતો કરે છે. પપ્પા સાથેની યાદો તાજી કરે છે. એમની વાતોમાંથી પપ્પા અને મમ્મી વિશે કેટલું બધું નવું જાણી શકાય છે. મારા કરતાંય તેઓ મમ્મી-પપ્પાને વધારે જાણે છે. જાનકીને થયું, અમે બધાં કેવા અદશ્ય તંતુથી બંધાયેલાં છીએ. આ બધાં મારાં છે, હું આ બધાંની છું. હું ભારતની છું.&lt;/p&gt; &lt;p&gt;મોટાકાકાએ બતાવેલા ત્રણેક છોકરામાંથી જાનકીને શુભમ્ સૌથી વધારે ગમ્યો. એ પોતાની નજીક લાગ્યો.&lt;/p&gt; &lt;p&gt;શુભમ્ એનાં માબાપનો એક નો એક છોકરો હતો. દેખાવમાં સોહામણો અને સૌમ્ય, સ્વભાવે આનંદી અને કુશાગ્ર બુદ્ધિમાન હતો, એન્જિનિયર થઈને એમ.બી.એ થયેલો. જાનકી નિ:સંકોચ એના ઘરે જવા-આવવા માંડી. શુભમ્ ઘણીવાર બહાર ફરવા જવાનું સૂચન કરતો ત્યારે એ કહેતી, અમેરિકામાં ખૂબ ફરવાનું મળે છે, અહીં મને ઘરમાં બેસવા દે. જાનકી શુભમ્ ને જીવનસાથી તરીકે નક્કી કરી ચૂકી હતી. ખૂબ વિશ્વાસથી એ વિચારતી, અમારો જીવનપંથ ભવિષ્યમાં ઉપર જતો હશે કે નીચે, હું ને શુભમ્ સાથે ને સાથે જ હોઈશું. પરિસ્થિતિ ગમે તેવી હશે, અમારામાં કોઈ પરિવર્તન નહિ આવે.&lt;/p&gt; &lt;p&gt;શુભમ્ નું ઘર જાનકીને પોતાનું ઘર લાગતું. એનાં માબાપ અને બહેન એને પોતાનાં લાગતાં. એણે અમેરિકા કોલ કરીને અક્ષયભાઈ અને રૂપાબેનને કહી દીધું કે આપણને કલ્પનામાં ય ના આવે એવો સરસ છોકરો શુભમ્ મને મળી ગયો છે. હું ખૂબ ખુશ છું.&lt;br /&gt;અક્ષયભાઈ બોલ્યા, ‘શુભમ્ નું ક્વોલિફિકેશન સારું છે, અહીં સેટલ થવામાં સરળતા રહેશે.’&lt;br /&gt;અક્ષતભાઈ અને રૂપાબેન હોંશથી ભારત જવાની તૈયારી કરવા માંડ્યાં. બધા મિત્રો, સ્વજનોને એમણે આ શુભ સમાચાર પહોંચાડી દીધા અને લગ્ન કરાવીને અહીં આવીને ગ્રાન્ડ પાર્ટી આપવાનું વચન આપ્યું. ત્યાં જાનકીનો ઈન્ડિયાથી કોલ આવ્યો, ‘હું ત્યાં પાછી આવી રહી છું.’&lt;/p&gt; &lt;p&gt;‘અહીં, પાછી, કેમ? શું થયું બેટી ? તારું લગ્ન ? શુભમ્ ? બધું કુશળમંગળ છે ને ?’ અક્ષયભાઈએ એકસામટા અનેક પ્રશ્નો પૂછી કાઢયા. એમના અવાજમાં આંચકો હતો, આઘાત હતો.&lt;/p&gt; &lt;p&gt;અક્ષયભાઈના બધા પ્રશ્નોના જવાબમાં જાનકી બોલી, ‘એ બધી વાતો ભૂલી જાઓ.’&lt;br /&gt;રૂપાબેને ચિંતાતુર અવાજે પૂછયું, ‘બેટા, હું ત્યાં આવી જાઉં ?’&lt;br /&gt;જાનકી સ્વસ્થ સૂરે બોલી, ‘ના, હું ત્યાં આવું છું, તમે ચિંતા ના કરશો.’&lt;br /&gt;દીકરી કહે છે, ચિંતા ના કરશો, પણ મા-બાપ એમ ચિંતા છોડીને નઘરોળ બની શકે ? કંઈ કેટલીય શંકા, કુશંકા, તર્ક, વિતર્કથી મન ઊભરાવા માંડ્યું.&lt;/p&gt; &lt;p&gt;જાનકી આવી. ઘરના દીવાનખાનામાં શાંતિથી બેસીને એ બોલી, ‘શુભમ્, એનું ઘર, એનાં મા-બાપ, બધાં સારા છે. એમને કોઈ વ્યસન નથી, દુર્ગુણ નથી, સમાજમાં આબરુ છે, પ્રતિષ્ઠા છે….’&lt;br /&gt;‘તો વાંધો ક્યાં આવ્યો, તારું મન કેમ પાછું પડ્યું ?’ અક્ષયભાઈએ ધીરેથી દીકરીને પૂછયું. એમને દીકરીની બુદ્ધિ અને નિર્ણયશક્તિ પર પૂરો ભરોસો હતો. દીકરી ઉતાવળિયું કોઈ પગલું ભરે એવી નથી. એને યોગ્ય લાગે એમ જ એણે નક્કી કર્યું હશે. તો પહેલાં શુભમ્ માટે હા કહી અને પછી ના કેમ ? એવું શું બની ગયું હશે બે વચ્ચે ?&lt;/p&gt; &lt;p&gt;જાનકી બોલી, ‘શુભમ્ સાથે જીવવું હોય તો મારે મારી જાતને ભૂલી જવી પડે. મનોમન ગૂંગળાવું પડે એ મને મંજૂર નથી.’&lt;/p&gt; &lt;p&gt;‘એ એવો ડોમિનેટિંગ છે, સરમુખત્યાર છે એ નક્કી કર્યા પહેલાં ખ્યાલ નહોતો આવ્યો ? તે સ્પષ્ટપણે પૂછયું ન હતું ? તારા વિચારો એને જણાવ્યા ન હતા ?’&lt;/p&gt; &lt;p&gt;‘જણાવ્યા હતા, પતિપત્નીના સમાન હકની વાત મેં કરી હતી અને એણે કહ્યું કે એ સમાન હકમાં માને છે. એણે કહ્યું હતું કે કોઈની પર હુકમ ચલાવવો એ તો જંગલીપણું છે, માણસ માત્રને માન આપવું એ સંસ્કારી માણસનું પહેલું લક્ષણ છે. એ મને પૂરું માન આપતો હતો. મારી લાગણી અને સુક્ષ્મમાં સુક્ષ્મ સંવેદન એ પામી જતો હતો. હું દુભાઉં નહિ એની કાળજી લેતો હતો. પણ એક દિવસ હું એના ઘેર બેઠી હતી…’ આટલું કહીને જાનકી અટકી ગઈ, પછી સહેજ વારે બોલી, ‘મમ્મી, પપ્પા, એ આખો પ્રસંગ હું નથી વર્ણવતી, પણ શુભમે એની મમ્મી સાથે જે તોછડાઈ દાખવી, અપમાનભર્યું વર્તન દાખવ્યું, હું તો ડઘાઈ જ ગઈ. એની મમ્મી કંઈક કહેવા ગઈ અને એણે જે ધૂત્કારથી એને દબાવી દીધી, ચૂપ કરી દીધી એ વખતે એનાં મમ્મી લાચાર બનીને ચૂપ રહ્યાં, એમને એવું વર્તન સહન કરવાની, ચલાવી લેવાની ટેવ હશે પણ મમ્મી, પપ્પા, હું એવું ના ચલાવી શકું. અને એવું ચલાવવું પણ શા માટે? તે દિવસે મને શુભમ્ નું સાચું સ્વરૂપ દેખાઈ ગયું. જે છોકરો આવો રુક્ષ, તોછડો, જડ બની શકે એ મારો જીવનસાથી થવાને યોગ્ય ના હોય. મમ્મી, મને થયું, એના આવા સ્વભાવના કારણે મારે એની સાથે મતભેદ પડે જ પડે. એના આવા વર્તનનો વિરોધ કરીને એનો સદભાવ, એનો પ્રેમ હું જાળવી શકું ખરી ? મારી અસંમતિ સાથે એ સંમત થઈને ખુશ રહી શકે ખરો ? પપ્પા આપણે અહીં વસેલા ભારતીયો ઈન્ડિયન ખોરાક ખાઈએ, ભારતના સંસ્કાર અને ધર્મની વાતો કરીએ અને માનીએ કે આપણે ભારતીય છીએ. તમે અને તમારી પેઢીના જેઓ પાછળથી અહીં આવીને વસ્યા છો એમના માટે એ સાચું છે. તમારાં જીવનમૂલ્યો, તમારા સંસ્કાર, તમારું માનસ સંપૂર્ણપણે ભારતીય છે. તમારા મોંએ અમે ભારતની વાતો સાંભળ્યા કરી હતી. જે સાંભળ્યું એ બધું અમારી અંદર ઊતરી ગયું હશે, પણ અમારું ઘડતર માત્ર તમારી વાતોથી જ નથી થયું. પાંચ વર્ષની ઉંમરે હું અમેરિકા આવી હતી, અહીંના સંસ્કારો પણ મારા કુમળા માનસ પર ઝીલાયા હશે. અહીંની સમાજિક માન્યતાઓ, પ્રથાએ મારા માનસને ઘડવામાં ભાગ ભજવ્યો છે. મારો બાહ્ય દેખાવ, રૂપ, રંગ તમારા જેવા છે, પણ અંદરથી હું તમારા જેવી નથી, હું મારી જાતને બીજામાં ઓગાળી ના શકું. સંવાદી જિંદગી કે પ્રેમના આદર્શ માટે સ્વમાન છોડી ના શકું. ત્યાં જન્મેલો અને ત્યાંની રીતે જીવતો છોકરો હું ના સ્વીકારી શકું.’&lt;/p&gt; &lt;p&gt;‘તો હવે તું શું કરીશ, બેટી ?’&lt;/p&gt; &lt;p&gt;‘હું અહીં રહેતા, અહીંના માનસથી, માન્યતાઓથી પરિચિત કોઈ ભારતીય છોકરા સાથે પરણીશ. એવું યોગ્ય પાત્ર મારા જીવનમાં આવે ત્યાં સુધી રાહ જોઈશ. તમે મારી ચિંતા ના કરશો.’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-6965976979724385800?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/6965976979724385800/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8927.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/6965976979724385800'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/6965976979724385800'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8927.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-8084109573505826815</id><published>2009-08-13T18:24:00.001-07:00</published><updated>2009-08-13T18:24:58.195-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;આપણી જિંદગી – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;મધુકાંતના ગયા પછી અમુભાઈ એકદમ ચૂપ થઈ ગયા. સવિતાબહેન વિચારે છે આ બે દિવસ મધુભાઈ હતા ત્યારે તો બેઉ મિત્રો કેટલી વાતો કરતા હતા ને હસતા હતા. અરે જમવા બોલાવું તોય ઝટ ડાઈનિંગ ટેબલ પર આવે નહિ, રાત્રે હું તો ઊંઘી ગઈ હતી પણ એ બેઉ તો વાતો જ કરતા રહ્યા હતા, અને મધુભાઈના ગયા પછી આ કેમ ચૂપ થઈ ગયા ? જાણે કોઈ ગંભીર વિચારમાં ડૂબી ગયા છે, શું થયું છે પૂછું ? પૂછું, પછું એમ સવિતાબહેનને થાય પણ પૂછી શક્યાં નહિ.&lt;/p&gt; &lt;p&gt;એક દિવસ આખો પસાર થઈ ગયો, પરંતુ અમુભાઈ તો એવા જ સૂનમૂન અને વિચારમગ્ન હતા. હવે સવિતાબહેનથી રહેવાયું નહિ. એમણે પૂછ્યું તો અમુભાઈ બોલ્યા, ‘સવિતા ! તેં ના પૂછ્યું હોત તોય તને હું કહેવાનો જ હતો. આપણી નિષ્ફળતાની વાત તને ના કહું તો બીજા કોને કહું, પણ કેવી રીતે કહું, ક્યાંથી શરૂ કરું એ જ સમજાતું નહતું.’&lt;/p&gt; &lt;p&gt;સવિતાબહેનને નવાઈ લાગી કે પતિ આજે આ કેવી વાત કરે છે ? લગ્ન થયે ચાળીસ વર્ષ થયાં પતિએ જિંદગી નિષ્ફળ ગઈ છે એવું કદી કહ્યું નથી ને અમારી જિંદગી ક્યાં નિષ્ફળ ગઈ છે ? એમના પિતા તો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. મામાના ઘેર રહીને ભણ્યા અને આ વૈભવ, આ સંપત્તિ બધું એમના પુરુષાર્થનું ફળ છે. બેઉ દીકરીઓને સારી રીતે ભણાવીને સારા ઘેર પરણાવી છે. એ બેઉ સુખી છે.&lt;/p&gt; &lt;p&gt;સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે. આ બે માળનો અમારો બંગલો, નોકર, રસોઈયો, ડ્રાયવર… કેટલી નિરાંતભરી અમારી જિંદગી છે ! શરીર પણ તંદુરસ્ત છે, એ પાંસઠના થવા આવશે પણ બાવન-ચોપનના લાગે. રોજ એક કલાક તો સ્વિમિંગ કરવા જાય છે. હું ગાર્ડનમાં ચાલવા જાઉં છું. દર વરસે પરદેશની ટૂર પર જઈએ છીએ. દુનિયામાં જોવાલાયક બધું જોઈ કાઢ્યું છે છતાં અમારી જિંદગી નિષ્ફળ ગઈ ? અરે લોકો અમારી જિંદગીની ઈર્ષા કરે છે. મારી બહેનો કહે છે કે સવુબહેન, ગયા ભવ તે એવાં તો કેવાં પૂણ્ય કર્યાં છે કે સુખ, સુખ અને સુખ જ તને મળ્યું છે. તારે તો સાસુ-સસરાની ચિંતા નહિ કે દિયર-જેઠ-નણંદનો ભાર નહિ. એય રાજરાણીનું સુખ ભોગવે છે. આવી સુખી જિંદગીને નિષ્ફળ કઈ રીતે કહેવાય ?&lt;/p&gt; &lt;p&gt;સવિતાબહેન મોં ખોલીને પતિને કંઈ કહેવા જાય છે પણ પતિના મ્લાન ચહેરો ને ભીની ભીની આંખ જોઈને કંઈ બોલી શક્તા નથી. પતિ હમણાં જે બે વાક્યો બોલ્યા ત્યારેય એમનો અવાજ કેવો ગળગળો હતો ! શું થયું છે એમને ! સવિતાબહેન મૂંઝાઈ ગયાં. એમને સ્નેહથી પતિના હાથ પર હાથ મૂક્યો, અને પતિ કંઈ બોલે એની રાહ જોતાં એમને જોઈ રહ્યાં.&lt;br /&gt;&lt;span id="more-415"&gt;&lt;/span&gt;&lt;br /&gt;અંતે અમુભાઈ બોલ્યાં, ‘તું જાણે છે કે મધુકાંત મારો નાનપણનો દોસ્ત છે, ગામમાં એક જ મહોલ્લામાં અમે રહેતા હતા. મારા બાપુજી તો હું નાનો હતો ને ગુજરી ગયા. પછી હું ને મારી બા મામાના ઘેર અમદાવાદ રહેતાં હતાં. હું અમદાવાદની સ્કૂલમાં ભણતો હતો. મધુકાંત આઠ ધોરણ સુધી ગામમાં ભણ્યો પણ પછી અમદાવાદ ભણવા આવ્યો. એ બોર્ડિંગમાં રહીને ભણે. અવારનવાર એ મારી સાથે મામાના ઘેર આવે ત્યારે મામી કાયમ એને જમાડીને મોકલે. મધુકાંત મામા-મામીના હેતને યાદ કરીને એટલો ભાવવિભોર થઈ ગયો હતો, મને કહે તારાં મામી જેવી લાગણીવાળી મેં કોઈ બાઈ નથી જોઈ, બધાં એને પોતાના લાગે, કોઈ પારકું ન લાગે. હજી સ્વપ્નમાંય મને મામી દેખાય છે.&lt;/p&gt; &lt;p&gt;સવિતા, મામાને પોતાનાં તો એક દીકરીને દીકરો. ઘરનાં તો એ કુલ ચાર જણ જ કહેવાય. પણ કદી ઘરમાં એ લોકો ચાર જણ એકલાં રહ્યાં નથી. એમનું ઘર માણસોથી ભરેલું જ હોય. કેટલા પિતરાઈ ભાઈ-બહેનોનાં છોકરાં ત્યાં ભણે. એમણે એમનાં દીકરા-દીકરીને કોઈ વિશેષભાવે રાખ્યાં નથી કે અમને એક ઘડી માટેય પારકાં ગણ્યાં નથી. અમારી અને એમની વચ્ચે કોઈ વેરોઆંતરો રાખ્યો નથી. બહારનાને તો ખબર જ ન પડે કે ઘરનાં છોકરાં કોણ છે. અમે નાનાંહતાં, નાદાન હતાં, કોઈ તોફાન કર્યું હશે, ભાંગ્યું-તોડ્યું હશે, અવિનયથી વર્ત્યાં હોઈશું પણ મામા-મામી કદી કઠોર થઈને વઢ્યાં નથી. કાયમ પ્રેમથી સમજાવ્યું છે. કોઈના માટે એમને લેશમાત્ર દુર્ભાવ નહિ. મામા-મામી એટલા સહજભાવે અમને રાખતાં કે હું તને પ્રસંગો કહેવા બેસું તો ખૂટે નહિ એટલા છે. માંદે-સાજે જે ચાકરી કરે, એ યાદ કરતાંય આજે આંસુ ઊભરાય છે. હું માંદો હતો ત્યારે મામી ઉજાગરા કરે, મારી બા નહિ. મામી વાર્તા કહેતાં જાય ને મને દવા પિવડાવે. મોસંબીનો રસ પિવડાવે. આટલો સ્નેહ, આટલી ઉદારતા અને સરળતા ! આજે યાદ આવે છે ને હું આભો બની જાઉં છું.&lt;/p&gt; &lt;p&gt;સવિતા, આપણે આપણા સંતાનો માટે જ જે કર્યું છે એ એમણે બધાંને માટે કર્યું છે અને કદી કહી બતાવ્યું નથી. મને થાય છે આપણે આપણાં સંતાનોને ઉછેરવા જે કર્યું એ મોટી નવાઈ કરી હોય એમ કહી બતાવતાં અચકાતાં નથી, જ્યારે મામા-મામીએ કદી કોઈનેય યાદ નથી કરાવ્યું કે એમણે શું શું કર્યું, કેવો ભોગ આપ્યો, કેવો ત્યાગ કર્યો. મેં અને મધુએ મામા-મામી વિશે જ વાતો કરી ને અફસોસ કર્યો કે અમારી સામે નજર આગળ આવડો મોટો આદર્શ હતો એ પ્રમાણે અમે કેમ જીવ્યા નહિ. અમે તો માત્ર પૈસા કમાઈ જાણ્યો ને પંડમાં વાપર્યો. આપણા ભાવ ને લાગણીય જાણે બનાવટી છે. પોતાનું પેટ તો કૂતરાં-બિલાડાંય ભરે છે એમાં શી નવાઈ કરી ! હું શ્રેષ્ઠ માણસોમાંય શ્રેષ્ઠતમ ગણાય એવાં મામા-મામી પાસે રહ્યો છતાંય એમનો પાસ મને કેમ ન લાગ્યો ? એમનો લાભ મને મળ્યો પણ મારું મન કેમ આવું ભૌતિકવાદી રહ્યું. હું ઊંચાઈએ ન પહોંચ્યો.’&lt;/p&gt; &lt;p&gt;‘તમે કહો છો એ વાત સાચી પણ એમની ઊંચાઈએ પહોંચવાનું આપણું ગજું નહિ.’ સવિતાબહેન બોલ્યાં.&lt;/p&gt; &lt;p&gt;‘સાચી વાત છે. એમણે પૈસા ખરચતાં કદી નથી જોયું કે એ કોના માટે ખરચાય છે. એમનાં બારણાં દરેકના માટે ખુલ્લાં રહેતાં. કોઈ પણ સમયે મદદનો પોકાર પાડતો માણસ ત્યાં જઈ પહોંચે ને એને મદદ મળે જ. એમનો હાથ કદી ટૂંકો ન પડે. હું નાનો હતો ત્યારે નજરે એ બધું જોતો અને મને એ જ સ્વાભાવિક જીવન લાગતું. આવનાર માણસ ખુશી થઈને પાછો જતાં જોઉં ત્યારે મને એવું નહતું લાગતું કે મામા-મામી કોઈ અસાધારણ કામ કરી રહ્યાં છે. આજે સમજાય છે કે મને કેમ એવું નહોતું લાગતું, એનું કારણ એક જ હતું, મામા-મામીમાં જરાય દંભ ન હતો. દેખાડો ન હતો. મોટાઈ ન હતી. એ પોતે તદ્દન સાધારણ કામ કરતાં હોય એ રીતે અસાધારણ કામ કરતાં. મામા-મામી ખરેખર અસાધારણ માણસો હતાં. આજ સુધી હું એમની એ અસાધારણતા સમજી ન શક્યો. હું કેટલો મૂઢ !&lt;/p&gt; &lt;p&gt;સવિતા, આજે મને સમજાય છે આપણે કેટલું ગુમાવ્યું છે ! આપણે ધન કમાયા અને માની લીધું કે આપણે બહુ ઊંચા છીએ, આપણે અન્યની જોડે હળવા-મળવાનું બંધ કરી દીધું. પાડોશીઓ સાથે માત્ર ઔપચારિક સંબંધ રાખીએ છીએ. અગાઉથી જણાવ્યા વગર આપણે કોઈ મળવા ન આવી શકે. આપણું આવડું મોટું ઘર છે, આ વિશાળ આંગણું, આ ધનદોલત, કોઈનાય કામમાં આવે છે ? જો ને કેવો સૂનકાર છે બધે ! ક્યાંય કિલ્લોલ છે ? આપણી સાવ નિ:સંગ જિંદગીએ આપણને ચૈતન્યશૂન્ય બનાવી દીધાં છે. આપણા હૃદયને લકવા થઈ ગયો છે.’&lt;/p&gt; &lt;p&gt;સવિતાબહેન બોલ્યાં, ‘પરંતુ આજ સુધી તો તમે આપણી જિંદગીથી કેટલા સંતુષ્ટ હતા ! તમે કહેતા હતા કે આપણે શૂન્યમાંથી સર્જન કર્યું. આપણી જિંદગી તો એક દ્રષ્ટાંત કહેવાય, અને તમે માનતા હતા એમાં ક્શું ખોટુંય ન હતું. તમે મધુભાઈની સાથે વાતો કરીને વધારે પડતા ભાવુક થઈ ગયા છો. તમે પુરુષાર્થ કરીને આપણી આ જાહોજલાલીવાળી દુનિયા સર્જી છે. તમે અસાધારણ જ છો. બધા તમારા જેટલું મેળવી નથી શક્તા !’&lt;/p&gt; &lt;p&gt;‘ઓ સવિતા, આપણે આપણી જાતમાં એટલાં લીન થઈ ગયાં છીએ કે આપણા સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરી શક્તાં. આપણે સ્વકેન્દ્રી છીએ. આ આત્મરતિ આપણા જીવનનું આલંબન બની ગઈ છે. પણ તું મારાં મામા-મામીની જિંદગીને જો, અને વિચાર કર. સ્નેહથી પરિપૂર્ણ એ જિંદગી ! એમણે જિંદગીમાં આપ્યા જ કર્યું છે અને આપણે મહત્વાકાંક્ષી બનીને એકઠું કરતાં રહ્યાં છીએ. આપણી આવી જિંદગી પર શું ગર્વ કરવાનો ? સવિતા, એમનાં જીવન ત્યાગનાં સૌંદર્યથી શોભતાં હતાં ને આપણે અંતિમ ઘડી સુધી ધનને સાચવતાં બેસી રહીશું ! આપણી જિંદગી તો નકામી કહેવાય.&lt;/p&gt; &lt;p&gt;સવિતા, મારા મનમાં અજંપો જાગ્યો છે, હું બેચેન બની ગયો છું. મારે – આપણા નાનકડા કૂંડાળામાંથી બહાર આવવું છે.’&lt;/p&gt; &lt;p&gt;‘શું કરવા ધારો છો ? તમે માંડીને વાત કરોને. તમે જે કહેશો ને કરશો એમાં હું સંપૂર્ણ સાથ આપીશ. પણ તમે નિરાશામાંથી બહાર આવો.’&lt;/p&gt; &lt;p&gt;‘મારે આપણી જિંદગી મામા-મામીના જેવી સુંદર બનાવવી છે. વૃદ્ધાવસ્થા ત્યાગથી જ સુંદર થાય. હવે આપણો સમય, શક્તિ અને ધન જરૂરતમંદો માટે ખરચીશું.’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-8084109573505826815?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/8084109573505826815/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9664.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8084109573505826815'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8084109573505826815'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9664.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-2654295719250112395</id><published>2009-08-13T18:22:00.000-07:00</published><updated>2009-08-13T18:23:03.522-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;લગ્નની વ્યાખ્યા બદલાય છે….– અવંતિકા ગુણવંત&lt;/h1&gt;&lt;p&gt;શાસ્તા અને તન્વય , લગ્ન થયાં ત્યારે બેઉ આસમાનમાં ઊડતાં હતાં. તન્વય સગર્વ કહેતો. ‘મારે જોઇતી હતી એવી જ પત્ની મને મળી, ભણેલી ગણેલી, પ્રોફેશનલ ડિગ્રીવાળી ઉપરાંત એની લાઇનમાં આગળ વધેલી’&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા કહેતી હતી, ‘મને સમજી શકે, મારી કદર કરી શકે ને મારી કેરિયર ખીલવા દે એવો પતિ મારે જોઇતો હતો. તેથી તો આટલાં વરસો સુધી રાહ જોઇ. અંતે મારી પ્રતીક્ષા સાર્થક થઇ ગઇ.’&lt;/p&gt; &lt;p&gt;બેઉ એકબીજાને કહેતાં,’આપણે અન્યોન્ય માટે જ સર્જાયાં છીએ. આપણું જીવન એક આદર્શ જીવન હશે – સુખ અને સુંદરતાથી છલકાઇ જતું.’ બેઉ સમાન સ્વપ્નો જોતા હતાં. પણ એમનાં આ સ્વપ્નાં સાકાર નાં થયાં. એકાદ બે મહિનામાં જ એમના પ્રેમના મહેલમાં તિરાડો પડવા માંડી. ગીત-સંગીતના સ્થાને ઘાંટાઘાંટા અને ફૂંફાડા સંભાળાવા માંડ્યાં.&lt;/p&gt; &lt;p&gt;શાસ્તાની મોડા ઊઠવાની ટેવ, બહાર જવાની વખતે જ નહાવાની ટેવ, મન થાય ત્યારે જ રસોડામાં જવાની ટેવ, ઘડિયાળના કાંટે નહીં પણ મૂડ પ્રમાણે કામ કરવાની આદત તન્વયને ના ગમે. તન્વય શિસ્તબદ્ધ શૈલીમાં ઊછર્યો હતો. તેથી એ કચકચ કરતો, તો શાસ્તા કહે, ‘તારે દસ વાગે જમવાનું જોઇએ છે ને, ત્યારે તને મળી રહે છે, પછી હું રસોડામાં સાત વાગે પેસું કે નવ વાગે, તું શું કામ ચિંતા કરે છે?’&lt;br /&gt;‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.&lt;br /&gt;‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’&lt;br /&gt;‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’&lt;br /&gt;‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.&lt;br /&gt;&lt;span id="more-533"&gt;&lt;/span&gt; શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;દાળ બરાબર ઊકળી નથી, કયાંથી ઊકળે ? નવ વાગે તો કૂકર મુકાય છે. રોટલી ચવડ છે. શાક સરખું સીજ્યું નથી. રાયતું હજી બનાવ્યું નથી ? કચુંબરમાં લીંબુ નિચોવ્યું ને ! મને ખબર જ હતી. મન વગરનાં કામમાં ભલીવાર જ શું હોય ?’ શાસ્તાની રસોઇ માં ખામી કાઢવાની જ એવો ઘરનો જાણે નિયમ થઇ પડ્યો હતો. શાસ્તા રસોઇમાં બેદરકાર ન હતી, પરંતુ એના પિયરના અને અહીંના ટેસ્ટ અલગ હતા, રીત અલગ હતી તેથી એ નિખાલસતાથી કહેતી, ‘અહીંની રીત હાથે ચડતાં થોડી વાર તો લાગે ને !’ ‘વાર શું, તને રસોઇમાં રસ જ નથી.’ તન્વય તાડૂક્યો. તન્વય શાસ્તાને સમજવા પ્રયત્ન કરતો જ નહીં. શાસ્તા ડઘાઇ જતી. જે તન્વયને હું સંસ્કારી સમજતી હતી એ આવા સૂરે બોલે ? મારું અપમાન કરે ? સાસુ – સસરા બોલે તો એ જૂની પેઢીનાં છે એમ સમજી ને ચલાવી લેવાય. પણ તન્વયથી તો આમ બોલાય જ કેવી રીતે ? એણે તો બેઉ પક્ષ વચ્ચે સમતોલન રાખવું જોઇએ. બેઉને સાચવવા જોઇએ.&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા ચા બનાવવા જતી હોય તોય તન્વય મોટેથી બોલે, ‘ચા બનાવજે.’ આ સાંભળે ને શાસ્તાનું મગજ ફરી જાય. એ કંઇ જવાબ આપતી નહી, પણ મોં પર ચોખ્ખો અણગમો પ્રદર્શિત કરતી. એના મનોભાવ જોઇને શાંત રહેવાના બદલે તન્વય બોલે જતો, ‘પાણી જેટલું જ દૂધ નાખજે, આદુ છે ને ? આદુ ના હોય તો એલચી નાખજે. બરાબર ઉકાળજે.’&lt;br /&gt;ઓહો, એકસામટી આટલી બધી સૂચનાઓ ? ઘરમાંથી આવી સૂચનાઓ આ પહેલાં અપાઇ તો ગઇ જ છે, છતાં તન્વય શું કામ આવું બધું કહે છે ? એનાં મમ્મી પપ્પા ને ખુશ કરવા ? એ મારી પર હુકમ કરી શકે છે એવું બતાવવા ? તન્વય આટલો સામાન્ય છે ! શાસ્તા ખીજવાઇ ઊઠતી. એ તન્વયને કહેતી, ‘ તારા મોં એ આવું શોભતું નથી. નોકરનેય કોઇ વારંવાર સૂચના નથી આપતું અને આજે મારો આ પહેલો દિવસ નથી. તમારા ટેસ્ટ મુજબની ચા હું બનાવું છું એ તું જાણે છે.’&lt;/p&gt; &lt;p&gt;‘મેં તને કહ્યું ને તે સાંભળ્યું એમાં તારું કંઇ બગડી ગયું ? તું નાના બાપાની થઇ ગઇ ?’ તન્વય રુક્ષતાથી બોલ્યો.&lt;br /&gt;આવી થર્ડક્લાસ ભાષા ? શાસ્તા સ્તબ્ધ થઇ ગઇ. એના ઘરમાં કોઇ આવી રીતે બોલતું નહીં. સંસ્કારી વિસ્તારમાં એનું ઘર હતું તેથી આવી તોછડાઇવાળી ભાષા કદી સાંભળી ન હતી. તે કંઇ બોલી નહીં. આવા સવાલનો શો જવાબ આપવાનો ? હવે તન્વયના અવાજમાં વારંવાર પુરુષનો હુંકાર સંભળાવા માંડ્યો. જાણે એ શાસ્તાને સતત યાદ દેવડાવા માંગતો હોય કે આ ઘરમાં તન્વયની ઇચ્છા પ્રમાણે જ બધું થાશે. શાસ્તાએ એ કહે એમ જ કરવું પડશે.&lt;/p&gt; &lt;p&gt;શાસ્તાએ પુરુષોની આ ગ્રંથિ વિશે ઘણું સાંભળ્યું હતું. સરખેસરખી બહેનપણીઓ તો હસતાં હસતાં કહેતીય ખરી કે હા એ હા કરવાનું પછી આપણું ધાર્યું કરવાનું, થોડું ફોસલાવતાં શીખી જવાનું. એની મમ્મીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે ‘પુરુષ પોતાનો કક્કો ખરો કરવા માંગતો હોય ત્યારે મૌન જ રહેવું. કોઇ દલીલ ના કરવી. જો ને આ ઉંમરે આટલાં વરસો પછીય હું જ્યારે તારા પપ્પા આગ્રહપૂર્વક કંઇ કહેતા હોય ત્યારે ચૂપ જ રહું છું ને !’ શાસ્તાને માની આ શિખામણ બરાબર યાદ હતી છતાંય એ તન્વયને આટલું તો કહી જ કાઢતી કે, ‘ધીમે બોલેલું મને સંભળાય છે, એક વાર સાંભળેલું મને યાદ રહે છે.’&lt;/p&gt; &lt;p&gt;આવું સાંભળે ને તન્વય ગુસ્સાથી રાતોપીળો થઇ જતો. આમે એ ઝટ ગુસ્સે થઇ જતો ને આવેશમાં આવીને પોતે શું બોલે છે એનું ભાન રહેતું નહીં, ક્યારેક તો સામાન્ય વિવેક, રીતભાત ભૂલીને ડોળા કાઢતો, હાથ ઉગામીને શાસ્તાને ડરાવવા પ્રયત્ન કરતો. પછી તો શાસ્તા પોતાનો સંયમ છોડી ને ઇંટનો જવાબ પથ્થરથી આપતી. ઘડીકમાં વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઇ જતું. ઘરમાં બધાં ખળભળી ઊઠતાં. ઘરમાં સાસુ – સસરા પરંપરાગત ખ્યાલોવાળાં હતાં. તેઓ તો દ્રઢપણે માનતાં હતાં કે પત્નીએ પતિ કહે એમ કરવું જ જોઇએ. પતિની સામે બોલવું એ સંસ્કારની ખામી જ ગણાય. એમને શાસ્તા તરફ અણગમો આવી ગયો. શાસ્તા તરફના એમના વ્યવહારમાંથી હેતને ઉષ્મા અદ્ર્શ્ય થઇ ગયાં. તેઓએ શાસ્તાથી અળગા રહેવા માંડ્યું.&lt;/p&gt; &lt;p&gt;તેઓએ તન્વયને કહેવા માંડ્યું, ‘શાસ્તા વધારે પડતી આઝાદ છે, એની પર તો કડકાઇ રાખવી જ પડે. એ કમાય છે તો શું થઇ ગયું ? એનો રુઆબ એની ઓફીસમાં. ઘરમાં તો સ્ત્રીએ સ્ત્રીની રીતે જ રહેવું પડે. ભલે ને આજે આ વાતો નાનીને તુચ્છ લાગે પણ એનો આ સ્વભાવ ? – કાલે તો તન્વય, એ તારીયે પરવા નહીં કરે.’&lt;br /&gt;તન્વયે શાસ્તાની વિરુદ્ધ થઇ ગયો. સંવેદનશીલ શાસ્તા માટે આ બધું અસહ્ય થઇ પડ્યું. આવું તો એણે કદી ધાર્યું જ ન હતું. એ વિચારે છે, ‘મારે આટલું બધું દબાતા રહેવાનું ? શું કામ ? શું કામ હું મારી જાતનું શોષણ થવા દઉં ? દામપત્ય જીવનનું આટલું બધું મૂલ્ય ચૂકવવાનું ?’&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા રડતી, મેં ભૂલ કરી છે, તન્વયને ઓળખવામાં મેં ભૂલ કરી છે. પણ હવે શું ? કોઇ અંતિમ પગલું લેવાની એની ઇચ્છા ન હતી. તૈયારી ન હતી. એ જાણતી હતી કે એના લગ્નમાં ભંગાણ પડે તો એનાં માબાપ ને દુઃખનો પાર ના રહે. અને એમ એ ઝટ નિરાશ થાય એવી ન હતી. તેથી વડિલોની શિખામણ પ્રમાણે એ શાંત રહેતી. ચૂપચાપ તન્વયના ઘરની રીત પ્રમાણે રહેવા પ્રયત્ન કરતી પણ જેમ જેમ એ શાંતિ જાળવવા પ્રયત્ન કરતી એમ એમ એનાં સાસુ – સસરા વધારે જોર કરવા માંડ્યાં. શાસ્તાને પ્રેમથી સહકાર આપવાના બદલે શાસ્તા નોકરડી હોય એમ એને વધારે લાચાર પાડવા લાગ્યાં. હેતપ્રેમ તો શું એમની ફરજ અને વિવેકે વિસરી ગયાં. પરિસ્થિતિ સુધરવાનાં કોઇ ચિહન ન જણાતાં શાસ્તા પિયર જતી રહી. એના મનમાં હતું કે એની ગેરહાજરીમાં તન્વયને એની કિંમત સમજાશે, એની યાદ આવશે અને કડવાશ ઓછી થશે. પણ તન્વય તો શાસ્તાને તેડવા શું એક વાર મળવાય ન આવ્યો. આડકતરી રીતેય સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. શાસ્તાને માનભેર તેડી લાવવા કે એને મનાવવાની સાસુ –સસરાએ પણ દરકાર ના કરી. વટના સવાલ પર અડગ રહ્યાં.&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા પિતાના ઘેર હતી, પણ તન્વય સાથેના અણબનાવના લીધે એ બહુ તંગ રહેતી. કોઇ કામમાં એનું દિલ ચોંટતુ નહીં. ચિડાયેલી ને અકળાયેલી માનસિક સ્થિતએ એનું શરીરે બગડ્યું. શાસ્તા એનું સત્વ ગુમાવવા માંડી. અને એ યંત્રણા રિબામણીથી છૂટકારો મેળવવા એણે છૂટાછેડા લઇ લીધા.&lt;/p&gt; &lt;p&gt;છૂટાછેડા થયા ને તન્વયનાં મા બાપ નું તો જાણે નાક જ કપાઇ ગયું; આબરૂ જતી રહી. તેઓ ધૂંઆપૂંઆ થઇને માત્ર શાસ્તાને જ નહીં સર્વિસ કરતી સમસ્ત સ્ત્રી આલમને બોલવા માંડ્યાં. કહેવા માંડ્યું કે ‘સર્વિસ કરતી છોકરીને ઘરમાં લવાય જ નહીં. એ પૈસા કમાય એની એટલી રાઇ હોય છે કે પોતાના ઘરનેય પોતાનું નથી ગણતી. પોતાના માણસનીય એને પડી નથી હોતી.’ પોતાની વાતના સમર્થનમાં તેઓએ સીધીસાદી દેખાતી, સર્વિસ ન કરતી ઘરેળુ છોકરી કૃતિની વહુ તરીકે પસંદગી કરી. એમને હતું કે કૃતિ બધી રીતે તન્વયને અનુકૂળ થઇને રહેશે. ઘરને સાચવશે પણ એવું ના થયું. કૃતિ ભલે કેરિયર વુમન ન હતી. પણ એને પોતાના ખ્યાલો હતા, અપેક્ષાઓ હતી. જીવન જીવવાની રીત હતી. એમાં બાંધછોડ કરવા એ તૈયાર ન હતી.&lt;/p&gt; &lt;p&gt;તન્વય હકૂમતભર્યા સૂરે એને કંઇ કહે તો મોં પર સખતાઇ લાવીને એ સ્થિર નજરે એની સામે જોઇ રહેતી. એ નજરનો અર્થ વાંચવાના બદલે તન્વય ખિજાઇને બોલતો, ‘તને સંભળાયું નહીં કે મેં શું કહ્યું એ ?’&lt;br /&gt;ત્યારે કૃતિ જરાયે દબાયા વગર નિશ્ચલતાથી કહેતી, ‘સંભળાયું, બરાબર સંભળાયું પણ હું જે સાંભળું એ પ્રમાણે કરવા બંધાયેલી નથી.’&lt;br /&gt;‘એટલે, એટલે તું શું કહેવા માગે છે?’&lt;br /&gt;‘હું કહેવા માગું છું કે તમે તમારી રીતે જીવો. હું મારી રીતે જીવવા ટેવાયેલી છું. એમાં કોઇ ખલેલ પહોંચાડે એ મને પસંદ નથી.’&lt;br /&gt;ગાલ પર તમાચો પડ્યો હોય એમ તન્વય વળ ખાઇ જતો. ગુસ્સામાં એ કૃતિ તરફ ધસી જતો.કૃતિ ડોક ટટ્ટાર કરીને પહેલાં કરતાંય વધારે કડકાઇથી બોલતી. ‘દૂર ઊભા રહો. મને આવેશમાં ભાન ગુમાવી બેસનાર માણસ પસંદ નથી.’&lt;/p&gt; &lt;p&gt;તન્વય ડઘાઇ જતો. ‘આના અવાજમાં તો જરાય નરમાશ નથી. આ તો મોટી સાર્જન્ટ છે. આની સાથે કેમ કરીને રહેવાય ?’ તન્વય મા આગળ હૈયાવરાળ કાઢતો. પૂછતો. ‘મમ્મી, આ તો કેમ સહન થાય?’ મા યે હવે તો પાઠ ભણી ચૂકી હતી. નવી પેઢીના બદલાતા આચારવિચારથી માહિતગાર થઇ ચૂકી હતી. એ કહેતી, ‘ બેટા, હવે તો સમય બદલાઇ ગયો છે. આજકાલની છોકરીઓ છોકરાઓ કરતાંય વધારે મિજાજી થઇ ગઇ છે, એ કોઇની દાબી નથી દબાતી. એમની રીતે જ વર્તે છે. એ કોઇને ગાંઠતી નથી.’&lt;br /&gt;તન્વય કહેતો, ‘ પણ આના કરતાં તો શાસ્તા સારી હતી. કેટલીય વાર એ ગમ ખાઇ જતી. કોઇ વાર નાહકનો હું ગુસ્સે થઇ જતો તો’યે એ મારું અપમાન નહોતી કરતી. વિવેક ભૂલતી નહીં. એ રડતી પણ રિસાતી નહીં કે મનમાં ડંખ રાખતી નહીં. એ મારો, આપણા બધાંનો વિચાર કરતી.’&lt;br /&gt;‘હા, સુમેળ સાધવા તરફ એનું વલણ રહેતું. એ કદી મહેણાં મારતી નહીં કે કટાક્ષમાં બોલતી નહીં. ઘરની વાત બહાર કરતી નહીં.’&lt;br /&gt;‘એ આપણી રીતે રહેવા પ્રયત્ન કરતી હતી. પાછળ થી તો એ કેટલી ઢીલી થઇ ગઇ હતી. પોતાની જીદ અને આગ્રહ સાવ છોડી દીધાં હતાં.’ તન્વયના પિતા બોલ્યા.&lt;br /&gt;‘આપણે થોડુંક સમજ્યાં હોત તો એ જતી ના રહેત. આપણે થોડી છૂટ મૂકવા જેવી હતી.’&lt;/p&gt; &lt;p&gt;ઘરમાં દરેક ને હવે શાસ્તાના ગુણ અને પોતાનાં વાંક દેખાવા માંડ્યા. તન્વયને તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. એ જીવ બાળતો કે પોતાની ભૂલ, અણસમજ અને નાદાનીના લીધે સદગુણી સોનાની પૂતળી જેવી શાસ્તા ગુમાવી. હવે એ દરેક વાતમાં કૃતિને શાસ્તા સાથે સરખાવતો ને એને કૃતિમાં દોષ અને ઊણપો જ દેખાવા માંડ્યાં. કૃતિ એના મનમાંથી ઊતરવા માંડી. એનું અસંતુષ્ટ મન કૃતિ સાથે ઝઘડી પડતું. એ એવા ઝનૂનમાં રહેતો કે ઘડી પછીય કૃતિને સોરી કહીને વાતાવરણ હલકું કરવાનું સૂઝતું નહીં. કૃતિ પણ શાસ્તાની જેમ છોડીને જતી રહેશે એવો વિચારે આવતો નહીં. શાસ્તા ગઇ એની અકળામણ, એનો પસ્તાવો બધું કૃતિ પર ગુસ્સારૂપે ઠલવાતું. પરિણામે કૃતિ એ સામે ચાલીને તન્વયને છૂટો કર્યો. કોઇ પૂછે તો એ વગર ખચકાયે કહેતી. ‘તન્વય પૂરો મેચ્યોર નથી. ક્યારેક અસ્થિર મગજનો હોય એવું લાગતું. એનાં સંસ્કારમાં ઊણાં છે. એના ત્યાંનું વાતાવરણ જ એબનોર્મલ છે. ત્યાં રહેવાય જ નહીં.’&lt;/p&gt; &lt;p&gt;આવું બધું ન તન્વય પાસે પહોંચતું ને એ સળગી ઊઠતો. એનું હ્રદય શાંતિ અને શાતા ઝંખતું પણ ક્યાં મળે એ ચેન ? એ રાહત ? એ નિરાંત ? ઘરમાં તો સૂનકાર એણે જ સર્જયો હતો. માબાપ પર હવે અભાવો આવી ગયો છતાં એનું મન પ્રેમપાત્ર તો ઝંખે છે.&lt;/p&gt; &lt;p&gt;ધીરે ધીરે એ પ્રેમપાત્રમાં શાસ્તાની આકૃતિ સ્પષ્ટ થવા માંડી. એના હ્રદય મનમાંથી શાસ્તા માટે પોકાર ઊઠ્યો. એણે માહિતી મેળવી હતી જે શાસ્તાએ ફરીથી લગ્ન કર્યાં નથી. એ તન્વય કે એનાં માબાપ વિશે જરાય ધસાતું બોલતી નથી. એણે વિચાર્યું તો તો શાસ્તાને જરૂર મારા માટે પ્રેમ જળવાઇ રહ્યો છે. કદાચ એ મારી વાટ જોતી હશે, પણ કેવી રીતે જવું એની પાસે ? અપરાધબોલથી એ એટલો પીડાતો હતો કે શાસ્તા પાસે જવાની હિંમત ચાલતી ન હતી.&lt;/p&gt; &lt;p&gt;એક વરસ ગયું, બે ત્રણ ને ચાર વરસ પછી એણે એક સમારંભમાં શાસ્તાને જોઇ. ને એનાં અવઢવ, સંકોચ સરી પડ્યાં. એ ઉતાવળા પગલે સામે ગયો. એનું મો ખીલી ઊઠ્યું હતું. આનંદ અને આશ્ચર્યથી આંખો ચમકતી હતી. પણ સામે જઇને ઊભો ને વાચા હણાઇ ગઇ. શું બોલવું, કેવી રીતે શરૂઆત કરવી ?&lt;br /&gt;પણ એને સામેથી આવેલો જોઇને શાસ્તાએ વિવેકથી પૂછ્યું, ‘કેમ છો?’&lt;br /&gt;’બસ તારી રાહ જોઉં છું.’ પોતાના માનસનો અહેવાલ તન્વયે આપી દીધો. પણ શાસ્તા કંઇ સમજી ના શકી. એને તો તન્વયના પરિવર્તનનો તાગ ન હતો તેથી પૂછ્યું, ‘એટલે ?’&lt;br /&gt;‘હું તને તેડવા આવું ? તું આપણા ઘેર ચાલ. ‘તન્વયે મનમાં ઘૂંટાતી વાત પૂછી કાઢી.&lt;br /&gt;‘હવે એ ઘર મારું ના કહેવાય.’ સંયતસૂરે શાસ્તા બોલી.&lt;br /&gt;‘શાસ્તા, એ ઘર તારું જ છે. હું અને મમ્મી પપ્પા તારી રાહ જોઇએ છીએ. તું ચાલ.’&lt;br /&gt;શાસ્તા ગંભીર અને ધીર પકૃતિની હતી. લાગણીમાં તણાયા વગર એ બોલી, ‘બીજી વાર કેમ એવું થયું ?’ તન્વયના બીજી વારના છૂટાછેડાની એને ખબર હતી.&lt;/p&gt; &lt;p&gt;‘શાસ્તા, સાચું કહું, તું મારી સાથે હતી ત્યારે મને કંઇ ભાન ન હતું કે હું તને કેટલો ચાહું છું, તું મારા ઊંડાણમાં કેટલી ઊતરી ગઇ છે, ત્યારે હું તારી સાથે ઝઘડતો હતો પણ તું ગઇ ને હું પાગલ થઇ ગયો છું. સ્વપ્નમાંય તને જોઉ છું ને મનોમન તારી સાથે વાતો કરું છું. મારા વાંકે જ આપણે જુદાં પડ્યાં. મને સાથે રહેતાં ના આવડ્યું. હું મારી જાતને નફરત કરું છું. હું મારી ભુલો, અણઆવડત કબૂલ કરું છું.’ તન્વય લાગણીવશ બોલે જતો હતો પણ શાસ્તા એ લાગણીના પૂરમાં ઘસડાયા વગર નિર્લેપભાવે બોલી, ‘જુદાં પડ્યાં પછી મોટા ભાગનાં પતિ-પત્ની આવું જ ફીલ કરતાં હોય છે. લગ્નની નિષ્ફળતામાં એમને પોતાનો જ વાંક દેખાય છે.’&lt;/p&gt; &lt;p&gt;શાસ્તાનો આવો અનાસક્ત ઉતર સાંભળ્યા છતાં તન્વય એવા જ આર્દ્રસૂરે બોલ્યો, ‘શાસ્તા, હું જે કહું છું એ સાચા મન થી કહું છું. મને મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે, હવે ફરીથી અવું નહીં થાય એનું વચન આપું છું. ચાલ આપણે કોર્ટમાં લગ્ન કરી લઇએ.’&lt;br /&gt;‘તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ બરાબર છે, પણ ફરીથી લગ્ન કરવાને સાથે રહેવા આટલું પૂરતું નથી.’ શાસ્તા એ  કહ્યું.&lt;br /&gt;‘તો તું બીજી કોઇ ગેરંટી માંગે છે, કઇ શરત કરવા ઇચ્છે છે ? હું બધા માટે તૈયાર છું.’&lt;br /&gt;‘હું લગ્ન વિશે શું માનું છું એ તો તમે જાણો છો, પહેલી વારે મેં તમને કહ્યું હતું ને આજે પણ એ પ્રમાણે જ માનું છું , કદાચ પહેલાં કરતાં પણ વધારે દ્રઢતાથી, મારી માન્યતા અને આદર્શમાં જરાય ફરક નથી પડ્યો.’&lt;br /&gt;‘તારાં એ માન્યતા અને આદર્શ હવે મારાં થઇ ગયાં છે કે લગ્ન એટલે સ્ત્રીની જિંદગીને પુરુષની જિંદગીના ચોકઠામાં ઢાળી દેવાની નહીં. લગ્ન એટલે હેતપ્રેમ અને સમજપૂર્વકનું સહજીવન. કોઇએ કોઇ પ્રકારનાં આગ્રહ કે અપેક્ષા નહીં રાખવાનાં. બેઉની રીત, માન્યતા, ટેવ, આચારવિચાર, આહાર વિહાર, અલગ અલગ હોઇ શકે.’ મૌખિક પરીક્ષામાં સવાલનો જવાબ આપતો હોય એમ તન્વય કડકડાટ બોલી ગયો.&lt;/p&gt; &lt;p&gt;‘ઓહ, તમને તો બધું યાદ છે. પણ આની સાથે તમે હ્રદયમનથી સંમત થાઓ છો ?’&lt;br /&gt;‘હા, હા, કેમ નહીં ? તારી વાત તદ્દન સાચી છે. દંપતી એવી રીતે જીવે તો જ જીવનમાં વિકાસ સધાય. આવી રીતે જ જીવવું જોઇએ.’ ઉત્સાહ થી તન્વય બોલ્યો.&lt;br /&gt;‘પણ તમે એવી રીતે જીવી શકશો ?’&lt;br /&gt;’હા, હું એવી રીતે જીવવા આતુર છું. શાસ્તા, સો સો વાર હું તને વચન આપું છું. આપણે એ રીતે જ જીવીશું. આપણા વિચ્છેદના અનુભવે મને ઘણું શિખવાડ્યું છે. શાસ્તા, હું ફરી વખત ભૂલ કરવા નથી માગતો. તને મારી પર વિશ્વાસ નથી આવતો ?’&lt;br /&gt;‘તન્વય, સાચું કહું તો હું ફરી લગ્ન કરવાનું વિચારતી જ નથી. એક વખતનાં એ અનુભવે મને એવી છિન્નભિન્ન કરે નાખી હતી, માંડ હું એ બધામાંથી બહાર આવી છું, હવે ફરીથી એ દિશામાં ડગ ભરવાનું સાહસ ના કરી શકાય.’&lt;br /&gt;‘આપણે છૂટાં પડ્યાં ત્યારે તું કેટલી વેદનાગ્રસ્ત હતી એ વખતનો તારો મૂરઝાયેલો ચહેરો હજીય મને બરાબર યાદ છે, એ યાદ આવે છે ને અંદરથી હું કોરાઉ છું. શાસ્તા, તું મને સતત યાદ આવતી હતી, તને હું યાદ નહોતો આવતો ? લાગણીસભર કંઠે તન્વયે પૂછ્યું.&lt;/p&gt; &lt;p&gt;‘વીતી ગયેલી જિંદગી ઝટ ભુલાય તો નહીં ને.’ શાસ્તાના અવાજમાં પણ ભીનાશ હતી.&lt;br /&gt;‘તો તું મને મળવા કેમ ના આવી ? મને એક વાર કહેવડાવ્યું હોત તો ?’ તન્વય સરળતાથી બોલતો હતો. શાસ્તા એને પોતાની લાગતી હતી.&lt;br /&gt;જવાબમાં શાસ્તા માત્ર હસી.&lt;br /&gt;તન્વયે આગ્રહપૂર્વક પૂછ્યું, ‘આપણે ફરીથી ક્યારે મળીશું ?’&lt;br /&gt;શાસ્તા મૌન જ રહે છે. તન્વય આજીજીપૂર્વક કહે જાય છે. ‘શાસ્તા, પ્લીઝ, તું પોઝીટીવ વિચાર કર. તું મળવાનું નક્કી કર. આપણે ફરી મળીશું નહીં તો મનમાં ઊઠતી શંકાઓનું નિરાકરણ કેવી રીતે આવશે ? આપણે એક કેવી રીતે થઇશું ?’&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા વિચારે છે કે તન્વય પરિવર્તન પામ્યો છે પણ સાથે રહેતાં ફરી એક વાર એનું અસલી સ્વરૂપ દેખા દે તો ? એ ચલાવી લેવાની મારામાં સહિષ્ણુતા છે ? એક વાર એ લાચારીમાંથી છૂટી છું તો ફરી વાર એમાં સપડાવાની જરૂર ખરી ?&lt;br /&gt;શાસ્તાને વિચારમગ્ન જોઇને તન્વય ફરીથી બોલે છે, ‘તારા મનમાં હજીય શું શંકા છે ?’&lt;br /&gt;‘તન્વય હવે જીવન વિશેની મારી સમજ ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં હું સુખી જીવન માટે લગ્ન અનિવાર્ય, આવશ્યક માનતી હતી. સંસાર, પોતાનો સંસાર રચાય તો જ પરમ સુખ મળે એવાં સંસ્કાર મને ગળથૂથીમાં મળ્યાં હતા. પણ અનુભવે સમજાય છે કે સુખ અનેક પ્રકારનાં હોય છે, સુખી થવાના અનેક માર્ગો છે, ક્યા માર્ગે સુખી થવાય એ માણસે પોતે, જાતે નક્કી કરવું જોઇએ. અને મને અનુભવે સમજાયું છે કે હું લગ્ન માટે નથી સર્જાઇ. મને મારી રીતે જીવતાં આવડી ગયું છે. લગ્નના નામે હું કંઇ છોડવા નથી ઇચ્છતી. ખંડિત થવા નથી માંગતી.’&lt;/p&gt; &lt;p&gt;‘શાસ્તા, લગ્નના નામે મારે કોઇ હક કે અધિકાર નથી જોઇતા.’&lt;br /&gt;‘તો શું જોઇએ છે ?’&lt;br /&gt;’સંગ, તારો સંગ. તું આપી શકે એટલો જ સાથ. શાસ્તા, હું તને એટલું જ કહેવા માગું છું કે હું તને પ્રેમ કરું છું. હું તારી રાહ જોઉં છું ને ચિરકાળ જોયા કરીશ.’ આટલું કહીને તન્વય ગયો.&lt;br /&gt;શાસ્તાનાં મનમાં ઊથલપાથલ મચી. શું કરું ? હું શું કરું ? એનાં મમ્મી – પપ્પાને પૂછ્યું. મમ્મી બોલી, ‘તું આટલી બધી ડિસ્ટર્બ થઇ ગઇ છે એ પરથી તને નથી સમજાતું કે તુંયે તન્વયને ઝંખે છે ?’&lt;br /&gt;‘પણ ફરીથી એવું જ બને તો ?’&lt;br /&gt;‘પણ, પણ શું ? શાસ્તા, તું મનમાં જરાય સંદેહ ના રાખ. તારા જીવનમાં મંગળ ઘટના ઘટે છે, એને રોકવા નકામા ફાંફાં ના માર. ફૂલ ખીલે છે, એમ જ જીવનમાં પ્રેમ પાંગરે છે, એને પાંદરવા દે. તું ભાગ્યશાળી છે દીકરી, અંતે તન્વય તને સમજી શક્યો છે. અને માનભેર, પ્રેમથી એ તને બોલાવે છે. હવે તું સમય ના બગાડ.’&lt;/p&gt; &lt;p&gt;શાસ્તા સમય બગાડ્યા વગર તન્વય સાથે ફરીથી પરણી ગઇ.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-2654295719250112395?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/2654295719250112395/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8495.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2654295719250112395'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2654295719250112395'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8495.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-7758065298368738309</id><published>2009-08-13T18:20:00.001-07:00</published><updated>2009-08-13T18:20:39.940-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;મોજથી જીવે જાઓ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;આરતી અને પ્રિયાંકનો હાઇસ્કુલનો અભ્યાસ પૂરો થવા આવ્યો. વિશેષ અભ્યાસ માટે તેઓ હવે દૂર જશે. હવે આપણું ઘર સૂનું પડી જશે.’ રાતદિવસ વિશાખા આ એક જ વાત રટ્યા કરે છે.&lt;br /&gt;’બધાં મા-બાપના જીવનમાં આવું બને છે. બધાંનાં સંતાનો દૂર દૂર જાય છે.’ અતુલ કહેતો.&lt;br /&gt;‘પણ મારાથી એમને નજર આગળથી દૂર ના કઢાય. શું છોકરાંઓને આટલા માટે જન્મ આપીએ છીએ, આટલા માટે ઉછેરીને મોટાં કરીએ છીએ કે, તેઓ આપણને સૂનાં મૂકીને જતાં રહે. એ જશે પછી આપણાં જીવનમાં શું રહેશે?’ વિશાખાનો બળાપો શમતો નથી.&lt;/p&gt; &lt;p&gt;અતુલ સમજાવે છે, “સંસારનો આ જ ક્રમ છે. આપણા ઉજજ્વળ ભાવિની ખેવનામાં અહીં આવીને આપણે વસ્યાં ત્યારે આપણાં મા-બાપનો વિચાર કર્યો હતો ? બધાં મા-બાપનો આવો અનુભવ છે.”&lt;/p&gt; &lt;p&gt;‘આપણે આપણાં મા-બાપને ભૂલી નથી ગયાં કાયમ માટે. અહીં વસવાનો એમને આગ્રહ કરીએ છીએ. એ નથી આવતાં તો આપણે શું કરીએ ? તો ય તેઓ પાંચેક વાર અહીં આવી ગયાં, એક-બે વરસે આપણે એમને મળવા જઇએ છીએ. મહિને મહિને કોલ કરીએ છીએ. તેઓ દૂર વસે છે પણ હૃદયથી નજીક છે. જયારે આ આરતી ને પ્રિયાંક તો ઘર છોડવા થનગની રહ્યાં છે. કોણ જાણે આપણે એમને બાંધી રાખ્યાં હોય અને એમનો છૂટકારો થવાનો હોય એમ રોજ સ્વતંત્ર થવાની વાતો કરે છે, તેઓ કેવો રોમાંચ અનુભવે છે. જાણે કોઇ રાજપાટ મળી જવાનાં હોય.’&lt;br /&gt;&lt;span id="more-911"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;‘આ બધું સ્વાભાવિક છે, વિશાખા, સ્વતંત્ર જીવન કોણ ના ઝંખતું હોય ? તારે ખુશ થવાનું કે આપણાં સંતાનો પરિપક્વ થતાં જાય છે. સ્વતંત્ર રીતે જીવવા કાબેલ બન્યા છે. આપણે એમને સારા-ખોટાં નો વિવેક શીખવ્યો છે, ભારતીય્ સંસ્કારો સીંચવ્યાં છે તેથી કોઇ ફિકર નહી કરવાની.’ અતુલે કહ્યું.&lt;br /&gt;‘છોકરાંઓ ખોટા માર્ગે જશે એનો મને ડર નથી, આજ સુધી એમણે આપણું સાંભળ્યુ છે ને ભવિષ્યમાં પણ સાંભળશે, આપણી સલાહ માનશે એની મને ખાતરી છે પણ ઘર છોડીને દૂર જવા તેઓ જે રીતે આતુર છે એ મને ખૂંચે છે. એક પળ માટેય તેઓ એવું નથી વિચારતાં કે મમ્મી-પપ્પા સૂનાં પડી જશે. આપણાં વગર મમ્મી-પપ્પા શું કરશે? એમનો સર્વાંગી વિકાસ થાય માટે, એમની પર સંપૂર્ણ ધ્યાન આપવા મેં બીજી સ્ત્રીઓની જેમ નોકરી નથી કરી. સતત એમની સાથે રહી છું, એમના વિકાસની નાનામાં નાની વિગત મારી ડાયરીમાં મેં નોંધી છે.’&lt;/p&gt; &lt;p&gt;‘અતુલ, તું તો તારી જોબ માં જ ડૂબેલો રહ્યો છે, એટલે તને ના લાગે પણ હું તો એમનામય થઇને જીવી છું. એમની જુદાઇના વિચારથી હું બેચેન થઇ જાઉં છું તો એમને કેમ કશું થતું નથી.’&lt;br /&gt;‘બાળકો તો એમના વિચારોમાં જ મસ્ત હોય. એ દુ:ખી ના થાય એ જ વધારે સારુ છે, અને તું આટલાં વરસો એમની સાથે આનંદ-કિલ્લોલ કરીને મસ્તીથી જીવી માટે ઇશ્વરનો આભાર માન. હવે સંતાનોની પ્રગતિ દૂરથી જોવાની અને ખુશ થવાનું.’&lt;br /&gt;‘ના, એવી રીતે હું ખુશ ના રહી શકું.’&lt;br /&gt;‘તો શું સંતાનો તને બંધાયેલા રહે ? વિશાખા, એમાં તો એમનો વિકાસ રૂંધાઇ જાય. એ ઇચ્છનીય નથી, સંતાનોના હિતમાં નથી. એવી અવ્યવહારુ ઇચ્છાઓ રાખીને દુ:ખી ના થવાય. તું તટસ્થ રીતે બુધ્ધિથી વિચાર. હવે આપણા જીવનનો એક તબક્કો પૂરો થયો. આપણી ફરજ સરસ રીતે પૂરી થઇ. હવે ભવિષ્યમાં આપણે બે કેવી રીતે જીવીશું એનું આયોજન કરવાનું. સંતાનો આપણાં જીવનનાં કેન્દ્ર સ્થાનેથી દૂર જાય છે એટલે આપણા પ્રેમની સમાપ્તિ નથી થઇ જતી. આપણું જીવન પૂરું નથી થઇ જતું. હવે હું ને તું આપણી બાકી રહેલી ઇચ્છાઓ, શોખ, પ્રોજેક્ટો પૂરાં કરીશું અને તને સાચું કહું તો છોકરાંઓ દૂર રહીને વિકાસ સાધે એ જ ઉત્તમ છે. વેદકાળમાં આપણાં દેશમાં બાળક પાંચ વરસની ઉંમરે માબાપ અને ઘરેથી દૂર ગુરુને ત્યાં વિધા સંપાદન કરવા જતો હતો ને ! ત્યારે મા બાપ એકલાં નહીં પડી જતાં હોય ?’&lt;br /&gt;‘અતુલ, તું તો ક્યાંનો ક્યાં સંદર્ભ આપીને મારી વાત ઉડાવી દે છે. તું કેટલો બદલાઇ ગયો છે, જાણે તારામાં લાગણી જ નથી રહી. તું પહેલાં આવો નહોતો.’&lt;br /&gt;‘જો પ્રશ્ન લાગણીનો નથી. પ્રશ્ન આજની પરિસ્થિતિ નો છે.આજના સમયકાળનો છે. આપણે જો આધુનિક જિંદગી જીવવી હોય, સુખથી રહેવું હોય તો પ્રેક્ટીકલ થવું પડે, સમયની માંગ સમજવી પડે. વિશાખા, લાગણીઓમાં તણાઇને તું ભૂખીતરસી બેસી રહીશ તો આ દેશમાં કોઇ તને ખવડાવવા – પિવડાવવા નહી આવે. કોઇ તને પૂછશે નહી કે કેમ તું ઉદાસ છે ? આપણે જ આપણી જાતને સંભાળતાં શીખવું જોઇએ. પ્રસન્નતા જાળવતાં શીખવું જોઇએ. અહીં કોઇને કોઇનો વિચાર કરવાની ફુરસદ નથી, દરેક પોતપોતામાં મસ્ત રહે છે. આમાં લાગણીની ન્યુનતા કે ઓછપ નથી. અહીંની વિચારસરણી જ એ જાતની છે. આપણાં સંતાનો આ વાતાવરણમાં મોટાં થયાં છે. તેઓ આપણી પાછળ વ્યગ્ર નહીં થાય, વ્યથિત નહી થાય. અહીં આપણે અવારનવાર લોકોના મોઢે સાંભળીએ છીએ કે ‘એ તો એની સમસ્યા છે, આપણે શું?’ આ દેશમાં કોઇ કોઇની ચિંતા કરતું નથી. અહિંના જીવનની આ વાસ્તવિકતા છે, ગમે તેટલી કઠોર રહી પણ સ્વીકારવી રહી. આપણાં સંતાનો આપણી સાથે નથી રહેવાનાં, ધારે તોય ના રહી શકે એ આપણે પહેલેથી જ જાણતાં હતા પછી આ હાયવોય ને કલેશ શું કામ? છોકરાં મારાં જેવી લાગણી કેમ નથી અનુભવતાં એવી ફરિયાદ શું કામ?’&lt;/p&gt; &lt;p&gt;‘અતુલ, આપણું ઘડપણ કેવું વીતશે, આપણે શું કરીશું, તને કોઇ ચિંતા નથી ? આપણા કરતાં આપણાં માબાપ સુખી છે કે આપણે એમની ચિંતા કરીએ છીએ. આપણને એમની દરકાર છે તેની એમને ખાતરી છે. આપણે સતત એમના સંપર્કમાં રહીએ છીએ. આપણે જુદી જુદી રીતે લાગણી પ્રદર્શિત કરીને એમના જીવનને ભરી દેવા પ્રયત્ન કરીએ છીએ.’&lt;br /&gt;‘તો આપણાં છોકરાંઓ ય મધર્સ ડે, ફાધર્સ ડે, થેંક્સગિવિંગ ડેના દિવસે કાર્ડ ભેંટ આપે છે. તેઓ નાના હતાં ત્યારે કેવા ભાવથી જાતે કાર્ડ બનાવતા હતાં. અત્યારે એમની પાસે વખત નથી એટલે કાર્ડ જાતે નથી બનાવતા પણ ખરીદીને આપવાનું ભૂલતાં નથી. કાર્ડની એમની પસંદગી, અંદરનું લખાણ કેટલું ભાવવાહી હોય છે. કાર્ડને ભેંટ મળે ત્યારે આપણે કેવાં ખુશ થઇ જઇએ છીએ. અને જો સાંભળ, આપણાં વગર આપણાં મા-બાપની રોજેરોજની જિંદગી સૂની પડી ગઇ હતી. ખાલી ઘર એમને ખાવા ધાતું હતું. છતાંયે તેમણે મનને મનાવી લીધું. તેઓ જીવે છે, આનંદથી જીવે છે, ફરિયાદ વગર જીવે છે. આપણે આપણાં મા-બાપની જેમ બદલાતી જતી જીવનરીતિને અનૂકુળ થઇને જીવવાનું. તું વિચાર, આપણાં આ નાનકડાં ટાઉનમાં મેડીકલ કોલેજ છે ? લો કોલેજ છે ? ફાર્મસી કોલેજ છે ? નથી. તો ભણવા તો દૂર જવું જ પડે ને ! પછી જોબ જ્યાં મળશે ત્યાં રહેશે. આ બધું આપણે જાણીએ છીએ. આ બધું સ્પષ્ટ છે, નિશ્ચિત છે તો એનાંથી તું ઉદ્વેગ કેમ પામે છે? તું મગજ શાંત રાખ અને જિંદગી જે રૂપ લે એ માણ. નવી સ્વતંત્ર જિંદગીનો સંતાનને ઉત્સાહ ઉત્સુકતા છે, તેનો તું પણ અનુભવ કર, તો તારી જિંદગીમાં કોઇ ઉણપ નહી વર્તાય. હવે પછી આપણી જિંદગી સમાંતરે જીવાશે, આપણી અને એમની વચ્ચે કોઇ દિવાલ નહી ચણાય. પ્રેમ છે અને રહેશે એની તું ખાતરી રાખ. હા, પ્રેમની ઉત્કટતા, તીવ્રતા ઓછી થઇ જશે પણ તેનું નામ તો જિંદગી છે.’&lt;/p&gt; &lt;p&gt;વિશાખા એકની એક વાત ઘુંટ્યા કરે છે પણ એ અકળાતો નથી, ગુસ્સે થતો નથી, બેદરકાર થતો નથી. એ પત્નીને બરાબર સમજે છે. અને પ્રેમથી સાંત્વન આપીને નોર્મલ રાખે છે. છતાં વિશાખા પણ વાતે વાતે બોલે છે, કોણે ખબર ઘડપણ કેવાં જશે? હા, ભુખ્યાં-તરસ્યાં નહીં રહીએ, પેટ ભરાશે પણ હૃદયમનનું શું? કોણ આપણી વાતો સાંભળશે ? માંદાં પડીશું તો જાતે નર્સિંગહોમમાં દાખલ થઇશું, શ્રેષ્ઠ દાકતરી સારવાર પણ મળશે પણ પ્રેમથી કોણ પંપાળશે, લાડ કરીને કોણ દવા પિવડાવશે ? અરે જાતે જ દવા લઇને સાજા થઇશું, એંશી વરસેય આપણે જોમ અનુભવીશું પણ એ જિંદગીમાં રસ હશે ? ઉત્સાહ હશે ? મોજ હશે ?&lt;/p&gt; &lt;p&gt;અતુલ કહે છે, ‘મનને તાજગી ભર્યુ અને યુવાન રાખવુ હોય તો સાહિત્ય અને કલામાં રસ લેવાનો, સમાજસેવા કરવાની. બાકી આ ક્ષણમાં જીવ. જે ભવિષ્ય દૂર છે એની ચિંતા અત્યારથી શું કામ? જીવન એની મેળે માર્ગ કરી લે છે. મન એની મેળે શોક, સંતાપ, ગૂંગળામનથી ઉપર ઉઠે છે. મન અંધારાનો જીવ નથી અને જીવન સમસ્યા નથી, જીવન તો અણમોલ લ્હાવો છે. મોજથી, મસ્તીથી માણો અને સહુને માણવા દો.’&lt;/p&gt; &lt;p&gt;અતુલની વાતોથી વિશાખાનું ચિત્તમન શાંત પડે છે. એનું મન સાંત્વના પામે છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-7758065298368738309?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/7758065298368738309/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2002.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7758065298368738309'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7758065298368738309'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2002.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-1959593403142491130</id><published>2009-08-13T18:18:00.001-07:00</published><updated>2009-08-13T18:18:48.512-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;સંસ્કારની સૌરભ  –  અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;પીયુષે ઘરમાં અરુણા સાથે લગ્ન કરવાની વાત કહીને મધુભાઇ ઘાટો પાડીને બોલ્યા, ‘બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન ? ના, ના હું નહિ ચલાવી દઉં.’&lt;/p&gt; &lt;p&gt;મધુભાઇએ અરુણાના ગુણ, સંસ્કાર, ભણતર કશુંય જોયા વગર વિરોધ કર્યો. પીયૂષ વિનંતીના સૂરમાં બોલ્યો, ‘બીજી જ્ઞાતિની છોકરી એટલે એના નામ પર ચોકડી મારી ના દો, પણ એક વાર એનાં મા-બાપને મળો, એના ઘરને જુઓ, એને જુઓ ને કોઇ નિર્ણય લો !’ પણ મધુભાઇએ દીકરાની વાત સાંભળી જ નહિ. મધુભાઇનો સ્વભાવ જ એવો હતો. પોતે કહે એ જ સાચું, પોતે કહે એમ જ ઘરનાંએ કરવાનું. આજ સુધી ઘરમાં એમનો બોલ કદી ઉથાપાયો ન હતો. એમની ઇચ્છા આજ્ઞા બરાબર હતી.&lt;/p&gt; &lt;p&gt;પણ લગ્નની બાબતમાં પીયૂષે બાપનું કહ્યું ન માન્યું. એણે અરુણા સાથે કોર્ટમાં લગ્ન કર્યાં ને એને ઘરમાં લઇ આવ્યો. બાપને પગે લાગ્યો, ત્યારે બાપે મોં ફેરવી લીધું. મધુભાઇએ દીકરાને આશીર્વાદ ન આપ્યા તેથી મધુભાઇનાં પત્ની તારાબહેન પણ મૂંગા જ રહ્યાં. રાગિણી પણ ઇચ્છા હોવાં છતાં ભાઇભાભીની આવકારી શકી નહીં. કોઇનું મૃત્યું થયું હોય એમ ઘરમાં ભારેખમ વાતાવરણ થઇ ગયું, પરંતુ પીયૂષ ઘર છોડીને ગયો નહિ.&lt;br /&gt;&lt;span id="more-932"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;એ સારું ભણેલો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદા પર હતો. કંપની તરફથી રહેવા ફ્લેટ મળતો હતો પણ એક જ શહેરમાં રહેવું અને મા-બાપની જુદા ! એ એકનો એક દીકરો હતો. માબાપે ખૂબ પ્રેમ અને જતનથી એને ઉછેર્યો હતો. એણે માબાપને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરીને દુઃખ તો પહોંચાડ્યું હતું. હવે એમને વધારે દુભાવવા એ તૈયાર ન હતો. એ પત્નીને લઇને ઘરમાં જ રહ્યો. પીયૂષ નોકરીએ જાય પણ અરુણા તો આખો દિવસ ઘરમાં રહેતી. રસોઇ કરતી ને ઘરનાં નાનાં મોટાં કામ કરતી. મધુભાઇ વહુની ચાકરી સ્વીકારતા, પણ પ્રેમથી એની સાથે બોલતા નહિ.&lt;/p&gt; &lt;p&gt;અરુણા ધીરજથી સસરાના હ્રદય પરિવર્તનની આશા રાખી રહી હતી. ત્યારે મધુભાઇ દિવસમાં એકવાર તો બોલતા, ‘દીકરો છો ને વહુ બીજી જ્ઞાતિની લાવ્યો, પણ જમાઇ તો મારે શોધવાનો છે, હું આપણા ગોળનો જ છોકરો શોધીશ. આપણા ગોળનો હોય તો સગાનું સગપણ રહે, મીઠાશ રહે.’&lt;/p&gt; &lt;p&gt;સવાર સાંજ ઊઠતાં બેસતાં એક વાર તો આ રીતે હૈયાવરાળ નીકળે જ. અરુણા ચૂપચાપ સાંભળી રહે. એનાં માબાપ શિક્ષિત અને સુધારક હતાં. અરુણાએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યાં, એમાં એમને કોઇ વાંધો ન હતો. તેઓ દીકરીનાં સાસરિયાં સાથે સંબંધ બાંધવા ઇચ્છતા હતાં. તેમણે બેચાર વાર મધુભાઇને મળવા આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મધુભાઇએ કદી એમને ભાવથી આવકાર્યા ન હતા. વિવેકથી પાસે બેસાડ્યા ન હતા. હેતથી વાતચીત કરી ન હતી. તેથી અરુણાએ જ કહ્યું હતું, ‘તમને જુએ છે ને મારા સસરાનો ઉશ્કેરાટ વધી જાય છે માટે હમણાં તમે મારાં ઘેર આવશો નહીં.’&lt;/p&gt; &lt;p&gt;એકાદ વરસ આમ જ વીત્યું, મધુભાઇની મનોદશામાં કે ઘરની પરિસ્થિતિમાં કોઇ ફરક પડ્યો નહિ. અરુણાને એ પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી શક્યા ન હતા. બધા ઉદ્વેગમાં જીવતાં હતાં ત્યાં પીયુષને કંપની તરફથી પરદેશ જવાનું થયું. પીયુષ અને અરુણા પરદેશ ગયાં. ત્યાં ગયા પછી પીયુષ દર મહિને નિયમિત પૈસા મોકલતો, ને એ તથા અરુણા વિગતવાર લાંબા પત્રો લખતાં પણ મધુભાઇ કદી જવાબ લખતા નહિ ને એમની ધાકના લીધે ઘરમાંથી ય કોઇ જવાબ લખી શકતું નહિ.&lt;/p&gt; &lt;p&gt;સમય જતાં રાગિણી માટે એમણે એમની જ્ઞાતિનો મુરતિયો જોઇને પરણાવી દીધી. એ લગ્નમાં એમણે પીયુષ કે અરુણાને આમંત્રણ પણ ન પાઠવ્યું. દીકરાની સાવ અવગણના કરી. દીકરા અને વહુ પર જાણે દાઝ કાઢી. તેઓ ખુશખુશાલ હતા કે દીકરીને પોતાની જ્ઞાતિમાં પરણાવી પણ એ ખુશાલી લાંબું ન ટકી. દીકરીના સાસરિયાં લાલચુ ને લોભી હતાં. એ વારંવાર નવી નવી ચીજવસ્તુઓની માગણી કરતા ને રાગિણી વિરોધ કરે તો એને મારઝૂડ કરતાં.&lt;/p&gt; &lt;p&gt;મધુભાઇ દીકરીને પોતાના ઘેર પાછી તેડી લાવ્યા. પીયુષ અને અરુણાને ખબર પડી તો તેઓ તરત ઇન્ડિયા આવ્યાં. રાગિણીને પૂછ્યું, ‘બહેન, બોલ તારી શું ઇચ્છા છે ? એ ઘેર પાછી જવા ઇચ્છતી હોય તો એમની માગણી મુજબ બધી વસ્તુઓ આપીએ. અમે તને સુખી જોવા ઇચ્છીએ છીએ.’&lt;br /&gt;રાગિણીએ કહ્યું, ‘ના, એ લાલચુ લોકોના ઘેર મારે નથી જવું.’&lt;br /&gt;‘તો છૂટાછેડાની કાર્યવાહી કરીએ.’&lt;/p&gt; &lt;p&gt;છૂટાછેડાનું નામ સાંભળ્યું તો મધુભાઇ ભડકી ઊઠ્યા, ‘ના, ના, આમ કરવાથી તો આબરૂ જાય.’ પણ પીયુષે એમને સમજાવ્યા, મનાવ્યા ને રાગિણીને છૂટાછેડા લેવડાવ્યા. પછી એને બીજે ઠેકાણે પરણાવી. રાગિણીના જીવનને સુંદર વળાંક મળ્યો. હવે એ ખુશ હતી. સુખી હતી. મધુભાઇ દીકરા-વહુ તરફ કૂણા બન્યા. હવે તો એ ઊઠતા બેસતા બોલતા, ‘પ્રભુએ મને બધાં સુખ આપી દીધા. હવે મારા પીયુષના ઘેર એક બાળક આવી જાય એટલે બસ.’&lt;/p&gt; &lt;p&gt;ઇશ્વરે એમની એ ઇચ્છા ય પૂરી કરી, પીયુષના ઘેર દીકરાનો જન્મ થયો. મધુભાઇ અને તારાબહેન અમેરિકા જઇને પૌત્રને રમાડી આવ્યાં. ને નીકળતાં પહેલા કહ્યું, ‘દીકરો સવા વરસનો થાય એટલે તમે ઇન્ડિયા આવજો. આપણે એની બાબરી ઊતરાવીશું, મોટો જમણવાર કરીશું.’ પણ મધુભાઇની એ ઇચ્છા ન ફળી. જોબ પર જતા પીયુષની કારને અકસ્માત થયો ને તત્કાળ સ્થળ પર જ એનું અવસાન થયું. મધુભાઇ કકળી ઊઠ્યા, ‘ઓ ભગવાન આ તેં શું કર્યું ?’ કલ્પાંત કરતા મધુભાઇને સાંત્વન આપતા સૂરે અરુણા બોલી, ‘બાપુજી, તમે પડી ભાંગશો તો અમારું કોણ ? તમે હિંમત રાખો.’&lt;br /&gt;‘બેટા, તમે અહીં ક્યારે આવશો ?’&lt;br /&gt;‘અહીંનું સમેટીને હું ત્યાં આવું છું.’ ને બેત્રણ મહિનામાં તો અરુણા નાનકડા દીકરા હર્ષને લઇને દેશમાં આવી. આવીને સસરાને પગે લાગીને પીયુષના વિમાની પૂરી રકમ સસરાના હાથમાં મૂકી.&lt;br /&gt;‘આ શું ? વિમાની રકમ પર તમારો હક હોય, તમે રાખો.’&lt;/p&gt; &lt;p&gt;‘બાપુજી, આ રકમ તમારી પાસે રાખો.’ વહુની વાત સાંભળીને મધુભાઇના મગજમાં વિચાર ચમક્યો, અરે વહુ તુ તો યુવાન છે, આખી જિંદગી એ શું કામ વૈધવ્ય પાળે ? એ ફરી લગ્ન કરવા માંગતી હશે, માટે એનો દીકરો મને સોંપવા ઇચ્છતી હશે ને એની પરવરિશ માટે આ રકમ આપે છે. પરંતુ હવે એમનું હૈયું સહાનુભૂતિપૂર્ણ બન્યું હતું, અરુણાની દૃષ્ટિએ વિચાર કરીને એ બોલ્યા, ‘તમે બીજે ગોઠવાઓ તો ય આ પૈસા હશે તો તમને સુગમતા રહેશે, તમે મારી ચિંતા ન કરો.’&lt;/p&gt; &lt;p&gt;અરુણા એકાદ ક્ષણ મૌન રહી, પછી ગળગળા અવાજે બોલી, ‘આ પળે તો મારો એવો વિચાર નથી. આ હર્ષને ઉછેરવામાં કેળવવામાં મારું ધ્યાન કેન્દ્રિત કરવા ચાહું છું.’&lt;br /&gt;‘તો આ પૈસા એના નામે મૂકો.’&lt;br /&gt;‘બાપુજી, એના માટે તો હું કમાઇ લઇશ. આ રકમ તમે તમારી પાસે જ રાખો. તમને ટેકણ લાકડી લાગે.’&lt;br /&gt;‘બેટા, મારે પૈસો નથી જોઇતો. આજ સુધી તમે જે રીતે મારું ધ્યાન રાખ્યું છે એ રીતે ધ્યાન રાખજો.’&lt;br /&gt;‘બાપુજી, ધ્યાન તો હું રાખીશ પણ આ પૈસા ય તમારા હસ્તક રાખો. ઘડપણમાં પૈસો તાકાત ગણાય.’&lt;br /&gt;અરુણાના શબ્દો સાંભળીને મધુભાઇ રડી પડ્યા. ઓહ જેને હું પારકી કહેતો હતો, મારા ઘરમાં આવકારતો ન હતો એ મારો કેટલો ખ્યાલ રાખે છે ! એ કેટલી ઉદાર છે !&lt;/p&gt; &lt;p&gt;એણે ધાર્યું હોત તો આ હર્ષ મને સોંપીને ફરી લગ્ન કરત, પણ ના, એ તો મારો ખ્યાલ રાખે છે. એમના હ્રદયમાંથી પુત્રવધૂ માટે આશીર્વાદનો ધોધ વહ્યો. હર્ષને છાતી સરસો ચાંપીને એ બોલ્યા, ‘બેટા અરુણા, મારી ખરી તાકાત તો તમે છો. આ હર્ષ છે. પ્રભુ તમને બેઉને સલામત રાખે.’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-1959593403142491130?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/1959593403142491130/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7263.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1959593403142491130'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1959593403142491130'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7263.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-7233419045835614150</id><published>2009-08-13T18:16:00.000-07:00</published><updated>2009-08-13T18:17:08.140-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;ઋજુતા સ્વભાવથી જ રોમેન્ટીક. એ કિશોરાવસ્થામાં હતી ત્યારથી સ્વપ્નાંની રંગીન સૃષ્ટિમાં વિહરતી થઈ ગઈ હતી. સવાર બપોર સાંજ એ પ્રેમનું ગીત ગણગણતી જ હોય.&lt;/p&gt; &lt;p&gt;કિસલય સાથે એનાં લગ્ન થયાં ને એ નાચી ઊઠી. એ વિચારે કે, હવે જ ખરી જિંદગીનો આરંભ થશે. રોજરોજ પોતે અવનવા શૃંગાર સજશે. એક વાર ધારણ કરેલાં વસ્ત્રો કે અલંકાર એ બે-ચાર મહિના સુધી તો બીજી વાર પહેરશે જ નહિ. જાતજાતની સ્ટાઈલનાં ડ્રેસ એણે લીધેલાં. દરેક ડ્રેસને અનુરૂપ જ્વેલરી. કેટલીય જાતની હેરસ્ટાઈલ શીખેલી. એ વિચારતી કે, રોજ હું સાવ નૂતન સ્વરૂપે કિસલય સામે જઈશ. એ વિસ્મયથી મને જોઈ રહેશે ને પૂછશે : ‘આ તું છે ?’ મારી પાછળ એ પાગલ થઈ ઊઠશે. એનો ઉન્માદ કદી ઠંડો નહિ પડે.&lt;/p&gt; &lt;p&gt;આવી કલ્પનાઓમાં રાચતી એ કિસલય પાસે જતી પણ કિસલય તો એની સામે નજરે ન માંડે. એક પ્રેમોદ્દગાર એના મોંએ ના આવે. પત્નીના નાજુદ સંવેદનો એને સ્પર્શે જ નહિ. પત્નીની ઉત્તેજનાનો પ્રતિઘોષ ના પાડે. ઋજુતા ઉન્માદભર્યા સ્વરે અધીરાઈથી પૂછે : ‘હું કેવી લાગું છું ?’ કિસલય એકદમ સ્થિર નજરે એકાદ ક્ષણ એને જોઈ રહે પછી ઠંડા અવાજે ધીમેથી કહે, ‘સારી લાગે છે. પણ માણસે બાહ્ય દેખાવ પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. માણસે સદ્દગુણો કેળવવા જોઈએ. બહારની ટાપટીપ નહીં પણ આત્માના વિકાસ માટે જાગ્રતપણે કોશિશ કરવી જોઈએ.’&lt;br /&gt;&lt;span id="more-1073"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;પતિના કહેવા પર ધ્યાન આપ્યા વગર ઋજુતા કિસલયની નજીક સરકીને લાડથી કહેતી : ‘કિસલય, કવિઓ રંગીન વસંતના ગીતો ગાય છે, ચિત્રકારો કુદરતમાં ફોરતી વસંતના રંગે રંગાઈને નૃત્ય કરતાં યુવાન યુગલનાં મસ્તીભર્યા ચિત્રો દોરે છે, ગામડાના અબુધ જુવાનિયા અને શહેરના કોલેજિયનો વસંતોત્સવ માણે છે, રંગબેરંગી વસ્ત્રો પહેરી પાગલ બનીને તેઓ ઝૂમી ઊઠે છે. સ્થળ સમયનું ભાન તેઓ વિસરી જાય છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ આ માનસિક અવસ્થાને સ્વાભાવિક ગણે છે. જીવનમાં મનુષ્ય જ નહિ પણ પશુપંખી ય રંગરાગ અને મસ્તીની ખેવના રાખે છે. કિસલય, આનંદ જ જીવન છે. તો તું કેમ નિયંત્રિત અને સંયમી જિંદગીની વાત કરે છે ? આપણા નવજીવનનો આરંભ આવો નીરસ ? વસંતકાળે પાનખરની બોલબાલા ?’&lt;/p&gt; &lt;p&gt;ઋજુતા ભાવાવેશમાં આવેગથી બોલે જતી હતી, એના શબ્દો છેક ઊંડાણમાંથી આવતા હતા. કિસલય એકાદ પળ ઋજુતા સામે જોઈ રહ્યો પછી કઠોર સ્વરે ધૂત્કારતાં બોલી ઊઠ્યો : ‘મને નખરાં પસંદ નથી. માણસે આગળ વધવું હોય, કંઈક બનવું હોય તો છીછરાપણું ના ચાલે.’&lt;br /&gt;‘આનંદ કરવો એ છીછરાપણું છે ? આછકલાઈ છે ? ઓ કિસલય તું શું કામ તારી જાતને એવી સંકુચિત શુષ્ક વાતોમાં જકડી રાખે છે ? જાતે ને જાતે આપણી આજુબાજુ કેદખાનાની દીવાલો ઊભી કરે છે ? લોકો મુક્તિ ઝંખે, આકાશમાં ઊડવા આતુર હોય ત્યારે તું પોથીપંડિતોની રુગ્ણ મનોદશામાંથી ઊભા થયેલા આદર્શોની ખોખલી ભૂલભૂલામણીમાં ફસાય છે ? એ જાળાં ઝાંખરામાંથી, કિસલય, તું બહાર આવ. સ્વતંત્રપણે તારા પોતાના મનથી તું વિચાર. તાર હૈયા પર હાથ મૂકીને તું કહે કે, ‘શું તારું હૈયું મોજમસ્તી નથી ઝંખતું ? કોઈ પણ પ્રકારના છોછ વગર જીવવાનું આપણા પ્રાચીન કવિઓ કહી ગયા છે અને આધુનિક કવિઓ પણ ખુલ્લા હૃદયમનથી જીવવાનો મહિમા કરે છે. મન મૂકીને જીવો તો જ જીવન કહેવાય, નહિ તો જીવન ભારરૂપ બની જાય.’ ઋજુતા નિ:સંકોચ હૈયું ખોલીને પોતાની માન્યતાઓ જણાવે છે.&lt;/p&gt; &lt;p&gt;પરંતુ કિસલય તો કંઈ કેટલીય ગ્રંથિઓથી જકડાયેલો હતો. એ ઋજુતાની રીતે વિચારી નથી શકતો. સ્ત્રીના માનસનો ખ્યાલ કરવાની આવશ્યકતા એ સમજતો નથી. એ ગંભીરતાથી બોલ્યો : ‘ઋજુતા, જીવન બહુ મોટી વાત છે, એની ગંભીરતા અને ગહનતાને આમ ઉપરછલ્લી રીતે ના લેવાય. રંગરાગ અને મસ્તીમાં પગ રાખીએ તો આપણે ડૂબવા માંડીએ, નષ્ટ થઈ જઈએ. આપણી શક્તિઓ વેડફાઈ જાય.’&lt;/p&gt; &lt;p&gt;કિસલયની વાત સાથે ઋજુતા સંમત થઈ શકતી નથી. એને થાય છે કે જીવનમાં રંગ ના હોય, મસ્તી ના હોય તો એ જીવનને કરવાનું શું ? બધું સુસ્ત સપાટ નીરસ ! એવા જીવનમાં સુખ શું ? ઋજુતા અકળાઈ ઊઠી. આવા શુષ્ક માણસ સાથે જીવન કઈ રીતે પસાર થશે ? આ તો ગુંગળાઈ જવાય. એ બોલી : ‘કિસલય, તેં લગ્ન શું કરવા કર્યા ? તું મને, મારી લાગણીઓને સમજવા પ્રયત્ન કેમ નથી કરતો ? મારો આ તલસાટ તને કેમ સ્પર્શતો નથી ! મારે હીરામાણેક મોતી કે સોનાચાંદીના અલંકારો નથી જોઈતા, મબલખ દોલત નથી જોઈતી. મને કોઈ ભૌતિક ચીજવસ્તુનો મોહ નથી. મારે તો તારો ભરપૂર પ્રેમ જોઈએ. એ પ્રેમની રંગભરી મોજ જોઈએ, ઉમળકાભર્યો સંગ જોઈએ. ભલે તું તારા મોંથી મને ‘આઈ લવ યુ’ ના કહે પણ તારી આંખોમાં તો એ ભાવ મને વંચાવો જોઈએ. તારી આંખોમાં મારા માટે પ્રેમનો મહાસાગર ઘૂઘવતો હોવો જોઈએ. કિસલય, માત્ર હું નહિ દરેકે દરેક નારી એના પતિનો પ્રેમભર્યો ઉત્કટ સંગ ઈચ્છે, એમાં કશું અજૂગતું નથી. બધું સ્વાભાવિક છે. જીવનમાં જો એ મળે તો સ્ત્રી પરમ તૃપ્તિ પામે છે. એ પછી જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે તકલીફો આવે સ્ત્રી એનો પ્રતિકાર કરી શકે છે. જીવનમાં એ રંગ અને રસ એના હૃદયને એવું ભરી દે છે કે પછી કોઈ ઉણપ કે અભાવ સાલતા નથી.’&lt;/p&gt; &lt;p&gt;પત્નીની આર્દ્રતાભરી વાણીથી ભીંજાવાના બદલે કિસલય ધૂંધવાઈને બોલ્યો : ‘તારી આવી બહેકી બહેકી વાતો મારા મગજમાં ઊતરતી નથી. હલકું સાહિત્ય અને થર્ડ કલાસ ટી.વી. સિરિયલો જોઈને તારામાં આવા નિમ્ન પ્રકારના ટેસ્ટ કેળવાયા છે. તારામાં સારા સંસ્કારોનું સિંચન થયું નથી. તારે સાદાઈ અને સંયમના પાઠ ભણવાની જરૂર છે.’&lt;/p&gt; &lt;p&gt;કિસલયના વિચારની જડતા છે, એ પોતાનું દ્રષ્ટિબિંદુ છોડીને પત્નીની નજરે વિચારી શકતો નથી. ઋજુતાના ઉમંગ, ઉલ્લાસ, ઝંખનાને સમજવા પ્રયત્ન કરતો નથી. ઋજુતા યૌવનનો ઉંબરો વટાવી ચૂકેલી એક નવવિવાહીતા છે. એના હૈયે શું અરમાન છે એ જાણવાની પતિ તરીકે કિસલયને કોઈ ઈંતેજારી નથી. પોતાની પત્નીમાં એને રસ નથી. પત્નીમાં રસ લેવાની પતિની ફરજ છે એવું ય એ માનતો નથી. પત્નીને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, અલગ સંવેદનતંત્ર છે, એને પોતાના વિચારો અને ઈચ્છાઓ છે એવું સમજવાની કિસલયમાં બુદ્ધિ નથી. દામ્પત્ય એટલે શું એ, એ સમજતો જ નથી.&lt;/p&gt; &lt;p&gt;પતિ-પત્ની બે અલગ હોય છે. બે મટીને એક થવું એ એક મોટો પડકાર છે. પોતાના ‘હું’ ની બહાર નીકળીને જીવનસાથીની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઈચ્છા જાણવા તત્પર રહો તો જ લય સધાય, જીવન સંવાદી બને. આજકાલ માણસના મનનો ઊંડાણથી અભ્યાસ થાય છે, ચીવટપૂર્વક એની પર ચિંતન થાય છે અને પછી એનો વિગતવાર વિસ્તૃત અહેવાલ અવારનવાર બહાર પડે છે. શું કિસલય એવું કશું વાંચતો નહિ હોય ? પ્રશ્ન થાય છે કે કિસલય કઈ સદીમાં જીવે છે ? એક માણસ તરીકેના માનવીય ભાવો એ અનુભવી શકે છે કે નહિ ! સ્ત્રીના મનની નાજુક કોમળ લાગણીઓ એને કેમ ઝકઝોરતી નથી ? પત્નીને સંતોષ આપવા એ કેમ ઉત્સુક નથી !&lt;/p&gt; &lt;p&gt;કિસલયમાં પુરુષ તરીકેનું જડ ગુમાન છે, ગુરુતાગ્રંથિ છે, એ જે માને છે એ સાચું છે અને પત્નીએ એને અનુસરવું જોઈએ એમ દઢપણે માને છે. છતી આંખે એ અંધ છે, છતે કાને બધિર છે, અથવા તો એનું હૈયું સંવેદનશૂન્ય છે તેથી પત્નીને એ સમજી શકતો નથી અને તેથી એને અન્યાય કરે છે. માનવતાની દષ્ટિએ આ ગુનો છે. પતિ તરીકેની ફરજ એ ચૂકે છે. દરેક ઉંમરનો પોતાનો એક તકાદો હોય છે, એક માંગ હોય છે, દરેક માણસે એ રીતે બદલાવું જોઈએ. માણસ એકલો હોય ત્યારે તેને સાદાઈ અને સંયમ ઈષ્ટ લાગતા હોય તો ભલે એ પ્રમાણે જીવે. પરંતુ લગ્ન પછી જીવનશૈલી બદલવી પડે. દામ્પત્યજીવનના પરોઢે એ જીવનસાથી તરફ ભાવથી વર્તવાના બદલે આવું એકાંગી વર્તન કરે એ યોગ્ય નથી.&lt;/p&gt; &lt;p&gt;પુરાણકાળના ઋષિઓ પણ એમની પત્નીઓની માંગ પૂરી કરવા તત્પર રહેતા. પત્નીને જો શૃંગાર સજવાની અભિલાષા જાગે તો રાજા પાસે ધનની યાચના કરીનેય પત્નીના કોડ પૂરા કરતા. આમાં કશું અનુચિત કે અશિષ્ટ નથી. સ્ત્રી માત્રને શૃંગાર સજીને પોતાના રૂપને સંવારવાની ઈચ્છા હોય છે જ. આ સ્વાભાવિક છે. આમાં કંઈ શરમજનક નથી. પરિણીત સ્ત્રી પુરુષ અન્યોન્યને સમજે તો જ ગૃહસંસાર દીપી નીકળે, નહિ તો જીવન વેરાન થઈ જાય. માનસશાસ્ત્રીઓ તો ઠોકી ઠોકીને કહે છે કે દામ્પત્યજીવનને હર્યુંભર્યું રાખવા પતિ-પત્નીએ એકબીજામાં પૂરેપૂરો રસ લેવો જોઈએ. તો જ જીવનમાં ઉત્સાહ વધે. અન્યોન્યની ભૂલ બતાવવી કે વિરોધ કરવો એ તો સુખની ઈમારત પર હથોડા ઠોકવા બરાબર છે. ઈમારત તૂટી ના જાય તોય ધ્રૂજી તો ઊઠે જ. ક્યારેક ઈંટો ખરવા માંડે ને ઈમારત જમીનદોસ્ત થઈ જાય. પણ કિસલય જેવાને આનો ખ્યાલ જ નથી આવતો.&lt;/p&gt; &lt;p&gt;જ્યારે જીવનસાથીઓ વચ્ચે વિચારોનું ઐક્ય ના સધાય ત્યારે જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. જીવનમાં અનેક રૂપરંગ સંભવી શકે છે, પોતાના ઈચ્છિત રૂપરંગ પ્રમાણે જીવન બનાવવું હોય તો બેઉએ થોડી બાંધછોડ કરવી જોઈએ. બાંધછોડ કરવામાં કોઈ નાનમ નથી, પણ ઊંડી સમજદારી છે. સ્નેહથી એ સમજદારી દાખવવાની છે, ત્યારે કોણે કેટલું છોડ્યું એની ગણત્રી ના કરવાની હોય. પોતાના પ્રિયજન માટે શું છોડ્યું એ યાદ રાખવાનું ન હોય. પ્રિયજનના સંતોષ અને આનંદને પોતાનો આનંદ અને સંતોષ સમજવા જેટલી ઉદારતા હોવી જોઈએ.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-7233419045835614150?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/7233419045835614150/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9868.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7233419045835614150'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7233419045835614150'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9868.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-124563858427478441</id><published>2009-08-13T18:14:00.000-07:00</published><updated>2009-08-13T18:15:17.111-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;કુર્યાત સદા મંગલમ્ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;‘માનસ, બે ગ્લાસ પાણી લેતો આવજે.’ બહાર ઓટલા પર બેઠેલી જાહન્વીએ હાક મારીને એના વરને કહ્યું.&lt;/p&gt; &lt;p&gt;નવવધૂની આવી નિ:સંકોચ રીત જોઈને એનાં સાસુ ચંદ્રાબહેન તો ચમકી જ ગયાં. એ વિચારવા માંડ્યા, શિક્ષિત છોકરી આવી નિર્લજ્જ હોય ! બે દિવસ પહેલાં પરણીને આવી છે ને મારા છોકરાં પર હુકમ છોડે છે. આધુનિક કેળવણી પામેલી આવી હોય ! આ સંસ્કાર કહેવાય ! બહાર બેઠી બેઠી આટલા મોટા અવાજે પાણી મંગાવે એટલે ચારે બાજુના લોકો સાંભળે અને મારા ઘરની હાંસી ઉડાવે. તેઓ તો એવું જ સમજે કે માનસ એની વહુથી દબાઈ ગયો છે. આટલા માટે જ હું કહેતી હતી કે, ભણેલી ને નોકરી કરતી છોકરી નથી લાવવી, પણ મારું સાંભળ્યું નહિ તો હવે કરો નોકરવેડા. પાડોશીઓને નાટક જોવા મળશે ને મારા ઘરની આબરૂ જશે.&lt;/p&gt; &lt;p&gt;પરંતુ ચંદ્રાબહેન જાણતાં નથી કે છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં સંસાર બહુ બદલાયો છે. પરિવર્તનના વાયરાએ દરેક ક્ષેત્રને ઊંધુચત્તું કરી મૂક્યું છે. પતિ-પત્નીએ અન્યોન્ય સાથે કેમ બોલવું, કેવું વર્તન કરવું એ એમનો અંગત મામલો છે. એના વિશે બહારના કોઈએ કે ઘરના વડિલોએ વિચારવાનું કે તે અંગે ટીકા કરવાની હોય નહિ. આજના દંપતી પોતાની રીતે પોતાની જિંદગી ગોઠવવામાં માને છે. તેઓ કોઈનું સાંભળતા નથી.&lt;br /&gt;&lt;span id="more-1115"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;પુત્રવધૂ જાહન્વી નોકરી કરે છે, એ ઑફિસથી થાકેલી આવી છે, ઓફિસની ચાર દીવાલોમાં સાત-આઠ કલાક કામ કરીને આવેલી જાહન્વીને લીમડાના થડની આજુબાજુ ગોળાકાર બનાવેલા ઓટલા પર બેસવાનું મન થયું તો ત્યાં જ બેસી પડી. ઘરમાં ગયેલો માનસ બહાર આવે ત્યારે બે ગ્લાસ પાણી લાવે એમાં કશું ખોટું નથી. આધુનિક દંપતી પુરુષ ચડિયાતો ને સ્ત્રી ઊતરતી અથવા તો અમુક કામ સ્ત્રીનાં અને અમુક કામ પુરુષનાં એવું નથી માનતાં. સમાનતાના આ યુગમાં પતિ-પત્ની બે મિત્રોની જેમ રહેવામાં માને છે.&lt;/p&gt; &lt;p&gt;આ યુગમાં સ્ત્રી-પુરુષ દરેક દરેક ક્ષેત્રમાં ખભેખભો મિલાવીને કામ કરે છે. પુરુષની જેમ સ્ત્રીને સમયસર ઓફિસ પહોંચવાનું હોય છે. એ પહેલાં એણે રસોઈ કરવાની હોય છે, ઘરનાં બીજાં કામો પતાવવાનાં હોય છે, તો એ આશા રાખે જ કે પતિ પણ એની સાથે વહેલો ઊઠીને એના કામમાં મદદ કરાવે. એ દાળ ચોખા ધોઈ આપે કે શાક સમારી આપે એમાં નાલેશી નથી પણ સમજદારી છે. પત્ની રોટલી વણે ને પતિ કૂકર ચડાવે એ એક સુભગ દશ્ય છે. બહારના ક્ષેત્રે કે ઘરમાં રહીને ઉદ્યમ કરતી સ્ત્રી એના પતિ પાસેથી મદદની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. પતિ મદદ કરે તો પત્નીને રઘવાયા ના થવું પડે, વળી સાથે કામ કરવામાં હૂંફ અને આત્મીયતા અનુભવાય. આમ જ અદ્વૈત સધાય. દામ્પત્યની મીઠાશ જળવાય.&lt;/p&gt; &lt;p&gt;જૂની પેઢીએ આ નવો અભિગમ સમજવો જોઈએ ને સ્વીકારવો જોઈએ. પરંતુ ચંદ્રાબહેન જેવાં વડીલો આવું વિચારવા જેટલાં ઉદાર નથી બની શકતા. ચંદ્રાબહેન દીકરા-વહુનું સાયુજ્ય જોઈને હરખાવાના બદલે પાણીના ગ્લાસ લઈને આવેલા માનસ સામે કટાણું મોં કરીને જોવા માંડ્યા. એ આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા એવું સૂચવવા માંગતા હતાં કે વહુમાં શાલીનતા કે વિનય નથી. એ છીછરી અને ઉછાંછળી છે. પણ માનસ માની વિચારસરણીમાં તણાય એવો ન હતો. એ તટસ્થ રીતે વિચારનારો પરિપક્વ બુદ્ધિનો હતો. એણે એની મમ્મીના મનોભાવને પ્રોત્સાહન ના આપ્યું, તેથી ચંદ્રાબહેન નારાજ થઈ ગયાં. એમણે મોં મચકોડ્યું. એમની આંખોમાં રોષ દેખાયો. માનસને થયું, આ વાત અહીં ડામવી જ પડશે. મમ્મી જો કંઈ બોલશે તો સાસુ-વહુમાં ચડભડ થવા માંડશે, અને પછી તો આમનેસામને જ રહેશે. ઘરની શાંતિ ખોરવાઈ જશે.&lt;/p&gt; &lt;p&gt;તેથી એ હસીને બોલ્યો : ‘મમ્મી, આ જમાનામાં સ્ત્રી-પુરુષની સમાનતાનો સ્વીકાર થયો છે. આજનો પુરુષ સ્ત્રીને ઘરકામમાં મદદ કરે છે. પરંતુ મમ્મી, આપણા ઘેર તો વરસો પહેલાં આ વાતનો સ્વીકાર થયો હતો. રોજ સવારે પપ્પા જ ચા-દૂધ કરતા હતા ને ! તું દાળ-ચોખા ધૂએ ને પપ્પા શાક સમારી આપતા. તું જોબ કરતી ન હતી કે તારે ક્યાંય બહાર જવાનું ન હતું તેથી તું પપ્પાને કામમાં મદદ કરવાની ના પાડતી હોય તોય પપ્પા તને મદદ કરતાં. એ મેલાં કપડાં સાબુમાં બાફી આપતા, ઘર ઝાપટી નાખતા, દીવાનખાનું વ્યવસ્થિત ગોઠવી દેતા. પપ્પા કેવી સરસ રીતે બધું કરતા. એ કદી ઘાંટાઘાંટ ન કરતા, કે પોતે કામ કરે છે એવો દેખાડો નહોતા કરતા. તેઓ ઘરકામ કરતાં શરમાતા નહિ કે લોકો શું કહેશે એનો ડર રાખતા નહિ.&lt;/p&gt; &lt;p&gt;માનસે ચંદ્રાબહેનને એમના સંસારની વાતો એટલી સાહજિકતાથી યાદ કરાવી દીધી કે દીકરો એની વહુને કામ કરાવે છે કે પાણી લાવી આપે છે એની ટીકા જ ના કરી શકે. ચંદ્રાબહેનને એમના દીકરાએ જૂના દિવસો યાદ કરાવ્યા એટલે અચાનક એમનું હૈયું ય એ મધુર દિવસોની યાદમાં ગરકાવ થઈ ગયું. એ બોલી ઊઠ્યાં : ‘દીકરા, આપણા ઘરમાં તો પુરુષો કાયમ ઘરકામોમાં મદદ કરાવતા જ આવ્યા છે. તારા દાદા યે ઘરકામને નાનમ ના સમજતા. હું પરણીને આવી ત્યારે ઘરમાં મારાં સાસુ હયાત ન હતા. દિયર, નણંદ પણ હતાં નહિ. ઘરમાં હતા મારા સસરા. એ નિવૃત્ત શિક્ષક, સ્વાવલંબનમાં માને. એમને કોઈ કામની શરમ નહિ કે આળસે નહિ. હું રસોઈ કરતી હોઉં ત્યારે બાથરૂમમાં બેસીને એ બધાનાં કપડાં ધોઈ નાખતા. હું શરમાઈને એમને વારવા જાઉં તો એ સ્નેહથી કહે બેટા, આપણે નોકર રાખતા નથી તો ઘરનાં કામ વહેંચીને કરવા પડે. આપણું કામ આપણે નહિ કરીએ તો કોણ કરશે ? તમારે બહારના કોઈ શું માનશે એવો વિચારે નહિ કરવાનો.’ ચંદ્રાબહેનની વાત સાંભળીને માનસને નિરાંત થઈ કે મમ્મી હવે કોણ કયું કામ કરે છે એની માથાકૂટ નહીં કરે. મમ્મીને એણે યાદ દેવડાવ્યું કે, એના ઘરમાં પુરુષો સ્ત્રીઓને મદદ કરતાં અચકાતા નથી. માનસે પાણી પહેલાં પાણ બાંધી લીધી. તેથી કોઈ વિખવાદ ઊભો થવા પામ્યો નહિ. ચંદ્રાબહેને પુત્રવધૂની કોઈ ટીકા કરી નહિ.&lt;/p&gt; &lt;p&gt;ઘણીવાર દામ્પત્યજીવનમાં અચાનક અણધાર્યા પ્રશ્નો ઊભા થાય છે. કારણ વિના કલહ થઈ જાય છે. બિનજરૂરી બોલવામાં કે હાવભાવથી મન દુભાય છે. અને જ્યારે દામ્પત્યજીવનનો આરંભ જ થતો હોય, પતિ-પત્નીએ એકમેકને ઓળખવાનાં બાકી હોય ત્યારે તો ખૂબ ખ્યાલ રાખવો પડે. જે યુવતી એનાં મા-બાપ અને ચિરપરિચિત વાતાવરણ છોડીને આવી હોય એ આ નવા અપરિચિત ઘરમાં અજાણ્યા માણસો વચ્ચે મૂંઝાતી હોય, ત્યારે તેને કાળજીભરી પ્રેમાળ હૂંફ ઘરના દરેક સભ્યે આપવી જોઈએ. એની લાગણી ના ઘવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ નવું ઘર એને પોતાનું લાગે એવા સભાન પ્રયત્ન કરવા જોઈએ.&lt;/p&gt; &lt;p&gt;આજની ગતિશીલ દુનિયામાં તાલ મિલાવવા સ્ત્રીએ કારકિર્દીને મહત્વ તો આપવું જ રહ્યું આ વાત એના પતિએ સ્વીકારી લેવી ઘટે અને પત્ની થાકે નહિ માટે એને એના કામમાં સહયોગ આપવો જોઈએ. નવપરિણીતા નવા પરિવારનાં સભ્યો પ્રત્યે ફરજ બજાવે. સાથે સાથે એ કુટુંબના રીત-રીવાજો નિભાવે, એક સુપર પુત્રવધૂ અને સુપર પત્નીની ભૂમિકા ભજવતાં એ એટલી થાકી જાય છે કે એની નોકરીમાં તે એક સામાન્ય કર્મચારી બનીને રહી જાય છે. એની કારકિર્દી ખોરંભે ચડે છે તેથી તે નિરાશ થઈ જાય છે. આજની સ્ત્રી કુંવારી હતી ત્યાં સુધી પોતાની કેરિયર પ્રત્યે ખૂબ ગંભીર હતી, પોતાનો સમય અને શક્તિ એ પોતાની કેરિયર બનાવવા પાછળ ગાળતી હતી પણ હવે જો એણે ઘરકામ અને રસોઈને જ પ્રાધાન્ય આપવાનું હોય અને પતિ એને સહાય ન કરે તો એનું મન વિષાદથી ભરાઈ જાય. પતિ અને પરિવારજનો માટે અણગમો આવી જાય. ભારતીય સ્ત્રીઓમાં સુખ-દુ:ખ એના પતિ અને વડીલો પર આધારિત હોય છે. એ પોતાની ફરજ એક નિષ્ઠાથી બજાવી શકે. એનાં ઉત્સાહ અને જોમ જળવાઈ રહે એ માટે પતિએ આપણા જૂના સંસ્કાર કે ‘ઘરકામ તો પુરુષ કરે જ નહિ’ એ સંસ્કાર છોડવા પડશે.&lt;/p&gt; &lt;p&gt;જે રીતે સ્ત્રી બહારની દુનિયામાં પુરુષ સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે એ રીતે જ પુરુષે ઘરના કામમાં શરમાયા વગર સ્ત્રીને મદદ કરવી જોઈએ. એમાં ગૌરવ લેવું જોઈએ. ઘરનાં કામ એ માત્ર પત્નીનાં કામ છે એ રૂઢ માન્યતામાંથી બહાર આવવું જોઈએ અને જીવન નવી પ્રણાલિકા પ્રમાણે ગોઠવવું જોઈએ. જીવનશૈલી એવી હોવી જોઈએ કે જેમાં પતિ-પત્ની બેઉનો વિકાસ હોય, અને ઘરમાં પ્રસન્નતા હોય. ઘરનાં વડીલોએ આ નવી જીવનશૈલી અને ગૃહવ્યવસ્થામાં પ્રેમથી સહકાર આપવો જોઈએ. ઘરની આબાદી માટે દરેક સભ્યે યોગદાન આપવું જોઈએ. તો જ સુખી સંસાર રચાય. આત્મીયતા બંધાય. જીવન ભર્યું ભર્યું લાગે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-124563858427478441?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/124563858427478441/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2492.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/124563858427478441'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/124563858427478441'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2492.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-8260260288328665070</id><published>2009-08-13T18:13:00.001-07:00</published><updated>2009-08-13T18:13:42.248-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;સ્નેહ સાધના – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;‘આ શું ? આવી વહુ ? ના, ના, ના. આવી વહુ ના ચાલે. હરગિજે ના ચાલે.’ ત્વરાને જોઈને સરુબહેનનું મન ચિત્કાર કરી ઊઠ્યું.&lt;/p&gt; &lt;p&gt;સરુબહેન પોતે અત્યંત સ્વરૂપવાન હતાં. પંચાવન વર્ષની ઉંમરે પણ સો સ્ત્રીઓમાં અલગ તરી આવે તેવું એમનું વ્યક્તિત્વ હતું. એમનું ઊઠવું, બેસવું, પહેરવું, ઓઢવું, બોલવું બધું નોખું, એમાં સૂઝ હતી, સમજ હતી, કલા હતી. કોઈનાં અવસાન નિમિત્તે સાવ સફેદ લૂગડાં પહેરી બેસણામાં જાય ત્યાંય એમનું રૂપ જાણે છલકાઈ જતું લાગે. કંઈક ભારે, ઘૂંટાયેલો એમનો અવાજ બોલે એટલે બધાં ચૂપ થઈ જાય. એમનું બોલવું એવું ડાહ્યું ને શાણું કે સામી વ્યક્તિ અંજાઈ જાય, મનોમન પોતાને ઊતરતી ગણે. પોતાની આ વિશેષતાઓનું એમને પૂરું ભાન હતું.&lt;/p&gt; &lt;p&gt;સરુબહેનનો દીકરો પ્રિયાંક પણ એમના જેવું જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. તે ગણિતશાસ્ત્રમાં પી.એચ.ડી. હતો. યુનિવર્સિટી તરફથી પરદેશ ગયો હતો. ત્યાંથી એ ત્વરાને પરણીને આવ્યો. ત્વરા દૂબળીપાતળી ને ભીનેવાન હતી. ઘાટઘોટ વગરનું એનું મોં હતું. પહેરવા-ઓઢવામાંય કોઈ વિશેષતા નહિ. સાવ સામાન્ય દેખાવની ત્વરાને જોઈને સરુબહેન અવાક્ થઈ ગયાં. એમનાં હોંશ, ઉત્સાહ, અહમને જબરદસ્ત ધક્કો લાગ્યો : ‘દીકરા, તેં આ શું કર્યું ? તેં તો મારા વેરીનું કામ કર્યું. લોકોના કાળા કલૂટા છોકરાય રૂપાળી રંભા જેવી વહુ લાવે છે. પોતે કેવી સુંદર વહુની કલ્પના કરી હતી. ને આ ? બારણે ઊભી શોભેય નહિ. આને તો મારા ઘેર કામવાળી તરીકેય ન રાખું.’&lt;/p&gt; &lt;p&gt;સરુબહેનનું હૈયું વલોપાત કરી ઊઠ્યું. એમણે વહુને ના આવકાર આપ્યો કે ના આશિષ આપી. ના હૈયા સરસી ચાંપી કે ના માથે હાથ મૂક્યો. ના દાગીનો આપ્યો, ના સાડી આપી. દીકરાના લગ્નની કે વહુના આગમનની ના ઉજવણી કરી. એમના હૃદયનાં દ્વાર વહુ માટે ભિડાઈ ગયાં, પણ ઘરનાં દ્વાર બંધ ના કરી શક્યાં. પ્રિયાંક એને પરણીને આવ્યો છે. તે આ ઘરની વહુ છે. એનો આ ઘરમાં હક છે, હિસ્સો છે.&lt;br /&gt;&lt;span id="more-1251"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;પ્રિયાંક એની માને કહે છે, ‘ત્વરા મારી સાથે કામ કરતી હતી, મને એની સાથે બહુ ફાવતું’તું. એ મારા જેટલું જ ભણી છે.’ સરુબહેન કંઈ બોલતાં નથી. મોં મચકોડે છે. પોતાની નારાજગી વ્યક્ત કરીને ત્યાંથી જતાં રહે છે. સરુબહેન ત્વરા સાથે જરાય વાતચીત નથી કરતાં. ત્વરા સાસુના મનોભાવ સમજી શકે છે. પ્રિયાંકે જ્યારે એની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ત્વરાએ આનાકાની કરતાં કહ્યું હતું : ‘તમે આટલા બધા રૂપાળા…. મારી તો તમારી બાજુમાં ઊભા રહેવાની હિંમત નથી ચાલતી…’&lt;br /&gt;ત્યારે પ્રિયાંકે સ્નેહથી કહ્યું હતું : ‘સાચું રૂપ તો અંતરનું છે, એમાં તું ક્યાં ઊતરતી છે ?’ …. ને બેઉ જણ ત્યાં પરદેશમાં પરણી ગયાં હતાં.&lt;/p&gt; &lt;p&gt;અહીં આવીને ત્વરા સાસુનું અપ્રતિમ રૂપ જોઈ જ રહી. તેણે પ્રિયાંકને કહ્યું : ‘મમ્મીની સામે ઊભા રહેવાનુંય મારાથી સાહસ નથી થતું.’&lt;br /&gt;પ્રિયાંક હસીને કહેતો : ‘હા, આ એક મુશ્કેલી છે. પણ મુશ્કેલી છે તો મજા છે. ગણિતના કૂટ પ્રશ્નની જેમ આને ઉકેલવામાં એક પડકાર છે.’&lt;br /&gt;હા, પતિની વાત સાચી છે. ત્વરાએ મનોમન સાસુનો સ્નેહ પામવાની પ્રતિજ્ઞા લીધી. ત્વરાએ જોયું કે સાસુ માત્ર રૂપમાં જ નહિ પણ હોશિયારીમાંય ભલભલાને પાછા પાડી દે એવાં છે. રસોઈ કેટલી સ્વાદિષ્ટ ને વિવિધ બનાવે છે ! ભરતગૂંથણ, શીવણ જાણે. રંગોળી પૂરે ને મહેંદી મૂકે. ઘર નવી નવી રીતે સજાવે.&lt;/p&gt; &lt;p&gt;આજ સુધી ત્વરાએ ઘરકામમાં રસ લીધો ન હતો. એના જન્મ વખતના ગ્રહો જોઈને એના દાદાએ એનું નામ પંડિતા પાડ્યું હતું. એ જીવ્યા ત્યાં સુધી ‘પંડિતા’ કહીને જ ત્વરાને પોકારતા. ત્વરા ખૂબ ગંભીરતાથી વિદ્યાભ્યાસમાં મશગૂલ રહેતી. ઘરનું કામ એને બુદ્ધિ વગરનું લાગતું. સ્ત્રીસહજ શૃંગાર, ટાપટીપને એ મૂર્ખતા માનતી. પરંતુ સરુબહેનને જોયાં ને એ વિસ્મય પામી ગઈ. ઘરના તુચ્છ સામાન્ય દેખાતા કામમાંય આટલી બુદ્ધિ, આવડત, કલાને અવકાશ છે !&lt;/p&gt; &lt;p&gt;સવારે ત્વરાએ દૂધ ગરમ થવા મૂક્યું. એ બધાં કામ છોડી દઈ દૂધ પાસે જ ઊભી રહી. આ જોયું ને સરુબહેન બોલ્યાં : ‘બે લિટર દૂધને બરાબર દસ મિનિટે ઊભરો આવે છે. વચ્ચે વચ્ચે દૂધ હલાવતી જા ને બીજું કામ કરતી જા.’ બરાબર દસ મિનિટે દૂધનો ઊભરો આવ્યો. ત્વરા પ્રશંસાથી સાસુ સામે જોઈ રહી. સરુબહેન ખુશ થવાને બદલે બોલ્યાં, ‘તું તો મોટી ગણિતશાસ્ત્રી છે. ગણતરી તારા લોહીમાં હોવી જોઈએ. ગણિત તો જીવનનો પાયો છે, તું કેમ ગણિતમય નથી થઈ જતી ? જરા મગજ ચલાવ. એકએક શાસ્ત્રમાં ગણતરી હોય છે. અરે, ધાર્મિક ક્રિયામાંય ગણતરી હોય છે. ત્રણ ખમાસણ લો. એકસો આઠ નવકાર જાપ કરો. અમુક મંત્રનો સત્તાવીસ વખત જાપ કરો. આ ગણતરી પાછળ ચોક્કસ હેતુ હોય છે. આટલી સીધી સમજ તારામાં કેમ નથી !’ સરુબહેને મોટું ભાષણ ઠોકી દીધું.&lt;/p&gt; &lt;p&gt;તક મળ્યે એ કરવતની જેમ એમની જીભ ચલાવ્યે જ રાખતાં હતાં. પળે પળે એ ત્વરાને એ હીણી છે, ઊતરતી છે એવું બતાવવા માગતાં હતાં. એનું નૈતિકબળ તૂટી જાય એમ એ એની પર વાગ્હુમલા જ કરતાં. પરંતુ ત્વરા કેળવાયેલી હતી. એ જોતી કે સાસુ કહે છે તે રીત કડવી છે, પણ વાત સત્ય છે. સાસુએ જ્યાં જ્યાં ગણિત જોયું ત્યાં મને કેમ ના દેખાયું ? આંકડામાં જ રમનારી હું આંકડા વિશે સાસુની જેમ કેમ ના વિચારી શકી ? સાસુએ ઘરનું દરેક કામ કેટલી મિનિટમાં થાય તે શોધ્યું હતું. પાણીની માટલી બરાબર પાંચ મિનિટે ભરાય છે, ત્યારે જ એ નળ બંધ કરવા જતાં. ચાર કપ ચા થતાં સાત મિનિટ લાગે છે. બ્રશ કરવા જતાં એ ચા મૂકી દેતાં, પાંચ મિનિટે બ્રશ કરીને આવતાં ને ચા જોતાં. સાસુનું દરેક કામ ગણતરી મુજબ થતું. એમનું આયોજન એવું હતું કે ઘણાં બધાં કામ થોડા જ સમયમાં પતી જતાં. ત્વરા નવાઈ પામીને પ્રિયાંકને કહેતી : ‘તક મળી હોત તો મમ્મી મોટાં ગણિતશાસ્ત્રી થાત.’&lt;/p&gt; &lt;p&gt;પ્રિયાંક કહેતો : ‘મમ્મી પાસે પી.એચ.ડી.ની ડિગ્રી નથી, પણ એ મારી ગુરૂ છે. હું નાનો હતો ત્યારે મારી સાથે એય ગણિતના કોયડા ઉકેલવા બેસતી. અરે, વૈદિક ગણિત વિશે સાંભળ્યું તો એને વિશે કેટલુંય વાંચ્યું ને યાદ પણ બરાબર રાખે. મને બધું વિગતે સમજાવે. હું કૉલેજમાં આવ્યો. અમે ભાઈબંધો કોઈ ચર્ચા કરીએ તો એ ધ્યાનથી સાંભળે, સમજવા પ્રયત્ન કરે ને ના સમજાય એ પાછળથી મને પૂછે. આ બધું જાણીને એમને દેખીતો કોઈ લાભ થવાનો ન હતો, પણ કેટલી જિજ્ઞાસા ! જ્ઞાનની કેવી ભૂખ !’&lt;/p&gt; &lt;p&gt;ત્વરાને સાસુ માટે માન થાય છે. એ વિચારે છે : સાસુનો સ્વભાવ થોડો આકરો છે, પણ જૂના સમયના ઋષિમુનિઓ અને જ્ઞાનીના સ્વભાવ પણ ઉગ્ર જ હતા. છતાંય એમના જ્ઞાનના લીધે એ પૂજાય છે. ત્વરાએ પોતાનાં સાસુને પોતાનાં ગુરૂ માન્યાં. એ જે કહે તે ધ્યાનથી સાંભળે છે, યાદ રાખે છે. એક વાર સાંભળ્યા પછી તે ભૂલ કરતી નથી. સરુબહેનની નજર એટલી કેળવાયેલી કે વસ્તુ જુએ ને એનું માપ કહી આપે, તોલ કહી આપે. ત્રાજવેથી તોલો તોય ભૂલ ના નીકળે. અરે, મૂઠી ને ચપટીનુંય એવું જ માપ કાઢેલું.&lt;/p&gt; &lt;p&gt;બ્લડપ્રેશરને હિસાબે મીઠું ઓછું ખાવાનું હતું. એ ચપટીમાં મીઠું લે ને કેટલા રતીભાર મીઠું છે તે ખાતરીપૂર્વક કહેતાં. સાસુનું જોઈને ત્વરા ચપટી ભરીને મીઠું ભાણામાં મૂકતી. મીઠું જરા વધારે જુએ તો સુરુબહેન એને ઝાટકી નાખતાં. એક કણમાં કેટલી તાકાત છે એ તું નથી જાણતી ?’ પછી તો ન્યુટ્રોન ને પ્રોટ્રોન વિશે વાત કરતાં. એમની વાતમાં ભૌતિકશાસ્ત્ર આવે, રસાયણશાસ્ત્ર ને ખગોળશાસ્ત્ર આવે. કોઈ વાર શરીર વિશે તો કોઈ વાર સંગીત વિશે વાત કરે. બપોરે આરામ કરવાને બદલે કંઈક અભ્યાસપૂર્ણ વાંચતાં જ હોય. વાંચે ને બધું જ યાદ રહે. વિગતવાર કહી શકે, સમજાવી શકે, ત્વરાને થાય : ઓહ, આ સાસુ તો જીવતાંજાગતાં એન્સાઈકલોપિડિયા છે. સાસુ માટે એને માન સાથે મમત્વ જાગ્યું. સાસુ ન એના તરફના વર્તનને એ બરાબર સમજી શકી. એ વિચારે છે, સાસુએ એમની બુદ્ધિ અને નજરનો કેટલો વિકાસ સાધ્યો છે ! પ્રિયાંક કહે, ‘મમ્મી કારભારીની દીકરી છે તેથી જ એનામાં આટલી ચોકસાઈ અને પરખશક્તિ છે.’ સોનાનો દાગીનો હાથમાં લે ને એનું વજન કહી શકે. હીરાને એક ઝવેરીની જેમ પારખી શકે છે. કોઈ પણ વસ્તુની ખરીદીમાં એ ક્યારેય છેતરાયાં નથી. ઘરની વહુ વિશે તો એમણે કેવાંય સ્વપ્નાં સેવ્યાં હશે, એને બદલે એમનો દીકરો રૂપેરંગે સામાન્ય ને અણઘડ વહુ લઈ આવ્યો એટલે આઘાત પામે જ ને !&lt;/p&gt; &lt;p&gt;આ સંતાપ જ એમને સતત ગુસ્સામાં રાખતો હતો. કોઈ મહેમાન આવે ત્યારે સરુબહેન વહુની ઉલટથી ઓળખાણ કરાવતાં નથી. કોઈ સામેથી પૂછે તોય સરુબહેન અકળાઈ ઊઠતાં. કાયમ હસી હસીને મહેમાનને આવકારનાર સરુબહેન મહેમાન પર જ રોષે ભરાતાં. એમને થતું : આ લોકો મારી હાંસી કરે છે. મહેમાન જાય પછી એ ત્વરાને અને પ્રિયાંકને કેટલુંય સંભળાવતા. જિંદગીની બાજી હારી બેઠાં હોય એમ સરુબહેન બહાવરાં-બેબાકળાં બની ગયા હતાં. એ વિવેક ભૂલીને ત્વરાને બોલતાં. બોલે નહિ ત્યારેય આંખથી ડારતાં. પોતાના આચરણથી એને સૂચવતા કે, ‘તું ભાગી જા. અહીંથી ભાગી જા.’ પ્રિયાંક પણ ત્વરાને અલગ રહેવા વિશે પૂછતો.&lt;/p&gt; &lt;p&gt;પણ ત્વરા કહેતી, ‘જુદા રહેવાની વાત કરશો જ નહિ. જુદા રહેવાથી આ પ્રશ્ન હલ નહિ થાય. હું મમ્મીને શાંતિ આપવા ઈચ્છું છું, સંતોષ આપવા ઈચ્છું છું. મને એ ગમે છે, અહીં રહેવું મને ગમે છે.’ ત્વરામાં દઢ મનોબળ હતું. સરુબહેન ઉગ્રતાથી ગમે તે બોલે પણ એ કદીય સંયમ ખોતી નહિ. જાણે સાંભળ્યું જ ના હોય એમ ચૂપ રહેતી, સ્વસ્થ રહેતી. આજુબાજુના લોક કહેતા : ત્વરા સાસુના ત્રાસથી દબાઈ ગઈ છે, પણ ત્વરા તો એની સાધનામાં જ મસ્ત હતી.&lt;/p&gt; &lt;p&gt;સવારની કૉલેજમાં પ્રોફેસર તરીકે એ કામ કરતી હતી. પરંતુ ઘેર આવ્યા પછી તો ઘરનાં કામમાં જ ડૂબી જતી. જરાય પ્રમાદ નહિ, આળસ નહિ, અવિનય નહિ. સરુબહેનને આવી વિનીત શિષ્યા ક્યાંથી મળે ? સરુબહેન જેવી આવડત ત્વરામાં આવવા માંડી. સરુબહેનના હૃદયના ઊંડાણમાં આ નમ્ર, વિવેકી, પ્રેમાળ વહુ માટે પ્રેમ ઊભરાવા માંડ્યો. મજબૂતપણે ભિડાયેલાં એમનાં હૃદયનાં દ્વાર ખૂલી ગયાં.&lt;/p&gt; &lt;p&gt;ત્વરા એમના હૃદયમાં સ્થાન પામી. હવે એ ત્વરામય બની ગયાં. ત્વરા વગર એક ક્ષણ ચેન પડતું નથી. ત્વરા કૉલેજથી ઘેર આવે ત્યારે એની રાહ જોતાં સરુબહેન ઘરને બારણે નહિ પણ કમ્પાઉન્ડને દરવાજે ઊભાં હોય છે. હસીને આવકારે છે. માથે ને મોંએ હાથ ફેરવીને વહાલ કરે છે. ઝટપટ જમવાની થાળી પીરસે છે. પોતાના હાથથી કોળિયો ભરી ત્વરાના મોંમાં મૂકે છે. ત્વરા સાસુને ખવડાવે છે. બેઉનાં અંતર હરખાય છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-8260260288328665070?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/8260260288328665070/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4809.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8260260288328665070'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8260260288328665070'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4809.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-2128697622882182489</id><published>2009-08-13T18:10:00.001-07:00</published><updated>2009-08-13T18:10:29.509-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;&lt;p&gt;&lt;img src="http://www.readgujarati.com/sahitya/wp-content/uploads/2008/01/dsc01549.JPG" width="186" align="right" height="283" /&gt;કુમુદે પ્રવીણ સાથે લગ્ન કર્યાં હતાં પણ કોને ખબર કેમ પ્રવીણ એને ગમતો નહોતો. કદાચ એ પોતાની જાતને પ્રવીણ કરતાં ખૂબ ચડિયાતી માનતી હતી. પ્રવીણને જોઈને એ હરખાતી નહીં. એની સામે જોઈને હસતી નહીં. એની સાથે હોંશથી વાત કરતી નહીં. જાણે એને વરની જરૂર જ નથી. વર એના જીવનમાં વણનોતર્યો આવી ચડ્યો છે. એ પોતાનામાં મસ્ત રહેતી.&lt;/p&gt; &lt;p&gt;પત્નીનું અતડાપણું પ્રવીણને બેચેન બનાવી મૂકતું. પત્નીનું દિલ જીતવા એ જાતજાતની ભેટ લઈ આવતો પણ કુમુદ ભેટ પર એક નજરે નાખ્યા વગર બાજુ પર મૂકી દેતી. ધડકતા હૈયે અચકાતાં અચકાતાં પ્રવીણ કહેતો, ‘ખોલીને જો તો ખરી, અંદર શું છે ?’&lt;br /&gt;‘મારે જોઈતી ચીજ હું મારી મેળે ખરીદી શકું છું.’ ભાવહીન સૂરે કુમુદ બોલતી.&lt;br /&gt;‘આ ચીજ માત્ર તારે ખપમાં આવે એટલે નથી આપી, આ તો પ્રેમના પ્રતીક તરીકે હું આપું છું.’ પ્રવીણ કહેતો.&lt;br /&gt;‘તો એ હું તમને સાભાર પરત કરું છું.’ લાગણીહીન, નિર્જીવ સૂરે કુમુદ કહેતી.&lt;br /&gt;‘માત્ર આભાર જ ? સાથે પ્રેમ નહીં ?’ સંવાદ લંબાવતાં આતુર પ્રવીણ સ્નિગ્ધ કંઠે પૂછતો. એ કોઈ પણ રીતે નવોઢા પત્નીનું દિલ જીતવા માગતો હતો. કુમુદે કરેલી અવગણના લક્ષમાં ન લેતો.&lt;br /&gt;‘આભાર તો વિવેક ખાતર કહેવું પડે એટલે કહ્યું, પરંતુ એનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો.’ ધડ કરતું કુમુદે કહ્યું. જાણે પ્રવીણ સાથે એને કોઈ સંબંધ જ નથી.&lt;/p&gt; &lt;p&gt;લગ્ન પહેલાં પ્રવીણ કુમુદના રૂપ પર મુગ્ધ થયેલો હતો, પણ ઓ રે ! આવા સુંદર મુખમાં આવી કડવી વાણી ? આઘાત પામીને પ્રવીણ જતો રહ્યો. થોડા દિવસ પછી પ્રવીણને શુંય ઉમળકો આવ્યો કે કુમુદને પૂછ્યું :&lt;br /&gt;‘આપણે પિકનિક પર જઈશું ? મારો મિત્ર ભાવેશ ને રૂમાભાભી પણ આવશે.’&lt;br /&gt;‘નિશાળનાં છોકરાં પિકનિક પર જાય, આવડા મોટા ઢગા નહીં.’&lt;br /&gt;‘તું કહેતી હોય તો આબુ જવાનું ગોઠવીએ.’ પ્રવીણ કુમુદને ખુશ કરવા તત્પર હતો.&lt;br /&gt;‘મિત્રોનો સંઘ લઈને આબુ જવાનું ?’ કુમુદે પૂછ્યું.&lt;br /&gt;‘ના રે, આપણે બે એકલાં જઈશું. બોલ, આવતા અઠવાડિયે જઈશું ?’ ઉત્સાહથી પ્રવીણે પૂછ્યું.&lt;br /&gt;‘ના, આવતા વીકમાં તો મારી ફ્રેન્ડની બર્થ ડે છે.’&lt;br /&gt;‘તો તું કહે, ક્યારે જઈશું ?’ આટલી વાતચીતથી પ્રવીણમાં આશાનો સંચાર થયો હતો.&lt;br /&gt;‘આબુ ગયેલાં જ છીએ ને !’ બગાસાં ખાતાં કુમુદ બોલી, ‘હું તો આબુ છપ્પન વાર જઈ આવી છું.’ કુમુદનાં એ વેણમાં જાણે ચાબખાનો માર હતો. પ્રવીણ સ્વમાની હતો. એક જ ઝાટકે એણે એનું મન કુમુદ તરફથી વાળી લીધું. પહેલાં એ કુંવારો હતો ને જે રીતે એ જીવતો હતો એ રીતે એણે જીવવા માંડ્યું. પુસ્તકોની દુનિયામાં પોતાને ખૂંપાડી દીધો. હવે એ કુમુદ સામે જોતો જ નથી. જો કે કુમુદને ય એની પરવા નથી. એના તાનમાં એ મસ્ત છે.&lt;br /&gt;&lt;span id="more-1722"&gt;&lt;/span&gt;&lt;br /&gt;પ્રવીણ એકલો પડી રહે એમાં જાણે એને ખુશી થાય છે. પરંતુ પ્રવીણના કપાળે એકલતાનો અભિશાપ નહીં લખાયો હોય તે એને એક દિવસ લાઈબ્રેરીમાં વિનિતાનો પરિચય થયો. વિનિતા પરિણીત છે. એનો પતિ વકીલ છે. એ આખો દિવસ એની વકીલાત, કોર્ટ અને અસીલમાં જ ડૂબેલો રહે છે. વિનિતા મનમાં અફસોસ કરતી કે શું આવી રીતે જીવવા મેં લગ્ન કર્યાં છે ! કુંવારી હતી ત્યારે કેવી મસ્ત જિંદગી હતી ! અત્યારે તો સાવ સૂની સૂની જિંદગી. ત્યાં એને પ્રવીણનો પરિચય થયો.&lt;/p&gt; &lt;p&gt;બેઉને જિંદગીનો પ્રથમ પ્રેમ મળ્યો હોય એમ બેઉ મહોરી ઊઠ્યાં. પોતાના જીવનસાથી સાથે બેવફાઈ કરે છે એવો અપરાધભાવેય ન અનુભવ્યો કારણ કે બેઉનાં જીવનસાથી એમની તરફ બેદરકાર હતાં. બેઉમાંથી એકેને કોઈ ભૌતિક ચીજવસ્તુની અપેક્ષા ન હતી, માત્ર પ્રેમ આપવો હતો ને પ્રેમ પામવો હતો, હૃદય ભરીને પ્રેમ કરવો હતો. પ્રવીણ બોલે ત્યારે વિનિતા એકાગ્રચિત્તે, સમગ્ર અસ્તિત્વથી એની વાત સાંભળતી અને વિનિતા બોલે ત્યારે પ્રવીણ પણ એકચિત્તે એનો શબ્દે શબ્દ આત્મસાત્ કરતો. વાતો કરવામાં એમને ત્રણે ભુવનનું સુખ લાગતું. એમના પ્રેમમાં કોઈ કામના નથી, મલિનતા નથી; નિષ્પાપ પ્રેમ છે. આ પ્રેમે બેઉનાં હૈયાં સભર બનાવ્યાં, જીવનમાં રંગ-રસ આવ્યાં. હવે બેઉ પ્રસન્ન રહે છે.&lt;/p&gt; &lt;p&gt;કુમુદે પતિમાં આ ફેરફાર જોયો ને ચમકી. આને એવો તો ક્યો અમૃતકુંભ લાધ્યો છે કે હવે મારી સામે જોતોય નથી ! મારા વગર હિજરાતો નથી ને પ્રસન્ન રહે છે ! આજ સુધી જે પતિને કુમુદ ધૂત્કારતી હતી એને બીજી સ્ત્રીએ અપનાવી લીધો છે. પતિ બીજી સ્ત્રીનો થઈ ગયો આ જાણીને કુમુદ ઈર્ષાથી સળગી ઊઠી. પોતે પ્રવીણને સાચવે નહીં, ગણકારે નહીં, ધ્યાન ન આપે તોપણ એની પર સંપૂર્ણ હક એનો જ રહેવો જોઈએ. એ બીજા કોઈનો ન થવો જોઈએ, એવું એ દઢપણે ઈચ્છતી હતી.&lt;/p&gt; &lt;p&gt;પતિને બીજા પાસે જતો રોકવા એ જાતજાતના નુસખા અજમાવવા માંડી, પણ હવે પ્રવીણને કુમુદ માટે કોઈ આકર્ષણ ન હતું. હવે એ રોક્યો રોકાય એમ ન હતો. એક સામાન્ય સર્વવિદિત સત્ય અને અનુભવ એ છે કે સાત ફેરા ફરવાથી સ્ત્રી-પુરુષ પતિ-પત્નીનો દરજ્જો મેળવે છે, પરંતુ પ્રેમ પામવા તો પોતાની જાતને અન્યમાં ઓગાળી દેવી પડે.&lt;/p&gt; &lt;p&gt;કુમુદે પહેલાં અક્કડ રહી પતિના પ્રેમનો પ્રતિભાવ ન આપ્યો. એના મધુર આમંત્રણનો કોઈ સ્વીકાર ન કર્યો. પ્રતિઘોષ ના આપ્યો. પતિ એના સંગ માટે ઝૂરતો હતો ત્યારે એ દૂર રહી અને હવે એ ઝનૂનમાં આવી ગઈ છે. ગઈકાલે જે એનું હતું એ આજે પણ કાયદેસર તો એનું જ છે, પણ એની સાચી સ્વામિની બીજી બાઈ વિનિતા છે અને કુમુદ વંચિતા નારીની જેમ પસ્તાવાની આગમાં જલ્યા કરે છે. ઈર્ષામાં બળ્યા કરે છે. પોતે ભૂલ કરી હવે પસ્તાય છે. પરિણીત સ્ત્રી કે પુરુષે સમજવું જોઈએ કે સાથીદાર પ્રેમનો પોકાર પાડે ત્યારે એને જવાબ આપવો જ જોઈએ. જો એક સાથી બેદરકાર રહે તો દામ્પત્યજીવન ખંડિત થઈ જાય છે. એક વાર મન તૂટે પછી સંધાતું નથી.&lt;/p&gt; &lt;p&gt;પ્રેમ સાતત્ય અનુભવે, સદા ચેતનવંતો કે જીવંત રહેશે એમ ઈચ્છતાં હો તો ભાવનાઓનું જતન કરો. પ્રથમ ક્ષણથી પ્રિયજનની ભાવનાને માન આપો. સુખનો આધાર માલમિલકત, સત્તા પ્રતિષ્ઠા પર નહીં પણ આપણે જેમને ચાહતાં ને સન્માનતાં હોઈએ એમની સાથેના સંબંધ પર રહે છે. એ સંબંધમાં મજાક ન ચાલે, અવહેલના કે અવગણના ન ચાલે. પ્રેમ માગે છે નિષ્ઠા.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-2128697622882182489?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/2128697622882182489/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2111.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2128697622882182489'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2128697622882182489'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2111.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-7388887801768142525</id><published>2009-08-13T18:07:00.000-07:00</published><updated>2009-08-13T18:08:27.322-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;બાવળ ન બની જાય ! – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;&lt;p&gt;‘અમે તમારા દીકરા વિશે તમારા મોટાભાઈ ભાભીને પૂછ્યું તો એમણે કહ્યું અમારે એમની સાથે ખાસ સંબંધ નથી.’ એક સજ્જન જેમના ઘેર લગ્નયોગ્ય શિક્ષિત, સોહામણી દીકરી છે તેઓ ગગનભાઈને કહી રહ્યા છે. ગગનભાઈને એમના મોટાભાઈ સાથે જરાય અણબનાવ નથી. મન ઊંચા થાય એવી પરિસ્થિતિ એમણે કદી ઊભી થવા જ નથી દીધી. જીવનના આરંભે જ્યારે એમની ખાસ કમાણી ન હતી ત્યારે સઘળી મિલકત મોટાભાઈને સોંપીને તેમણે ઘર છોડી દીધું હતું. એમની પત્ની સૂર્યા પણ એમને અનુસરી હતી.&lt;/p&gt; &lt;p&gt;ગગનભાઈએ મિલકત પરથી હક ઉઠાવી લીધો હતો પણ છેક સુધી માબાપને એમણે જ સાચવ્યા હતા, કૌટુંબિક વ્યવહાર કરવામાં તેઓ પૈસા અને જાતથી ઘસાતા હતા, ચૂપચાપ પોતાની ફરજ બજાવતા હતા. તેમ છતાં મોટાભાઈએ પોતાના વિશે આવું કહ્યું તેથી ગગનભાઈ વ્યથિત થઈ ગયા. તેઓ જાણે છે કે ભાભી તો પોતાને સારા બતાવવા કાયમ ગગનભાઈ અને સૂર્યાને વગોવે છે, ના હોય ત્યાંથી ખોટી વાતો ઉપજાવી કાઢે છે. પણ ભાઈ ? ભાઈએ આવો અભિપ્રાય આપ્યો ? પચીસ વર્ષથી ઘર જુદાં છે પણ મન ? મનમાંય આટલો બધો વિરોધ ? આજ સુધી ગગનભાઈ મોટાભાઈની આમન્યા જાળવતા હતા પણ આજે એમને આઘાત લાગ્યો. સૂર્યાએ આ વાત જાણી, પણ પતિનું મુખ જોઈને એ ચૂપ રહી. પતિ સાથે આ સંદર્ભે જરાય ચર્ચા ન કરી.&lt;/p&gt; &lt;p&gt;ગગનભાઈ વિચારે છે, મોટાભાઈ મારાથી બાર વરસ મોટા, મિલકત બધી એમના હાથમાં સોંપી છે, સામાજિક વ્યવહાર પણ એ સંભાળે છે. હા, વ્યવહારમાં થતા ખરચાનો અડધો ભાગ યાદ કરીને લઈ લે છે, છતાં બહાર તો એમ જ કહે છે, મેં બધું કર્યું, એમનું આ જૂઠાણું મારા કાને આવે છે છતાં હું સાચી વાત શું છે એ કોઈને કહેતો નથી.&lt;br /&gt;મોટાભાઈના ઘેર પ્રસંગ હોય તોય અમને આવકાર નહીં, પછી હેત અને ઉમળકાની વાત જ ક્યાં કરવાની ? અરે, સૂર્યાને તો રીતસરની બાજુએ ધકેલે. કોઈ વિધિમાં સામેલ ના કરે. સૂર્યાને આ કારણે ઓછું આવી જતું. ક્યારેક બળાપો ય કરી લેતી કે મોટાભાઈ – ભાભી સારું વર્તન કરીને સારા દેખાવને બદલે આપણને ખરાબ ચીતરીને સારા દેખાવા પ્રયત્ન કરે છે. કોઈ આપણા સૌજન્ય અને શાલીનતાના વખાણ કરે તો કંઈ કેટલીય વાતો તેઓ ઉપજાવી કાઢે છે. ગગનભાઈ પત્નીને સમજાવતાં :&lt;br /&gt;&lt;span id="more-1988"&gt;&lt;/span&gt;&lt;br /&gt;‘એમની વાતો લક્ષમાં જ નહિ લેવાની.’&lt;br /&gt;‘હું ય માણસ છું, એમનું વર્તન રાતદિવસ મને કોતર્યા કરે છે. મને થાય છે, એ તમારા સગા મોટાભાઈ છે, તમારા બેઉની મા એક છે, બાપ એક છે તોય કેમ આવું ઓરમાયું વર્તન ? આપણે એમની પાસેથી કોઈ ચીજવસ્તુની આશા નથી રાખતા, મારી તો એક જ અપેક્ષા છે આપણા વિશે એ ખોટું ના બોલે. એટલી તો આશા હું રાખી શકું ને ?’&lt;br /&gt;‘આશા રાખ પણ આગ્રહ ના રાખ, નહિ તો તું દુ:ખી થઈશ.’&lt;br /&gt;‘દુ:ખી તો હું થાઉં છું જ, હું એ બધાને મારા ગણું છું, એમના માટે ઘસારો ય હોંશે હોંશે વેઠું પણ તેઓ તો આપણને એમના ગણતા જ નથી, એટલું જ નહિ પણ આપણને સતત વગોવ્યા કરે છે અને હું વડીલ તરીકે એમની આમન્યા જાળવીને કોઈના ય મોંએ એમની જૂઠી વાતનો રદિયો નથી આપી શકતી.’&lt;/p&gt; &lt;p&gt;‘સૂર્યા, તારો આ વિવેક મને ગમે છે, પણ તું જીવ શું કામ બાળે છે ? તું લાગણીમાં તણાઈશ નહિ, આપણું સ્વતંત્ર ઘર છે, આપણો દીકરો ભણેલો છે પછી તું ચિંતા શું કામ કરે છે ?’&lt;br /&gt;‘પણ એમની આંખમાં આપણા માટે અમી કેમ નથી ? એમનું આપણે કશુંય બગાડ્યું નથી છતાં આટલું ઝેર કેમ ?’&lt;br /&gt;‘તારી જેમ હું ય વલોવાતો જ હતો, પણ અત્યારે આ ક્ષણે મારા મનમાં એક ઝબકાર થયો છે એની વાત કરું, ભાઈ-ભાભી ભલેને આપણને પોતાનાં નથી ગણતાં, પણ ભગવાન તો આપણને એના ગણે છે ને ? એ આપણી કાળજી લે છે પછી આપણે શું કામ વલોપાત કરવાનો અને દુ:ખી થવાનું ? આમાં તો આપણો સ્વભાવ બગડી જાય. આપણને આવાં સગાં આપીને ઈશ્વર આપણને કહેવા માગતો હશે કે તું ખોટી મોહમાયામાં ફસાઈશ નહિ. એમના હેતપ્રેમની અપેક્ષા રાખવામાં તું તારી ચારેબાજુ અગણિત નાનામોટાં બંધનો ઊભા કરીને તારી જાતને એમની સાથે જોડવા પ્રયત્ન કરે છે એમાં તો તું વધારે એકાકીપણું ભોગવે છે.’&lt;/p&gt; &lt;p&gt;‘તું ખોટી ભ્રમણા અને મિથ્યા આદર્શોમાંથી બહાર આવ. એક વાર સ્વીકારી લે કે આપણાં સગાં પિત્તળ છે, એમની સાથે હૈયાનો મેળ નથી. વરસો સુધી એ પિત્તળ સોનામાં પલટાઈ જશે એ આશા રાખી, પણ હવે હકીકતનો સ્વીકાર કરી લે કે આપણા અને એમના સૂર નહિ મળે. નરસિંહ મહેતાના જેવો ભાવ અનુભવ કે આ જંજાળમાંથી મુક્ત થવામાં ભલું જ છે, હવે મનગમતી પ્રવૃત્તિમાં મસ્ત બનીને સંપૂર્ણ આનંદસભર જિંદગી જીવીશું. હા, આપણી સરળતા અને સ્નેહભર્યો ઉદાર સ્વભાવ અકબંધ જાળવીશું. પણ મોટાભાઈ-ભાભીનો વિચાર કરીને કલેશ નહિ પામીએ, ઉદાસ નહિ થઈએ, એમના વ્યવહારથી કલુષિત થયેલા સંબંધથી આપણી જાતને મુક્ત રાખીશું, તો જ આપણું જીવન રળિયામણું બનશે. ગુલછડીનો મોહ રાખવામાં જોજે તું બાવળ ન બની જાય…’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-7388887801768142525?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/7388887801768142525/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8440.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7388887801768142525'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7388887801768142525'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8440.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-7786719486808186770</id><published>2009-08-13T18:05:00.000-07:00</published><updated>2009-08-13T18:06:06.538-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;જીવનસાથીની પસંદગી – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                                       &lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt; &lt;p&gt;&lt;img src="http://www.readgujarati.com/sahitya/wp-content/uploads/2008/06/pic2.jpg" alt="sapnane" width="183" align="right" height="277" /&gt;કુલીને અર્પિતાને સૌથી પ્રથમ એક સંગીત સમારંભમાં જોઈ. જોઈ એવી જ એને અર્પિતા ગમી ગઈ. કુલીન એન્જિનિયર હતો. પાંત્રીસ વરસનો હતો છતાં હજી લગ્ન કર્યાં ન હતા. એને પોતાનું કારખાનું હતું. કામધંધામાંથી જે સમય બચે એ સંગીતસાધનામાં ગાળતો હતો. તે એક ઉસ્તાદ પાસે સંગીતની તાલીમ લેતો હતો. સંગીતના કાર્યક્રમોમાં એ અચૂક જતો. આવા જ એક કાર્યક્રમમાં એ અને અર્પિતા મળી ગયાં. બેઉ એકબીજા પ્રત્યે આકર્ષાયાં. વગર કહે બેઉને એકબીજાના પ્રેમનો અહેસાસ થયો. ખાતરી થઈ. બેઉ વારંવાર મળવા માંડ્યાં.&lt;/p&gt; &lt;p&gt;સમય પસાર થતો ગયો. કુલીને લગ્નની વાત ના ઉચ્ચારી તો અર્પિતાએ જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કુલીન બોલ્યો : ‘આપણે નિર્ણય લઈએ એ પહેલાં તમે એક વાર મારા ઘેર આવો. ઘર જુઓ.’&lt;br /&gt;‘ઘરને શું જોવાનું ? મેં તો તમને જોયા છે ને મારા હૈયાએ કબૂલ કર્યા છે. હવે વધારે વિચાર કરવાની કે તમારું ઘર જોવાની જરૂર નથી લાગતી.’&lt;br /&gt;‘પણ હું જેમની સાથે રહુ છું તેમને એક વાર તમે જુઓ, મળો.’&lt;br /&gt;‘એ બધાંને શું કામ મળવાનું ? રહેવાનું તો આપણે બંનેને છે.’&lt;br /&gt;‘મારી સાથે મારાં એ સગાં આવી જાય છે. તેઓ આજીવન મારી સાથે મારા ઘર સાથે જોડાયેલાં છે.’ મક્કમતાથી કુલીને કહ્યું.&lt;br /&gt;‘આમાં કોઈ નવી વાત નથી. જેઓ તમારી સાથે જોડાયેલાં છે એ બધાં મારી સાથે જોડાશે. પતિનાં સગાં આપોઆપ પત્નીનાં સગાં બને છે. ભારતીય છોકરીને આ બધું કહેવાનું ન હોય.’ અર્પિતાએ સ્પષ્ટતા કરી.&lt;/p&gt; &lt;p&gt;‘છતાં તમે ઉતાવળ ન કરો, આદર્શમાં ખેંચાઓ નહીં. મારા ઘરમાં મારી સાથે મારાં વૃદ્ધ નાનીમા, મારા મામા અને મારી બા રહે છે. નાનીમા બાણું વરસનાં છે. લગભગ પથારીમાં છે. એમના માટે ખાસ એક બાઈ રાખી છે, જે એમનું બધું કામ કરે છે, માટે એમની વિશેષ કોઈ જવાબદારી મારા માથે નથી પણ મામા અસ્થિર મગજના છે. એ બોલવા માંડે તો બોલવા જ માંડે, ભાષણો જ કરે અને ચૂપ થઈ જાય તો દિવસો સુધી એક અક્ષરે બોલે નહીં. એક જ જગ્યાએ બેસી રહે. ખાય નહીં, પીએ નહીં, અને મારાં બાના જીવનમાં એવા આઘાત આવી ગયા છે કે એમનું મન સાવ દુર્બળ બની ગયું છે. કોઈ અજ્ઞાત ભયથી એ સતત ફફડતાં રહે છે. બારી કે બારણું જોરથી અથડાય, ડોરબેલ વાગે કે ટેલિફોનની રિંગ વાગે તોય થરથર ધ્રૂજે. કોઈ એમને મારવાનું હોય એમ શરીર સંકોચીને એક ખૂણામાં ભરાઈ જાય. એમને સતત આશ્વાસન અને હૂંફની જરૂર પડે છે. કોઈ વાર ધંધાકીય કામ વધારે હોય અને એમની સાથે એમને સંતોષ થાય ત્યાં સુધી બેસું નહીં તો એમને ઓછું આવી જાય ને રડવા માંડે. એક વાર એ રડવા માંડે તો કલાકો સુધી રડ્યા જ કરે. એમને છાનાં રાખવાં ભારે પડી જાય.’ કહેતાં કહેતાં કુલીન ગળગળો થઈ ગયો.&lt;br /&gt;&lt;span id="more-2084"&gt;&lt;/span&gt;&lt;br /&gt;‘તમારા સિવાય આ બધાંને સંભાળનાર બીજું કોઈ નથી ?’ અર્પિતાએ પૂછ્યું.&lt;br /&gt;‘ના, મારે કોઈ ભાઈબહેન નથી. હું એકનો એક છું. હું અગિયાર વરસનો હતો ત્યારે મિલકતના ઝઘડામાં અંદરોઅંદરનાં સગાંએ જ મારા બાપુજીને ઝેર આપ્યું ને બાપુજી તત્કાળ મૃત્યુ પામ્યા. ત્યારે અમારો જીવે જોખમમાં હતો. આ બધું બર્મામાં બન્યું. ત્યાં લાખો રૂપિયાની મિલકત રહેવા દઈને થોડુંક ઝવેરાત જે હાથવેંત હતું તે લઈને બા મને લઈને ત્યાંથી ભાગી. કોને ખબર એનામાં ક્યાંથી એટલી હિંમત અને હૈયા ઉકલત આવ્યાં ? અમે મારા મોસાળ ભાવનગર પહોંચ્યાં. નાનાજીએ અમને સાચવ્યાં. પણ સ્થિરતા કે શાંતિ અમારા નસીબમાં લખાયાં ન હતાં. પાંચેક વરસ પછી મારા નાનાજીનું હાર્ટફેલ થયું. એ વરસે મેં મેટ્રિકની પરીક્ષા આપી હતી. મારા મામા મદ્રાસ સેટલ થયા હતા. મામા નાનીમા, મને અને મારી બાને મદ્રાસ લઈ ગયાં. મામા-મામીનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો. અમે ત્યાં બરાબર ગોઠવાઈ ગયાં. પણ નિરાંતનો શ્વાસ લીધો ના લીધો ને ત્રીજા જ વરસે એક મોટર અકસ્માતમાં મામાનો એકનો એક પચ્ચીસ વરસનો દીકરો મૃત્યુ પામ્યો. દીકરા પાછળ રડી રડીને મામી પણ ગયાં. આઘાતથી મામાનું મગજ સમતોલપણું ગુમાવી બેઠું. મારી બાએ હબક ખાઈ ગઈ કે અમે એવાં તે શાં પાપ કર્યાં છે કે જ્યાં જઈએ છીએ ત્યાંનું સુખ નષ્ટ થઈ જાય છે ને વિપદા આવે છે. આમ, આક્રોશ ને કલ્પાંતમાં બાનું હૃદય, મન સાવ નિર્બળ થઈ ગયાં.’&lt;/p&gt; &lt;p&gt;વાત સાંભળતાં સાંભળતાં અર્પિતાની આંખમાં આંસુ આવી ગયાં. એ કંઈ બોલી શકી નહીં. સહેજ વાર અટકીને કુલીન બોલ્યો, ‘મોતને વારંવાર આવા બિહામણા સ્વરૂપમાં જોવાથી હુંય થોડો નિરાશાવાદી થઈ ગયો છું. મારું બાળપણ ભયમાં જ વીત્યું છે. બા મને નજર આગળથી દૂર જવા દેતી નહીં. નિશાળે જાતે તેડવા-મૂકવા આવતી. સરખેસરખા મિત્રો સાથે રમવા જવા દેતી નહીં. પિકનિક કે પ્રવાસે જવા દેતી નહીં. એને કોઈની પર ભરોસો રહ્યો ન હતો. મને કોઈના ત્યાં જવા દેતી નહીં. વાતે વાતે એ શંકા કરતી. બધાંને વહેમથી જોતી. ક્યારેક તો દેખીતું કોઈ કારણ ના હોય છતાં એના મનમાં શું ભાવ જાગે કે મને છાતીસરસો દાબીને રડ્યા કરે. રાત્રે હું ઊંઘતો હોઉં ત્યારે હજુય એ આવીને મારા મોંએ, માથે હાથ ફેરવે છે. ક્યારેક લાગણીથી હું માત્ર એટલું જ કહું કે શું કરવા વારંવાર ઊઠીને આવો છો ? શાંતિથી સૂઈ જાઓને, તોય એ રડી પડે. સતત ભય અને ડરમાં એ જીવે છે. કંઈ ખરાબ બનશે તો એની દહેશતમાં એ ચેનથી જીવતાં નથી.’&lt;/p&gt; &lt;p&gt;‘તમારા બા માટે બહુ લાગણી થાય છે. એમને કેટકેટલું વેઠવું પડ્યું ?’&lt;br /&gt;‘હા, એટલે જ એમનું દિલ જરાય દુભાય એ હું ના સહી શકું. મારી બાને હું વધારે દુ:ખી કરવા નથી માંગતો. વળી, મામાનીય કાળજી લેવાની છે, નાનીમાનુંય ધ્યાન રાખવાનું, મારી આટલી બધી જવાબદારીમાં સાથ આપે એવું પાત્ર ક્યાંથી મળે ?’&lt;br /&gt;‘કેમ ના મળે ?’ અર્પિતાએ પૂછ્યું.&lt;br /&gt;‘તમે જાણો છો મારી માને સાચવવી એટલે શું ? એમના મનમાં એક વાત આવે એ રીતે જ થવું જોઈએ. એમને સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સામા માણસને પોતાની અલગ જિંદગી હોય, વિચારો હોય, ગમતું ના ગમતું હોય, અગવડ હોય એવું કશું એ સમજી શકતાં નથી. એવું સમજવાની શક્તિ જ એ ગુમાવી બેઠાં છે. એમને સાચવવા કેટલી ધીરજ અને સંયમ જોઈએ. એમને શાંતિ આપવા રોજ કલાકો સુધી હું એમની પાસે એમને પંપાળતો બેસી રહું છું. કઈ પત્ની આ બધું ચલાવી લે ? અને આ બેચાર દિવસ માટે નથી. આ સેવા એ જીવે ત્યાં સુધી કરવાની છે. અને બદલામાં મારી પત્ની થઈને આવનાર સ્ત્રી શું પામે ?’&lt;br /&gt;‘કેમ આમ બોલો છો ? તમારી કસોટીરૂપ આવા આકરા કામમાં એ સાથ આપે તો એને તમારો અનહદ પ્રેમ મળે. દુ:ખમાં જ પતિપત્ની એકબીજાની વધારે નજીક આવી શકે છે. દુ:ખમાં સહભાગી થવામાં મનને જે સંતોષ મળે છે એ અમૂલ્ય છે. જેને ચાહતા હો એના દુ:ખનો ભાર હળવો કરવામાં તો સાર્થકતા લાગે.’ અર્પિતા ભાવથી બોલી.&lt;br /&gt;‘ઓહ, આવું બધું તમે આધુનિક સ્ત્રી વિચારી શકો છો ?’ નવાઈ પામતો કુલીન બોલ્યો.&lt;br /&gt;‘આધુનિક સ્ત્રીને તમે શું સમજો છો ? શું એને હૃદય નથી હોતું ? ભાવના કે આદર્શ નથી હોતાં ?’&lt;br /&gt;‘સૉરી, પણ મારી જનરલ છાપ એવી છે કે આધુનિક સ્ત્રી સ્વકેન્દ્રી હોય છે. તે પોતાનાં સુખસગવડનો, વિકાસનો, એશઆરામનો જ વિચાર કરે છે. બીજાના ખાતર કંઈક સહન કરવું, ભોગ આપવો કે ત્યાગ કરવો એમાં એ માનતી નથી. યુવતીઓ જ નહીં યુવકો પણ આવી જ વિચારસરણી ધરાવે છે. આ જમાનો જ નફાનુકશાનની ગણતરીનો છે. ત્યાં મારી સાથે ખોટનો ધંધો કરવા કોણ કબૂલ થાય ? ત્યાગના પંથે સાથી બનવાનું આમંત્રણ મારાથી કોને અપાય ?’ બોલતાં બોલતાં કુલીન અટક્યો, એટલે અર્પિતા બોલી : ‘કહેવાનું હતું એટલું કહી દીધું તમે ?’ અર્પિતાના બોલવામાં જાણે અધિકાર હતો.&lt;br /&gt;‘હા’&lt;/p&gt; &lt;p&gt;‘તો હવે મારી વાત સાંભળો, તમે કહો છો એ અમુક અંશે સાચું છે. માણસનાં જીવનમૂલ્યો, આદર્શો, ભાવનાઓ બદલાયાં છે. માણસ પોતાનાં અંગત સુખનો વિચાર પહેલાં કરે એ સ્વાભાવિક છે. પણ સુખની વ્યાખ્યા માણસે માણસે જુદી હોય છે. મને પોતાને ભૌતિક ભોગવિલાસ કે રંગરાગ કરતાં પતિનો પ્રેમ પામવામાં વધારે સુખ લાગે છે. પતિનાં સુખદુ:ખમાં ભાગીદાર થવામાં જે ઐક્ય અનુભવાય એમાં જ જીવનની ધન્યતા લાગે છે. હું પ્રેમની શોધમાં છું. હું ઈચ્છું છું એવો પ્રેમ તમારી પાસેથી જ મને મળી શકે. તમને તમારાં સગાંઓ સાથે હું મારા જીવનમાં આવકારું છું. તમારી બધી જવાબદારીઓ મારી છે.’&lt;/p&gt; &lt;p&gt;કુલીન આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યો. બોલ્યો, ‘છતાં પણ હું તમને વિનંતી કરું છું, કોઈ પણ આવેશ કે આવેગમાં નિર્ણય ના લો. મારા ઘેર આવો. સાથે તમારાં વડીલોને પણ લાવો.’ અર્પિતા એનાં બા-બાપુજીને લઈને કુલીનના ઘેર ગઈ. ત્યાં નાનીમા, મામા અને બાને જોયાં. એમને જોઈ એને પોતાપણાની લાગણી થઈ આવી. બોલી : ‘હવે તો તમારી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા વધારે પ્રબળ થઈ છે.’ અર્પિતાનાં માબાપને પણ કુલીનની સજ્જનતા, ખાનદાની, ગંભીરતા અને પ્રેમ સ્પર્શી ગયાં. તેમણે સંમતિ આપી અને બેઉ પરણી ગયાં.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-7786719486808186770?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/7786719486808186770/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9609.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7786719486808186770'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/7786719486808186770'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9609.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-1278816828556778426</id><published>2009-08-13T18:03:00.001-07:00</published><updated>2009-08-13T18:03:45.616-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;તેઓ માત્ર આપવાનું જ જાણે છે – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;બત્રીસ વર્ષની ઉંમરે કિસાનાં લગ્ન ચાળીસ વર્ષના પ્રોફેસર હરિત સાથે થયાં. આજથી વીસ વર્ષ પહેલાં હરિતનાં માબાપ એક કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં, ત્યારથી હરિતની મોટી બહેને ઘરની જવાબદારી માથે લીધી હતી. એ અપરિણીત હતી. કિસા પરણીને આવી ત્યારે એને પૂરો ખ્યાલ હતો કે આજ સુધી મોટી બહેને ઘરને સાચવ્યું છે. કિસાને હરિતે કોઈ સલાહસૂચન નહોતાં આપ્યાં કે ખાતરી નહોતી માગી, છતાં એ જાણતી હતી કે મોટાં નણંદનાં મન અને માન સાચવવાની જવાબદારી હવે એની છે.&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;મોટી બહેન સુજ્ઞાના દિલને જરાય આંચકો ન લાગે એમ કિસાએ એક પછી એક ઘરનાં કામ પોતાના હાથમાં લઈ લીધાં. દરેક કામ એ પોતે કરતી પણ સુજ્ઞાને પૂછીને જ કરતી. સુજ્ઞાની જરાય અવગણના ન કરતી. એ મહિને મળેલો પગાર હરિતે કિસાના હાથમાં મૂક્યો તો કિસા બોલી, ‘આજ સુધી મોટી બહેને પૈસાનો કારભાર સંભાળ્યો છે તો આજે પગાર એમના હાથમાં જ આપો. નાણાંનો વ્યવહાર એ જ સંભાળશે.’&lt;br /&gt;‘આ પૈસા તું એમને આપી દેજે ને !’ હરિતે કહ્યું.&lt;br /&gt;‘ના, તમે તમારા હાથે જ એમને આપો.’ કિસાએ વિનયથી કહ્યું.&lt;br /&gt;હરિત બોલ્યો : ‘હું શું ને તું શું ? નાની વાતમાં તું આટલી ચિકાશ કેમ કરે છે ? લે, આપી દેજે બહેનને.’&lt;br /&gt;‘એ તમે ન સમજો. હું નાની એમને આપું એ એમને અપમાન લાગે. આજ સુધી તમે જે રીતે વિવેકપૂર્વક કરતા આવ્યા છો એમ જ કરો. એમને જરાય ઓછું ન આવવું જોઈએ.’&lt;br /&gt;‘તું ય ગજબની છે. મારી બહેન સમજુ છે, નાની નાની વાત લક્ષ્યમાં લે એવી નથી.’ હરિત બોલ્યો, પરંતુ કિસાના આગ્રહથી એ સુજ્ઞાને પૈસા આપવા ગયો.&lt;/p&gt; &lt;p&gt;હરિત જે ના સમજે એ કિસા સમજે છે કારણ કે કિસા એક સ્ત્રી છે. એ જાણે છે કે સ્ત્રીનું મન કેટલું આળું હોય છે, નાની બાબતો એના મન પર કેવી અસર કરે છે ને એ દુ:ખી થઈ જાય છે. આજ સુધી આ ઘરમાં બહેન કર્તાહર્તા હતી. એનું એ આસન જરાય ડગમગવું ના જોઈએ. કિસા સુજ્ઞાનો પળેપળ આદરમાનથી ખ્યાલ રાખે છે છતાં પોતે નણંદ માટે વધારે પડતું કરે છે કે એના માટે ખાસ ભોગ આપે છે એવો કોઈ ભારબોજ એનાં વાણી કે વર્તનમાં દેખાતો નથી. બધું ખૂબ સ્વાભાવિકતાથી એ કરે છે. એ આ ઘરમાં આવી ત્યારથી માત્ર પતિનેજ નહીં, નણંદને પણ સંપૂર્ણપણે પોતાનાં માની લીધાં હતાં. આ ઘરમાં એણે પગ મૂક્યો ત્યારથી એને એની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો, કે આ ઘરનો ખૂણેખૂણો હેતપ્રેમ અને કાળજીથી એણે ભરી દેવાનો છે. ઘરની વહુ તરીકે એ એનું કર્તવ્ય છે.&lt;br /&gt;&lt;span id="more-2276"&gt;&lt;/span&gt;&lt;br /&gt;વળી હરિત અને સુજ્ઞા સ્વમાની અને શિક્ષિત હતાં. એટલે એક મનોચિકિત્સકની જેમ એમના મૂડ પારખીને એમની લાગણીઓની માવજત કરવાની હતી. ક્યાંય દયા બતાવે છે એવું ના દેખાવું જોઈએ. ક્યાંક બહાર જવાનું હોય ત્યારે કિસા કાયમ સુજ્ઞાને આમંત્રણ આપતી. સુજ્ઞા વિચારતી : ભાભી સારી છે તો મને સાથે જવાનું કહે છે; પણ એમ કંઈ જવાય નહીં. નવાં પરણેલાં ભાઈ-ભાભી સાથે જવાનો મને હક નથી પહોંચતો. ભાઈ પરણ્યો છે. હવે હું એક બાજુ ખસી જાઉં એમાં જ મારું શાણપણ છે, શોભા છે. તેથી સુજ્ઞા ના પાડતી; હસીને સ્નેહપૂર્વક સાથે જવાનો ઈન્કાર કરતી.&lt;br /&gt;પોતાની વહાલસોયી નણંદની ના સાંભળીને કિસા બોલી ઊઠતી, ‘તમે નહીં આવો તો આપણે ત્રણે ઘેર બેસીને વાતો કરીશું.’ હવે ? હવે જો સુજ્ઞા ના પાડે તો કિસાનું અપમાન છે. એની નિષ્ઠા અને એના હેતનું અપમાન છે. એને નકારવાની શક્તિ સુજ્ઞામાં નથી. સુજ્ઞાનું હૈયું હેતપ્રેમ અને આનંદ-ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું. ઘરનો ખૂણેખૂણો સુખથી ઝળહળી ઊઠ્યો. આવી સમજદાર, ઉદાર અને પ્રેમાળ જીવનસાથી માટે હરિત ઈશ્વરનો આભાર માને છે.&lt;/p&gt; &lt;p&gt;દુનિયાના દરેક દેશના શાણા માણસો પોકારી પોકારીને કહે છે કે ઘરનાં સુખનો આધાર બહુધા સ્ત્રી પર જ હોય છે. સ્ત્રીએ એક મનોચિકિસ્તકની જેમ ઘરનાં દરેક સભ્યને અને એની લાગણીઓને સમજીને એ સંતોષાય એ રીતે વ્યવહાર કરવો જોઈએ. કિસા જેવી યુવતી બીજાને સુખી કરવાનું પોતાનું પરમ કર્તવ્ય માને છે. એ સામી વ્યક્તિમાં ઓગળી જવા તત્પાર હોય છે. એને અહમ નથી હોતો. એવું કહેવાય છે કે પ્રેમ એટલે આત્મવિલોપનની સતત પ્રક્રિયા. તમામ ઈચ્છાઓની શરણાગતિ અને નર્યું સમર્પણ. પ્રેમના કારણે જ પ્રેમના ઐશ્વર્યનો અનુભવ થાય છે. પ્રેમ આપવાનું જ જાણે છે. પોતે આપે છે એવું સામી વ્યક્તિને ભાન પણ નથી કરાવતી. આવી યુવતીઓ કર્તવ્યપરાયણ હોય છે.&lt;/p&gt; &lt;p&gt;આવી જ વાત છે નૃપાની. એ પરણી ત્યારે નિશાળમાં નોકરી કરતી હતી. પણ સાસરે આવીને એણે જોયું કે સાસુની તબિયત જરાય સારી નથી; લગભગ પથારીવશ છે. નાનીમોટી ફરિયાદોથી એમનું શરીર કંતાઈ ગયેલું. નૃપાએ જોયું કે સાસુને કાળજીભરી માવજત અને આરામની જરૂર છે અને એમની ચાકરી કરવાની મારી ફરજ છે. નૃપાએ તરત પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. એનાં સાસુ-સસરાએ કહ્યું કે આવી સારી નોકરી શું કામ છોડે છે ? નૃપાના મમ્મી-પપ્પાને પણ થયું કે દીકરી આદર્શમાં તણાઈને કૅરિયર બગાડે છે. અરે, નૃપાના વર સૌમિલે કહ્યું : ‘મમ્મીને સવાર-સાંજ મદદ કરજે ને, ચાલશે. તું ભાવનાના આવેશમાં નિર્ણય ના લે. પછી કદાચ આવી સારી નોકરી ના મળે…’ પણ નૃપાએ કોઈનું સાંભળ્યું નહીં. એણે નોકરી છોડી દીધી. એણે સાસુની આયુર્વેદિક દવા શરૂ કરી. પાચનશક્તિ નબળી પડી ગઈ હતી તો દર બે-ત્રણ કલાકે કંઈ ગરમ બનાવીને આપતી. એમનું મન પ્રસન્ન રહે માટે સાહિત્યનું કંઈક કંઈક વાંચતી. યોગ્ય માવજતથી એનાં સાસુ એકાદ વરસમાં સાજાં થઈ ગયાં.&lt;/p&gt; &lt;p&gt;નૃપાની બહેનપણીઓ એને અવારનવાર કહેતી : ‘તારું એક વર્ષ ફોગટ ગયું.’ ત્યારે નૃપા કહેતી, ‘શરૂઆતમાં મેં ફરજ સમજીને મમ્મીની સેવા શરૂ કરી હતી, પણ મને મમ્મીનાં એટલાં લાડપ્યાર મળ્યાં કે મને થાય છે મેં કશું ગુમાવ્યું નથી, મને જે મળ્યું એ અણમોલ છે, નોકરી કરતાં ક્યાંય વધારે. મને જીવનનું એક પાસું જોવા ને અનુભવવા મળ્યું, કે પ્રેમ આપો તો પ્રેમ મળે જ. સમાજમાં બહુ વગોવાઈ ગયેલાં સાસુ-વહુના સંબંધમાંથી મને તો ફાયદો જ થયો છે. મેં આપ્યું એનાથી અનેકગણું હું પામી છું અને હું તો માનું છું કે મારી ટીચર તરીકેની કૅરિયર મારા જીવનનો એક ભાગ હતી, સમગ્ર જીવન નહીં. જીવન તો બહુ મોટું છે, એમાં પ્રેમ જીવનનું મુખ્ય કેન્દ્રબિંદુ છે, સુખનું ઉદ્દભવસ્થાન છે.’ પોતાની જાતને અર્પી દેવામાં ગૌરવ હોય છે એના કરતાંય વધારે તૃપ્તિનો આનંદ હોય છે એ નૃપા નાની ઉંમરમાં સમજી છે.&lt;/p&gt; &lt;p&gt;આધુનિક વિચારસરણીવાળી નોકરી કરતી યુવતી સ્વને ભૂલીને પતિ કે કુટુંબ માટે ઘસાવાનું બિનજરૂરી માને છે. પરંતુ પોતાની જાતને ઘરના હિત ખાતર અને કુટુંબીજનોનાં સુખ ખાતર ઓગાળી નાખવામાં કર્તવ્ય સમજનાર ગુણિયલ ગૃહલક્ષ્મી કુટુંબના શ્રેષ્ઠ સત્વનું પ્રતીક છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આ આદર્શ છે. ઘરમાં આવી સ્ત્રી હોય તો કોઈ સમસ્યા સર્જાય નહીં.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-1278816828556778426?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/1278816828556778426/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2248.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1278816828556778426'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1278816828556778426'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_2248.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-1014978926203240857</id><published>2009-08-13T18:01:00.001-07:00</published><updated>2009-08-13T18:01:46.590-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;અદ્દભુત છે આ માતાઓ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;ઈન્ડિયાથી બોસ્ટન જતી વખતે એમ્સટર્ડમ પાંચ કલાકનો હોલ્ટ હતો. હું નિરાંતે ફરીને એરપોર્ટ જોતી હતી. ત્યાં એક બુક શોપ પર બેન્જામીન સાથે ઓળખાણ થઈ. એ સાહિત્યમાં રસ ધરાવતા હતા. વિશ્વસાહિત્યની શિષ્ટ કૃતિઓ વાંચેલી, ટાગોર અને રજનીશ વિશે પોતાનો અભિપ્રાય આપીને ભારતીય સંસ્કૃતિ વિશે એ મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. મનેય રસ પડ્યો અને શાંતિથી વાત થઈ શકે માટે અમે ફરવાનું મૂકીને રેસ્ટોરાંમાં જઈને બેઠાં. થોડી અંગત વાતો થઈ. બેન્જામીનને મેં કહ્યું કે મારી દીકરી ભણે છે, જૉબ કરે છે અને એને નાનો દીકરો છે તેથી મદદ કરવા હું બોસ્ટન જાઉં છું.&lt;br /&gt;તો તરત મને કહે : ‘તમારી દીકરી અને એના વરે એમનાં કામ ગોઠવવાં જોઈએ, તમારે શું કામ જવાનું ? એમની જિંદગી એમને સંભાળવા દો.’&lt;br /&gt;‘હું હોઉં તો એમને દીકરાની ચિંતા ન રહે, ઘેર આવે તો તૈયાર રસોઈ મળે. અમારી રસોઈ સહેજે કલાક દોઢ કલાક માગી લે, ઘરનાં અન્ય કામો જાતે કરવામાં એમને યંત્રવત દોડધામ કરવી પડે, જીવનની મઝા જ જતી રહે. હું હોઉં તો દીકરી-જમાઈને રાહત રહે.’&lt;br /&gt;‘તમારી દીકરી જીવનની મઝા માણી શકે માટે તમે તમારાં ઘરબાર, પતિને છોડીને મહિનાઓ સુધી પરદેશમાં પડી રહેશો. તમારી જિંદગી ભૂલી જશો ?’&lt;br /&gt;‘ઘરબાર અને પતિથી દૂર રહું એટલે જિંદગી ભૂલી જવાય એવું મને તો નથી લાગતું. જિંદગીમાં એક નવો વળાંક આવ્યો છે, એક નવો રંગ જોવા મળ્યો છે, હું ને મારા પતિ અમારું બદલાયેલું જીવન માણીએ છીએ. અમારું સંતાન સુખેથી જીવે, એને તકલીફ ન પડે એ જ અમારો ઉદ્દેશ છે અને એ પાર પડે છે એથી આનંદ છે.’&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;આ સાંભળીને બેન્જામીન બોલી ઊઠ્યો : ‘અદ્દભુત હોય છે આ માતાઓ. સ્ત્રી મા બને એટલે સંતાન જ એના માટે સર્વોપરી બની જાય છે. જુઓને મારી બા. મારા બાપ એક જુલમી પતિ હતા. એ બહુ મહાત્વાકાંક્ષી હતા. એમને પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું બેસુમાર જોઈતું હતું. એ બધું પ્રાપ્ત કરવા એમણે બહુ ધમપછાડા કર્યા, પણ ધાર્યા પ્રમાણે મેળવી શક્યા નહીં તો, નિરાશ થઈ ગયા. બાવરા બની ગયા. એમની હતાશા ગુસ્સારૂપે મારી મા પર ઠલવાય. એ માને ઘાંટા પાડે, માનું અપમાન કરે, હાંસી ઉડાવે, લાચાર પાડે અને છતાંય મા જો ટટ્ટાર ઊભી રહી હોય તો મારે, મારી મા ચીસો પાડે, રડે ત્યારે જ એ જંપે.&lt;br /&gt;&lt;span id="more-2309"&gt;&lt;/span&gt;&lt;br /&gt;અમે ત્રણે ભાઈઓ એક ખૂણામાં ઊભા ઊભા ધ્રુજીએ. બાપ દૂર જાય પછી માને વળગીને રડીએ, પણ મારી બા અમને રડવા દે ? જરાય નહીં. એ તો અમને છાતી સરસા ચાંપીને એવી રીતે વાતો કરે કે અમારે રડવા જેવું કશું બન્યું જ નથી. બાપનો વર્તાવ તદ્દન સામાન્ય વાત હોય એમ એ વિશે તો એક અક્ષરે ન ઉચ્ચારે. એ પરીની વાત કરીને અમને બીજી જ દુનિયામાં લઈ જાય, ગીતો ગાય ને વાતાવરણ સાવ હળવું બનાવી દે. એ અમારી સાથે રમેય ખરી. ત્યારે અમને ખબર ન હતી પડતી કે મા એના હૈયા પર કેવડો મોટો પથ્થર મૂકીને હૈયામાં ઊઠતું આક્રંદ દબાવી દેતી હશે. સંતાનો ખાતર એ કેટકેટલું દુ:ખ પચાવતી હશે. અને આ કોઈકવાર બનતી ઘટના ન હતી, રોજેરોજ મારા બાપ કોઈને કોઈ તોફાન કરતા જ, કોઈકવાર દિવસે, કોઈકવાર રાત્રે. એમને કોઈ દયા-માયા ન હતી. શરમ-સંકોચ ન હતાં. મારી માની સતત રિબાણી અને શોષણ થયા જ કરતું. બરાબર પંદર વર્ષ મારી માએ આ બધું સહન કર્યું. અમે ત્રણ ભાઈઓ મોટા થયા, સમજણા થયા ત્યાં સુધી મારી મા ધીરજ રાખીને સહન કરતી રહી. એ મરી નહીં કે પાગલ ન થઈ ગઈ. અંદરથી એ કેટલી મજબૂત હશે. અમારે માટે એને કેટલો પ્રેમ હશે ! અમે સમજણા થયા પછી એણે છૂટાછેડા લીધા. અને નવાઈની વાત તો જુઓ, સંસારમાંથી એને જરાય રસ ન હતો ઊડી ગયો. એણે ફરી લગ્ન કર્યા. એ તો કહે છે કે, જીવન જીવવા માટે છે, રડી રડીને પાયમાલ કરવા નહીં. જીવનને ખીલવા દેવાનું. પાંગરવા દેવાનું. અમે નાના હતા, ત્યારે બાળકને જીવનમાં બાપની જરૂરત છે, એમ એ સમજતી હતી. કદાચ મારા બાપ સમજી જાય, સુધરી જાય એ આશાએ માએ રાહ જોયા કરી, પણ બદલાવ ન આવ્યો તો છૂટી થઈ ગઈ.&lt;/p&gt; &lt;p&gt;એણે ફરી એકવાર એના જીવનને સંવારવા લગ્ન કર્યાં. એને એક દીકરી થઈ. દીકરી મંદબુદ્ધિની અને શારીરિક રીતે ખોડવાળી હતી. એ છોકરી નોર્મલ બની શકે એવી કોઈ શક્યતા ન હતી. મારી માના નવા વરે એ છોકરીને કોઈ સંસ્થામાં આપી દેવાનું કહ્યું. માએ ના પાડી તો એ સજ્જન કહે, આ બાળકી આપણને જિંદગી નહીં ભોગવવા દે. એનો ભાર વેંઢારવાની મારી શક્તિ નથી, ને ઈચ્છાય નથી. આવી છોકરી માટે મને હેત નહીં ઊપજે. ત્યાં ફરી એકવાર માતૃત્વનો વિજય થયો. મારી માએ છૂટાછેડા સ્વીકારી લીધા. અત્યારે મા એ છોકરીની સાથે નાના એપાર્ટમેન્ટમાં રહે છે. એ છોકરી સંપૂર્ણપણે મા પર આધારિત છે, ખાવું, પીવું, નાહવું, કપડાં પહેરવાં, એ મા સિવાય કોઈને ઓળખતી નથી. માને ન જુએ તો સંકોચાઈને કોકડું વળીને પડી રહે. શરૂઆતમાં મને માનું હૈયું સમજાયું ન હતું. હું કહેતો મા આ છોકરીનું તું ગમે એટલું કરે, બધું નકામું છે, શું કામ તેં એકલે હાથે આની જવાબદારી લીધી ? ત્યારે મારી માએ શું કહ્યું તમને ખબર છે ? એ કહે, કારણ કે હું એની મા છું. દીકરીને મારી જરૂર છે, મારે એની. ત્યારે મારા મનમાં થતું કે અમે સમજણા થયા પછી માએ શું કામ અમને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધા ને ફરીથી લગ્ન કરી લીધાં ? મા સ્વાર્થી છે – આવા વિચારોથી મેં મા સાથેનો સંબ્ંધ કાપી નાખ્યો.&lt;/p&gt; &lt;p&gt;હું એને કાગળ ન લખતો, ફોન ન કરતો. પણ મા ક્રિસમસમાં મને ‘મેરી ક્રિસમસ’ અને ‘હેપી ન્યૂ યર’નું કાર્ડ મોકલતી. મારી વર્ષગાંઠે શુભેચ્છા, શુભાશિષ અને પ્રેઝન્ટ મોકલતી. હું સામે ‘થેંક યુ’નું કાર્ડ ન મોકલતો કે એને શુભેચ્છા ન પાઠવતો. હું રિસાઈ ગયો હતો. ત્યારે મને એવું લાગતું હતું કે હું બહુ દુ:ખી છું, મારું બાળપણ બહુ ખરાબ ગયું. મેં બહુ સહન કર્યું. હું એવો અંતર્મુખ થઈ ગયો હતો કે મારા ભાઈઓ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારે હું રોતલ મનોદશાને પોષે એવું સાહિત્ય વાંચતો હતો. મારું મન નિર્બળ થાય એવા વિચારો જ હું કર્યા કરતો. મને થયું, દુનિયામાં હું એકલો જ દુ:ખી છું. નાનપણમાં મેં માને ત્રાસ પામતી, જુલમ સહન કરતી જોઈ હતી, છતાં કોને ખબર કેમ મને એવું લાગવા માંડ્યું હતું કે માએ મારી દરકાર જ નથી કરી. મેં એકલાએ જ આટલું બધું દુ:ખ વેઠ્યું. મેં જાતે જ ગુસ્સામાં આવીને બધા સાથેનો જીવંત સંપર્ક કાપી નાખ્યો.&lt;/p&gt; &lt;p&gt;પરંતુ મારું વાંચવાનું ચાલુ રહ્યું હતું. આજે લાગે છે કે મારામાં મારી માની જેમ એક પ્રકારની દઢતા હતી, જેણે મને ટકાવી રાખ્યો, પડી ભાંગવા ન દીધો. હું કશું બનવા ચાહતો હતો એના માટે મથ્યા કરતો હતો. તેથી જ સાહિત્યમાં હું ઊંડો ઊતરતો ગયો. મારા વાચને મને વિદ્વાન બનાવ્યો. આજે હું કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવું છું. જ્ઞાન આપું છું. પણ માત્ર શાસ્ત્રીય જ્ઞાન નહીં. એમને હું જીવન વિશેનું જ્ઞાન આપું છું, સમજ આપું છું. હું એમને એક વાત ઠોકી ઠોકીને કહું છું, માણસે જો જીવવું હોય, ગમે તેવા સંયોગોમાંય હિંમત હાર્યા વિના જીવનપ્રવાહને આપણી ઈચ્છિત દિશામાં વાળવો હોય તો ફાઈટિંગ સ્પિરિટ કેળવો. હાર ના કબૂલો. પડો તોય ફરી ઊભા થાઓ. તમારા હૃદયને સંતોષ થાય, આનંદ મળે એ જ કરો. સાચું લાગે એ જ કરો.&lt;/p&gt; &lt;p&gt;વિદ્યાર્થીઓને આવું કહેતાં કહેતાં, હું મારી જાતનો અભ્યાસ તો કરતો જ હતો. મારી ગઈકાલ અને આજનો, હું આજે જેવો છું એવો કેવી રીતે બન્યો. એ કોને આભારી છે. હું બીજું કંઈ નહીં ને પ્રોફેસર જ કેમ બન્યો. મારા અનુભવના અંતે મેં જે તથ્ય મેળવ્યું એ બીજાને આપવા કેમ આતુર છું. એ બધા વિશે હું વિચાર કર્યા જ કરતો.’&lt;br /&gt;‘તમે આજે જે છો એ તમારા સ્વપ્રયત્ને જ છો ને ?’ મેં પૂછ્યું.&lt;br /&gt;‘સ્વપ્રયત્ન ખરો, પણ એને પ્રેરનાર કોણ ? મારી મા. ભલે મેં મા સાથેનો દેખીતો સંબંધ કાપી નાખ્યો હતો, પણ હું એનાથી દૂર નહોતો જઈ શક્યો. એ મારી અંદર જ હતી, સતત મારી સાથે હતી. એ જ મારી સૌથી નિકટ હતી અને છે.’&lt;br /&gt;‘તોય હજી મા સાથે સંબંધ થયો નથી ? સંપર્ક નથી રાખતા ? એમનાથી દૂર જ છો ?’&lt;br /&gt;‘મા સાથે ગઈ સાલથી સંબંધ ચાલુ થયો છે. માની બહુ યાદ આવતી હતી તો હું મળવા ગયો. મને હતું માની જિંદગી શુષ્ક અને વેરાન થઈ ગઈ હશે. મંદબુદ્ધિની છોકરીએ એને નીચોવી કાઢી હશે. જીવવા ખાતર એ જીવતી હશે પણ ત્યાં જઈને મેં શું જોયું ખબર છે ? માની જિંદગી તો ભરી ભરી હતી. એ અને એની દીકરી હસતાં હતાં, ખુશખુશાલ હતાં. માને કોઈ ફરિયાદ ન હતી. હું ગયો, કેટલાં વરસો પછી ગયો તોય વહાલથી મને ગળે વળગાડ્યો, ઉમળકાથી વાતો કરી. એટલા પ્રેમ અને ઉમંગથી જમાડ્યો કે અમે જાણે કદી જુદાં જ નથી પડ્યાં. આવી મા માટે મને ગૌરવ થઈ આવ્યું. એ આપવાનું જ જાણે છે, કંઈ માગતી નથી.’&lt;br /&gt;‘તમારી મા ક્યાં રહે છે ?’&lt;br /&gt;‘બોસ્ટન, હું માને મળવા જાઉં છું, અત્યારે બને તે મારી સાથે મારા ઘેર લઈ જઈશ.’&lt;br /&gt;‘તમારાં પત્ની અને બાળકોને એ ગમશે ?’ મેં પૂછ્યું.&lt;br /&gt;‘પત્ની ? મેં લગ્ન નથી કર્યાં, કોઈ બાળકને દત્તક નથી લીધું. મા સિવાય બીજું કોઈ આટલું બધું મારી નિકટ આવ્યું જ નથી.’ બેન્જામીન બોલ્યા.&lt;br /&gt;‘તમારી મા તમને લગ્ન કરી લેવાનું કહેતાં તો હશે ?’ મેં પૂછ્યું.&lt;br /&gt;‘ના. લગ્ન મારો નીજી મામલો છે, મા એ અંગે કશું ન બોલે. મારે સ્ત્રી મિત્રો છે. એકની સાથે હું આઠ વર્ષ રહ્યો હતો.’&lt;br /&gt;‘તો લગ્ન ન કર્યાં ?’&lt;br /&gt;‘લગ્ન કરવા જેટલી તીવ્ર લાગણી મને કદી ઉદ્દભવી ન હતી. એ મિત્ર લગ્ન માટે દબાણ કરતી હતી, એટલે હું જુદો થઈ ગયો. છેલ્લાં બે વર્ષથી બીજી એક સ્ત્રીમિત્ર સાથે રહું છું, અત્યારે તો લગ્નનો વિચાર નથી.’&lt;br /&gt;‘લગ્ન માટે શુભકામના કહી શકું ?’ મેં પૂછ્યું. એ ખડખડાટ હસી પડ્યો.&lt;/p&gt; &lt;p&gt;ખડખડાટ હાસ્યે ઘણું બધું કહી દીધું.&lt;/p&gt; &lt;p&gt;(સત્યઘટના પર આધારિત)&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-1014978926203240857?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/1014978926203240857/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9503.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1014978926203240857'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1014978926203240857'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9503.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-3830799372458966346</id><published>2009-08-13T17:59:00.000-07:00</published><updated>2009-08-13T18:00:06.744-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;‘મમ્મી, લે આ તારા માટે છે. હાથ લાંબા કર.’ અર્પણે આવું કહીને શોભાબહેનના હાથમાં સોનાની બંગડીઓ પહેરાવા માંડી. શોભાબેન મૂંઝવણથી એ ઝગારા મારતી કલાત્મક બંગડીઓને જોઈ રહ્યાં. એમને કંઈ સમજાયું નહીં. એમણે પૂછ્યું : ‘આ બંગડીઓ મને શું કામ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય’&lt;br /&gt;‘મમ્મી આ હું એની જ હોંશ પૂરી કરી રહ્યો છું. જ્યારે એણે જાણ્યું કે અમારા લગ્ન વખતે એને બંગડીઓ ઘડાવી આપવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એ બોલી હતી મને દાગીના ચડાવવા મમ્મીના હાથની બંગડીઓ ઉતારાય ? મમ્મી ખૂબ પ્રેમાળ અને ઉદાર છે એટલે ભલે એમણે પોતાની બંગડીઓ ઉતારી આપી પણ આપણે એમને વહેલામાં વહેલી તકે બંગડીઓ કરાવી આપીશું. એથી તો લગ્ન પછી અમે મસુરી જવાના હતા એ પ્રોગ્રામ એણે કેન્સલ કરાવડાવ્યો અને લગ્ન પહેલાં એ જોબ કરતી હતી એ પગારની બચત થઈ હતી તેથી એ રકમ ઉપાડીને એણે આ ચાર બંગડીઓ ઘડાવી.’&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;શોભાબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની મા માટે બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ દીકરાની વહુ એમાં સાથ આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે. એને મારો શું પરિચય ? તોય એણે એની બચતના પૈસા મારી પાછળ વાપરી નાખ્યા. હું સાજીમાંદી હોઉ ને એણે મારી સારવાર પાછળ પૈસા ખરચ્યા હોત તો એમ થાત કે હું માંદી હોઉં તો એની ફરજ સમજીને એણે બચત વાપરી. પણ આ તો મને બંગડી કરાવી આપવા ! અને એટલા માટે હનીમૂન પર ના ગયા. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો વિસ્મય, રોમાંચ અને કુતૂહલથી કેવા ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના અસીમ સૌંદર્ય વચ્ચે માણવાનો મોહ જતો કર્યો. મને બંગડીઓ તો પછી ગમે ત્યારે કરાવી અપાત. આ ઉંમરે મને દાગીના વગર ચાલત.&lt;br /&gt;&lt;span id="more-2404"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;શોભાબેન દ્રવી ઊઠ્યાં. ભાવથી ભીંજાતાં એ બોલ્યાં : ‘બેટા, મેં તો મારી બે જ બંગડીઓ આપી હતી ને આ તો ચાર બંગડીઓ છે અને તેય જડતરકામવાળી ! આની તો ઘડાઈ જ કેટલી બધી હશે !’&lt;br /&gt;અર્પણ બોલ્યો : ‘મમ્મી, મા દીકરા વચ્ચે બે ને ચારનો હિસાબ ન હોય.’ શોભાબેન આગળ કંઈ બોલી ન શક્યાં. એમનું ગળું રુંધાઈ ગયું. એમને એમના મોટા દીકરા નચિકેતના લગ્ન વખતની વાત યાદ આવી ગઈ. નચિકેતના લગ્ન સમયે એમણે જ્ઞાતિના રિવાજ મુજબ એની પત્ની રવિનાને દાગીનો ઘડાવી આપવા પાંચ તોલાની સગવડ રાખી હતી, પરંતુ રવિનાએ પાંચ તોલાના બદલે સાત તોલાનો દાગીનો પસંદ કર્યો. પાંચ તોલાના દાગીના આર્ટિસ્ટિક હતા. એમાં ઘણી વેરાઈટી હતી પણ રવિનાએ એ દાગીના પર નજર જ ના કરી. પોતાના સાસરિયાંની આર્થિક સ્થિતિનો ખ્યાલ ન હોય એટલી એ અબૂધ ન હતી, પણ રીતસરની એની એ ખંધાઈ હતી.&lt;/p&gt; &lt;p&gt;ત્યારે શોભાબેને રવિનાના અસહકારી વલણ પર ધ્યાન આપવાના બદલે હસતામોંએ પોતાના હાથ પરની બે બંગડીઓ તરત ઉતારી આપી હતી. ત્યારે જ્ઞાતિના રિવાજને વળગી રહીને પાંચ તોલાનો જ દાગીનો પસંદ કર એમ રવિનાને એમણે જરાય આગ્રહ નહોતો કર્યો. ત્યારે મનોમન ઈશ્વરનો એમણે આભાર માન્યો હતો કે ભલે નવું સોનું ખરીદવાની પહોંચ નથી પણ હાથે ચાર બંગડીઓ હતી તો બે ઉતારી આપી શકી અને વહુની હોંશ પૂરી થઈ. રવિના એના મા-બાપનું ઘર છોડીને આવે છે, હવેથી હું એની મા કહેવાઉં, ત્યારે આંરભથી જ કોઈ ગેરસમજ ઊભી ના થાય એ જોવાની જવાબદારી મારી ગણાય.&lt;/p&gt; &lt;p&gt;નચિકેત રવિનાના લગ્ન થયે ચાર વર્ષ વીતી ગયાં પણ શોભાબેન પોતાના માટે બે નવી બંગડીઓ ઘડાવી શક્યાં ન હતાં. શોભાબેને એ માટે કદી ફરિયાદેય નહોતી કરી કે વસવસોય દર્શાવ્યો ન હતો. પણ એ વાત અર્પણના ખ્યાલમાં હતી એથી જ એણે બે બંગડીઓને બદલે માને ચાર બંગડીઓ કરાવી આપી. અલબત્ત આકાંક્ષાના પૂર્ણ સહકારથી જ. દીકરા વહુનો સ્નેહ જોઈને શોભાબેનની આંખો ભીંજાઈ ગઈ. એમને આકાંક્ષા પર હેત ઊભરાઈ આવ્યું. આકાંક્ષાની અર્પણ સાથે સગાઈ થઈ ત્યારથી જ આકાંક્ષાના સ્નહે, સમજદારી અને દરિયાવ દિલનો શોભાબેનને ખ્યાલ તો આવી જ ગયો હતો. એને દાગીના ચડાવવાની વાત આવી ત્યારે એણે દાગીનાની ના જ પાડી હતી. એણે કહ્યું હતું : ‘મમ્મી મને દાગીનાનો શોખ જ નથી. જુઓને હું ક્યાં કંઈ પહેરું છું ?’&lt;br /&gt;ત્યારે શોભાબેને કહ્યું હતું : ‘કુંવારી છોકરી ના પહેરે તો ચાલે, પણ પરણ્યા પછી દાગીના પહેરવા પડે, એવો આપણામાં રિવાજ છે. વળી તું દાગીના પહેરે તો ઘરનું સારું દેખાય અને તું રૂપાળી તો છે જ પણ દાગીનાથી ઓર રૂપ ખીલે.’&lt;br /&gt;આ સાંભળી આકાંક્ષા આદરપૂર્વક વિનયથી બોલી હતી : ‘મમ્મી આપણા સૌજન્ય, વિવેક અને સંસ્કારથી સમાજમાં આપણી આગવી પ્રતિષ્ઠા છે, ને મને દાગીનાનો મોહ નથી, દાગીનાથી મળેલું રૂપ શું શોભા આપવાનું હતું ? એવા રૂપની ક્ષણભંગુરતા આપણે ક્યાં નથી જાણતા ?’ આકાંક્ષાની આ વાત સાંભળીને શોભાબેન રાજી રાજી થઈ ગયાં હતાં, પણ ત્યારે એમને ખ્યાલ ન હતો કે આકાંક્ષા જે બોલી છે એ હૃદયપૂર્વક માને છે અને એની માન્યતા એ આચરણમાં મૂકશે.&lt;/p&gt; &lt;p&gt;આકાંક્ષા જોબ કરે છે તોય સવાર-સાંજ રસોડામાં મદદ કરાવે છે. રજાના દિવસે ઘરનાં વધારાનાં કામ કરે છે. આ જોઈને એની જેઠાણી રવિના કહે છે : ‘તું કમાય છે તોય શું કામ આ બધાની ગુલામી કરે ? એમને ખુશ કરવાની તારે શી જરૂર ?’ રવિના પોતે કમાતી નથી તોય કામ કરવામાંથી છટકવા જ પ્રયત્ન કરતી. એ માટે એ જાતજાતના બહાનાં શોધી કાઢતી. જ્યારે આકાંક્ષાએ એને કહ્યું : ‘ભાભી, હું કમાઉં છું એ સાચું પણ એથી કરીને મારાથી એમની તરફ બેપરવા તો ન જ થવાય ને ! એ આપણાં વડીલ છે, આપણા આદરમાનનાં અધિકારી છે, એમની સેવા કરવાની અને એમની ફિકરચિંતા દૂર કરવાની આપણી ફરજ છે.’&lt;/p&gt; &lt;p&gt;ભારતીય સ્ત્રી લગ્ન કરીને માત્ર પતિને જ નહીં, પતિ સાથે પતિના મા-બાપ, ભાઈ-બહેન, આખા કુટુંબને અપનાવે છે. સુપ્રસિદ્ધ કવિયત્રી નલિની માંડગાવકર એમના એક ગીતમાં કહે છે :&lt;/p&gt; &lt;p&gt;હું જીવીશ વૃક્ષની જેમ&lt;br /&gt;ફૂલોની સૌરભ પાથરીને&lt;br /&gt;પંખીનો ટહૂકો સાચવીને&lt;br /&gt;આકાશનો મંત્ર ઝીલીને&lt;br /&gt;હું નારી, નખશિખ નારી&lt;/p&gt; &lt;p&gt;આકાંક્ષાના હૈયે ભારતીય આદર્શ છે, ભારતીય સંસ્કારનું એનામાં સીંચન થયેલું છે. તેથી પૈસા કરતાં પ્રેમનું મૂલ્ય એને મન મોટું છે. કુટુંબ સમગ્રને સાચવવામાં એ ધન્યતા અનુભવે છે. હજી આપણે ત્યાં આકાંક્ષા જેવી વહુઓ છે તેથી સુખનો અહેસાસ થાય છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-3830799372458966346?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/3830799372458966346/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9200.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3830799372458966346'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3830799372458966346'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_9200.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-5356838865431338680</id><published>2009-08-13T17:57:00.000-07:00</published><updated>2009-08-13T17:58:05.034-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;બાળકોને મેચ્યોર બનાવવાં જલ્દી શામાટે ?–અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;નરેનભાઈને હમણાં હમણાં કેટલીક શારીરિક ફરિયાદો શરૂ થઈ હતી. ક્યારેક માથું દુ:ખતું, ક્યારેક મન ઉદાસ ઉદાસ થઈ જતું, કોઈ પ્રવૃત્તિમાં રસ ના પડતો, રાત્રે ઊંઘ ના આવતી અને ઊંઘ આવતી ત્યારે સ્વપ્નાં આવતાં, બેચેન બનાવી દે એવાં સ્વપ્નાં અને સવારે પથારી છોડવાનું મન ના થાય અને બળજબરીથી પથારી છોડે તોય કોઈ સ્ફૂર્તિ ન વરતાય. દીકરો પ્રમથ એમને નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે જાત જાતના ટેસ્ટ કરાવ્યા અને પછી દવાઓ લખી આપતાં કહ્યું : ‘તમને આ ગંભીર બીમારી નથી, દવાઓ નિયમિત લેજો અને ખાસ તો મનથી હળવા રહેજો. બાળક જેવું મન કરી નાખો. હસતું રમતું ગાતું મન. ભૂતકાળના ખરાબ અનુભવો ભૂલી જજો. મનમાં ક્યાંય કોઈ કડવાશ ના રાખશો, કોઈ ડંખ ના રાખશો.’&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;કન્સલ્ટિંગ રૂમની બહાર નીકળી પ્રમથે નરેનભાઈને કહ્યું : ‘પપ્પા, આજથી તમારે આપણા આદિત જેવા થઈ જવાનું છે.’&lt;br /&gt;નરેનભાઈ હસ્યા : ‘જીવનના આરંભે ઈશ્વરે આપણને હસતું રમતું ગાતું હળવું ફૂલ જેવું મન આપ્યું હોય છે. પણ આપણે એને સાચવી શકતા નથી. ખોટી ચિંતામાં બધું ગુમાવી દીધું છે.’&lt;br /&gt;પ્રમથ બોલ્યો : ‘જે થયું તે ભલે થયું, પણ પપ્પા હવે તો કોઈ ચિંતા નથી ને !’&lt;br /&gt;‘ના દીકરા, હવે કોઈ ચિંતા નથી, પણ મારો સ્વભાવ જ ચિંતાવાળો થઈ ગયો છે. નાની નાની વાતોમાંય મારો જીવ અધ્ધર થઈ જાય છે. ક્યારેક તો જૂની વાતો સ્વપ્નામાં આવે છે ને હું બેબાકળો થઈ જાઉં છું.’&lt;br /&gt;‘ભૂલી જાઓ તમારો અણગમતો ભૂતકાળ. પપ્પા ભૂતકાળ તો વહી ગયો એ કેમ યાદ આવે છે ?’&lt;/p&gt; &lt;p&gt;‘દીકરા, મારું નાનપણ બહુ તંગ પરિસ્થિતિમાં વીત્યું છે. ત્રણ સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ. મારી બા બાજુની આયંબિલશાળામાં જઈને આયંબિલ કરતી. તેલ, ઘી, મીઠું, મરચું, ગળપણ, ખટાશ વગરની સાવ ફિક્કી રસોઈ ખાતી અને આખો દિવસ ખેંચી નાખતી. અલબત્ત, એ તો ધાર્મિક દષ્ટિએ એવું વ્રત કરતી પણ કોને ખબર કેમ મને એવું લાગતું કે અમારા ઘરમાં પૂરતું અનાજ નથી તેથી બા ત્યાં જઈને ખાઈ આવે છે. ત્યાં ખાવાના પૈસા આપવા પડતા નહિ. મારી બા ગુજરીબજારમાં જઈને ઘસાઈ ગયેલા સાડલા ખરીદી લાવતી અને પહેરતી. બા ગોદડીઓ બનાવતી, હાથ મશીનથી થેલીઓ અને ઝભલાં સીવતી અને વેચતી. બા કામ કામ અને કામ કરતી. જોકે બા કદી થાક અને કંટાળાની ફરિયાદ ન કરતી. દરેક તહેવાર ઉમંગથી ઉજવતી, મહેમાન આવે તો ઉમળકાથી સ્વાગત કરતી, સામાજિક વ્યવહાર હોંશથી કરતી છતાં મારા મનમાં એવું જ લાગતું કે આ બધા ખરચા અમને પોષાતા નથી. રોજિંદી જિંદગીમાં બા જે કરકસર કરતી અને દિવસ આખો કામ કરતી તેથી મને એવું જ લાગતું કે અમે સુખી નથી.’&lt;br /&gt;&lt;span id="more-2724"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;‘મારા ઘરમાં કદી કકળાટ કંકાસ થતો નહિ છતાં નાનપણમાં હું અદ્ધર જીવે જીવ્યો છું. મને એવું થતું ક્યારે હું મોટો થઈ જાઉં, કમાઉં ને મારી બાને આ વૈતરામાંથી ઉગારું. એને નવાં નવાં કપડાં લાવી આપું, અને એની સમક્ષ રૂપિયાનો ઢગલો કરી નાખું. હું મૅટ્રિકમાં એ પહેલાં ભણવાનું છોડીને કાપડ બજારમાં નોકરીએ લાગી ગયો. મારી બાએ મને ભણવાનું કેટલું બધું કહ્યું પણ હું ત્યારે ભણવાને મોજશોખ માનતો હતો, મને થતું કે સામાન્ય ઘરનો છોકરો હું, મને ભણવાનો વૈભવ ના પોષાય. મારે તો નોકરીએ લાગી જ જવું જોઈએ. રાતદિવસ હું કમાણી કેવી રીતે વધારાય એની જ ચિંતા કરતો. પણ મારી પાસે કોઈ ડિગ્રી નહિ. વિશેષ કંઈ આવડત નહિ તેથી કમાણી કરવાના ઉપાય હાથ લાગે નહિ. હું સતત સંતાપ કર્યા કરતો. યાદ છે તને, તું નાનો હતો ત્યારે હું સતત તને ભણ, ભણ એમ જ કહ્યા કરતો. તને રમતા જોઉં ને મને થાય કે આ છોકરો રમવામાં ને રમવામાં પાછળ પડી જશે, બરાબર ભણશે નહિ ને એની જિંદગી એક વૈતરું બની જશે. રાત દિવસ મને તારી ચિંતા રહેતી તેથી તો મારી પહોંચ ન હતી તોય તને ટ્યુશન કલાસમાં મોકલતો હતો.’&lt;/p&gt; &lt;p&gt;‘પપ્પા, મને બધું યાદ છે. મમ્મીએ આપણી પરિસ્થિતિનું મને બહુ વહેલું ભાન કરાવી દીધું હતું. અને ના ભણીએ તો જિંદગીમાં કેવી કેવી તકલીફો પડે, લોકો આપણને કેવી રીતે ધુત્કારે એ બધું મને બરાબર સમજાવી દીધું હતું. આપણા પૈસાદાર સગાં આપણને હેતથી બોલાવતા નહિ, પ્રસંગે એમના ઘેર જઈએ તોય કેવી અવગણના કરતાં તે બધું મેં જાતે અનુભવ્યું છે. તેથી હુંય પૈસાની કિંમત બરાબર સમજ્યો હતો અને પૈસા કમાવા હોય તો ભણવું જોઈએ એય સમજ્યો હતો. તેથી હું ભણ્યા જ કરતો હતો. આજુબાજુના છોકરાઓ સાથે રમવાય નથી ગયો. હુંય મારી ઉંમર કરતા વધારે ગંભીર થઈ ગયો હતો.’&lt;br /&gt;‘દીકરા, તું સારું ભણ્યો, આજે વર્ષે લાખોના હિસાબે પગાર મેળવે છે અને આપણે બધા સુખસગવડથી રહીએ છીએ પણ…..’ કહી નરેશભાઈ સહેજ અટક્યા અને પછી બોલ્યા : ‘તંદુરસ્ત રહેવા માટે જોઈએ એવી હળવાશ તારી જિંદગીમાં નથી. તું ભણ્યો, ધનસંપત્તિ મેળવવાનું એક સપનું સાકાર થયું પણ તારા આરોગ્યના ભોગે. દીકરા જીવનમાં હું સંતુલન ન જાળવી શક્યો એનો ભોગ તુંય બન્યો. આ યુવાનીમાં તનેય હાઈબ્લ્ડપ્રેશર છે.’&lt;br /&gt;‘પપ્પા, મારી ચિંતા ન કરો. મને બ્લ્ડપ્રેશર છે તો હું નિયમિત દવા લઉં છું. મારું બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં છે અને આજની અમારી પેઢીમાં ડાયાબિટીસ અને બ્લ્ડપ્રેશર તો સામાન્ય છે.’&lt;br /&gt;‘બેટા, આ મારી ભૂલના લીધે ને ! અમે તમારામાં ખોટી મહત્વકાંક્ષાઓ રોપી અને રેસના ઘોડા બનાવી દીધા, તનાવ અને ખેંચમાં રહેતા તમને કરી દીધા.’&lt;br /&gt;‘પપ્પા, હવે એવો બળવો કરવો છોડી દો ને હળવાશથી જીવો. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આપણી વિચારસરણી અને જીવનશૈલી સુધારવાનાં જેથી આ ભૂલ ફરી વાર ના થાય.’ પ્રમથે ખૂબ લાગણીથી નરેનભાઈને કહ્યું. ત્યારબાદ પ્રમથે એની મમ્મી સૂલુબહેનને કહ્યું : ‘મમ્મી, હવે તમારે સવારસાંજ ફરવા જવાનું અને મન ખુશ રાખવાનું. ડૉક્ટરે પપ્પાને હળવાશથી જીવવાનું કહ્યું છે. તમારે ચિંતા થાય એવી કોઈ વાત જ યાદ નહિ કરવાની.’&lt;/p&gt; &lt;p&gt;ઘરમાં પ્રમથનો નાનો દીકરો આદિત છે, માંડ ચાર વરસનો આદિત. આદિતને આખો દિવસ એની મમ્મી ટોક્યા કરે ને ઉપદેશ આપ્યા કરે. આદિત રમતો હોય ત્યારે ઘાંટો પાડે, ‘ચાલો હવે ભણવા. બહુ રમ્યો તું.’ આદિતને રમવું હોય પણ મમ્મીની કડકાઈ જોઈ ભણવા બેસી જાય. અડધો કલાક ભણે ને એનું મન રમતમાં જાય એટલે એની મમ્મી દ્રુમા તાડૂકે : ‘સ્ટુપીડ રમ રમ કરીશ તો તારે નોકર થવું પડશે. પછી જ જે લોકોને ઘેર કચરો વાળવા ને વાસણ માંજવા.’ આદિતને મમ્મીની કડકાઈ ગમે નહિ અને એ એની દાદી સામું જુએ. સૂલુબહેનને પૌત્રની દયા આવે અને કહે : ‘દ્રુમા, થોડીવાર એને રમવા દે ને !’&lt;br /&gt;દ્રુમા છેડાઈ પડે બોલે, ‘મમ્મી તમે વચ્ચે બોલશો જ નહિ. તમે એનો પક્ષ લો એટલે એને ફાવતું જડે.’ આદિત ઓશિયાળો થઈને જોયા કરતો અને સૂલુબહેન એ જોઈ શકતાં નહિ તેથી એ ત્યાંથી ઊઠીને બીજી રૂમમાં જતાં રહે. દ્રુમાએ આદિત માટે ટાઈમટેબલ બનાવ્યું હતું. ક્યારે ભણવું, ક્યારે રમવું, ક્યારે સૂઈ જવું, ક્યારે ઊઠવું.. બધું ઘડિયાળના કાંટા પ્રમાણે.&lt;/p&gt; &lt;p&gt;એક વાર આદિત ભણતો હતો ને બહાર વરસાદ પડવો શરૂ થયો. સિઝનનો પહેલો વરસાદ. આદિતને વરસાદમાં નહાવા જવાનું મન થયું. પણ દ્રુમા જવા દે ? એણે ના કહી. ત્યારે નરેનભાઈથી રહેવાયું નહિ અને એ બોલી ઊઠ્યા : ‘જા દીકરા જા.’ પછી દ્રુમાને સંબોધીને કહ્યું : ‘વરસાદ પડે ને બાળકનું મન ઝાલ્યું રહે ? એ પલળે તો જ એને સંતોષ થાય. જો, જો એ કેવો આનંદથી ગાય છે અને પલળે છે !’&lt;br /&gt;નરેનભાઈએ આદિતને વહાલથી બહાર પલળવા જવા દીધો એ દ્રુમાને જરાયે ના ગમ્યું. એ બોલી : ‘પપ્પાજી, છોકરાને અંકુશમાં રાખવાનો હોય, એ કહે એ બધું એને કરવા દેવાનું ના હોય. જુઓને આજકાલના છોકરા કેવા વંઠી જાય છે અને એમનાં જીવન પાયમાલ થઈ જાય છે.’&lt;br /&gt;નરેનભાઈ હસી પડ્યા. બોલ્યા : ‘દ્રુમા નાહકની ખોટી ચિંતા કરે છે. તું જોતી નથી આદિત કેટલો નાજુક દિલનો અને સંવેદનશીલ છે. એને બહુ અંકુશમાં રાખવા જશો તો એનું હૈયું નંદવાઈ જશે, એની ક્રિએટીવીટી અને ઓરિજીનાલિટી નાશ પામશે….. દીકરી, આપણે પરિપક્વ બુદ્ધિવાળાં અને અનુભવી છીએ, આપણે જો આદિને નહિ સમજીએ તો એને અન્યાય નહિ થાય ? એની ઉંમર કરતા વધારે પડતી અપેક્ષા આપણે એની પાસેથી રાખીએ છીએ એવું તને નથી લાગતું ? પણ એને મેચ્યોર બનાવવાની આટલી બધી ઉતાવળ શું કામ ? એને વારંવાર ટોકવાથી એ કેટલો મૂંઝાય. વારંવાર એનું મન તોડી નાખીએ તો એ કેટલો નિરાશ થઈ જાય ! મનોમન એ એકલતા અનુભવે અને નિરુત્સાહી થઈ જાય. આ બધાની એની માનસિકતા એના સ્વભાવ અને એના વિકાસ પર ખરાબ અસર પડશે. એને સતત ધાકમાં રાખવા પ્રયત્ન કરશો તો અત્યારથી એ તનાવગ્રસ્ત થઈ જશે. આમ એનું કેટલું મોટું અહિત આપણા હાથે થઈ જાય. દ્રુમા, માણસનું બાળપણ કોઈ પણ ભાર વિનાનું મોજથી જીવવા માટે હોય છે. ત્યારે આપણે વગર વિચારે એને આપણા મનગમતા ચોકઠામાં ઢાળવામાં એની પવિત્ર નિર્દોષતા, ઉજ્જ્વલ સરળતા અને ઈશ્વરદત્ત સાહજિકતા નષ્ટ કરી નાખીએ છીએ. આપણા હાથે જ આપણા બાળકને જીવનભરનું નુકશાન કરી નાખીએ છીએ.’&lt;/p&gt; &lt;p&gt;‘પણ પપ્પાજી, અત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ છે. ભયંકર હરીફાઈનો જમાનો આવ્યો છે. આપણે ધ્યાન ના આપીએ તો છોકરો રખડી પડે અને ભવિષ્યમાં આપણને જ દોષ આપે કે તમે માબાપ થઈને મારી પર પૂરતું ધ્યાન ન આપ્યું. જુઓને એને ભણાવવામાં અને વિવિધ પ્રવૃત્તિઓના કલાસમાં મૂકવા અને લેવા જવામાં મારો સમય જાય જ છે ને ! હું ય ભોગ આપું જ છું ને ! પણ અત્યારે એને બરાબર તૈયાર કરીએ તો ભવિષ્યમાં જ્યારે વિકાસની કમાવાની અનેક વિવિધ તકો એની સામે ઊભી હશે ત્યારે બેસ્ટ તક ઝડપી લઈને એ માનમોભાવાળી વૈભવી જિંદગી જીવી શકે. બાળક તો સમજતું નથી પણ આપણે એના ભવિષ્યનો વિચાર કરવાનો છે. એને અત્યારથી મોટો જ માની લેવાનો છે.’&lt;br /&gt;નરેનભાઈ બોલ્યા, ‘દ્રુમા, ડૉક્ટરે મને કહ્યું છે કે તમે બાળક જેવા હળવા બની જાઓ તો ઝટ સાજા થશો અને આદિત બાળક છે એને આપણે મોટો બનાવી દેવો છે ! કેવી ટ્રેજેડી ! અજબ છે દુનિયા !’&lt;/p&gt; &lt;p&gt;તે રાત્રે નરેનભાઈએ પ્રમથને પૂછ્યું : ‘બેટા, આપણા આદિતનો વિકાસ સાધવાના મોહમાં આપણે એની સાહજિકતા અને સ્વાભાવિક આનંદ ઉલ્લાસ છીનવી નથી લેતા ?’&lt;br /&gt;પ્રમથ વિનયથી બોલ્યો : ‘પપ્પા, તમારી વાત સાચી છે પણ અત્યારે ભૌતિકવાદનો એવો પ્રચંડ ઝંઝાવાત ફૂંકાયો છે કે એમાં ટકી રહેવા માટે આપણા બાળકને આપણે પૂરેપૂરું સજ્જ કરવું પડે. એની સામે અનેક પડકારો ચોદિશામાંથી આવશે, કેવી રીતે એ એનો મુકાબલો કરશે ? તમારા સમયમાં બાળક સાત વર્ષે નિશાળે જતું, અમારા વખતમાં પાંચ વરસે અને અત્યારે એ ત્રણ વરસનું થાય એ પહેલાં નર્સરીમાં પહોંચી જાય છે અને એ પહેલાં ઘેર એણે ઘણું બધું શીખી લીધું હોય છે. પપ્પા આપણે એને જિંદગીની દોડમાં આગળ રાખવાનો છે.’&lt;br /&gt;‘પણ બેટા, ખલિલ જિબ્રાનની વાત તને યાદ રાખવા જેવી નથી લાગતી કે તમારાં બાળકો તમારી સોડમાં રહે છે પણ તમે એના માલિક નથી, તમે એને પ્રેમ આપો પણ તમારા સ્વપ્નાં અને તમારી કલ્પનાઓ ના આપો કારણ એને એની પોતાની કલ્પનાઓ છે.’&lt;br /&gt;‘પપ્પા આદિને કેવી રીતે તૈયાર કરવો એ મને સમજાતું નથી.’ પ્રમથ બોલ્યો.&lt;/p&gt; &lt;p&gt;‘બેટા, અત્યારે અમુક ચોક્કસ આદર્શ ખ્યાલમાં રાખીને બાળકને એ રીતે ઘડવા માગીએ તો અત્યારે એ ભલે આપણા કહ્યા પ્રમાણે કરે પણ અંદરથી એને આપણું કહેવું ના ગમતું હોય તો ક્યારેક એ સાવ બંડખોર થઈ બેસે ને એની જિંદગી પાયમાલ થઈ જાય અથવા તો એ સાવ દબાઈ જાય ને ડિપ્રેશનમાં સરી પડે. એ એનાપણું ગુમાવીને તદ્દન સામાન્ય બની જાય અથવા તો પ્રોબ્લેમ ચાઈલ્ડ પણ બની જાય. માટે દીકરા તમે બહુ સાવધાની રાખો. બાળકને સમજો. એની શક્તિઓને ઓળખો. એને જે માર્ગે વળવું હોય એ માર્ગે જવ મુક્ત રાખો. હા, એનામાં કોઈ અવગુણ ના પેસે, કુટેવ ના પડે એનું ધ્યાન રાખો. દરેક પળે એના મિત્ર બનીને એને સહકાર આપો. એની ગતિએ એને વિકસવા દો. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એને એનું પોતાનું મન થાય છે એ કદી ના ભૂલો. તમારા હાથે એના બાળપણનું ખૂન ના થઈ જાય એ માટે સતત જાગૃત રહો.’&lt;br /&gt;‘પપ્પા, તમારી વાત સાચી છે. તમે મારી આંખો ખોલી, આદિત બાળક છે એ વાત હું કદી નહીં ભૂલું. મારી રીતે નહિ પણ એની રીતે એ વિકસે એની બધી અનુકૂળતા કરી આપીશ.’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-5356838865431338680?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/5356838865431338680/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4990.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5356838865431338680'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5356838865431338680'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4990.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-8490029005245747528</id><published>2009-08-13T17:45:00.000-07:00</published><updated>2009-08-13T17:46:14.885-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h3 class="post-title entry-title"&gt; &lt;span style="color: rgb(128, 0, 128);"&gt;&lt;strong&gt; પ્રતીક્ષામાં નીરવે શું જોયું ? &lt;/strong&gt;&lt;/span&gt; &lt;a href="http://gujarati01.blogspot.com/2009/04/blog-post_09.html"&gt;અવંતિકા ગુણવંત&lt;/a&gt; &lt;/h3&gt;&lt;br /&gt;&lt;p&gt;&lt;span style="color: rgb(128, 0, 128);"&gt;&lt;strong&gt;&lt;br /&gt;&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;પ્રતીક્ષાને જોઈને વિચાર આવે કે સામાન્ય દેખાવની સીધીસાદી છોકરીને કોણ પસંદ કરશે ? નથી એને ટાપટીપ આવડતી, નથી બોલવા-ચાલવાની છટા, સાવ સરળ છોકરી છે. હા, એ ઘરકામમાં હોશિયાર ને લાગણીવાળી છે પણ એ એને જોવા આવનારને પ્રથમ નજરે કેવી રીતે ખબર પડે ? અને ખબર પડે તો ય હવે માત્ર ઘરકામની આવડત કે લાગણીને કોણ પૂછે છે ? બધાંને સ્માર્ટ રૂપાળી છોકરી જોઈએ છે. એનાં માબાપને પણ એની ચિંતા રહેતી હતી. કેટલાય ઠેકાણેથી ના પડી હતી. ભાંગેલા હૈયે પણ એમના પ્રયત્ન ચાલુ જ હતા.&lt;/p&gt; &lt;p&gt;એક દિવસ નીરવ એને જોવા આવ્યો. નીરવ એમ.કોમ થયેલો ને બે ઠેકાણે જૉબ કરીને સારું કમાતો ને દેખાવમાં સ્માર્ટ અને હસમુખો હતો. એને જોઈને પ્રતીક્ષાને થયું કે આવા રૂપાળા છોકરાને મમ્મીપપ્પા શું કામ બોલાવતાં હશે ? આવો સરસ છોકરો તો મને ના જ પાડશે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે નીરવ તરફથી હા આવી. કોઈએ નીરવને કહ્યું : ‘પ્રતીક્ષા કરતાં ક્યાંય સુંદર છોકરીઓ તને મળત. આવી ગાંગલીને શું હા કહી ? એનામાં તેં શું જોયું ?’&lt;br /&gt;નીરવ બોલ્યો : ‘એક સ્ત્રીમાં જે જોઈએ એ બધું જ એનામાં છે. હું એને જોવા ગયો ત્યારે મારી સાથે મમ્મી હતી ને સાથે ભાભીનો બે વર્ષનો બાબો સત્યમ હતો. સત્યમને શરદી અને કફ હતાં. એણે નાસ્તો કર્યો ને તરત ત્યાં ઊલટી કરી. હું ને મમ્મી એકદમ સંકોચ પામી ગયાં હતાં, પરંતુ પ્રતીક્ષાએ કેટલી સાહજિકતાથી બધું સાફ કર્યું. સોફા-કારપેટ બધું બગડ્યું હતું પણ એના મોં પર જરાય અણગમો નહીં, સૂગ નહીં. પ્રતીક્ષાનાં મમ્મી ય કેટલાં ખાનદાન. એ કહે, હોય છોકરાંને તો આવું થાય. સારું થયું એનો કફ નીકળી ગયો. હવે એ સાજો થઈ જશે.’ એમના બોલવામાં ક્યાંય બનાવટ ન હતી. એમનાં સોફા-કારપેટ બગડ્યા એનો જરાય કચવાટ નહીં.&lt;/p&gt; &lt;p&gt;હું પ્રતીક્ષાને એકાંતમાં મળ્યો ન હતો. અમે બેઉએ વાત કરી ન હતી. મેં એને હા કહી ન હતી, એ મારું મન જાણતી ન હતી ત્યારે અમે માત્ર મહેમાન જ હતાં, મહેમાનને આવી રીતે સાચવનાર સ્નેહાળ, સેવાભાવવાળી છોકરી દીવો લઈને શોધવા જઈએ તો ય નથી મળતી. પ્રતીક્ષા લાગણીશીલ છે, વિવેકી છે, ફરજના ભાનવાળી છે, સમજદાર અને ઠરેલ છે. જીવનસાથીમાં આનાથી વધારે શું જોઈએ ! બાહ્યરૂપનો મને કદી મોહ નથી થયો. એ કેટલી સરળ અને આડંબરહીન છે. મારી સાથે મમ્મી હતી. મમ્મી ઘરડી નથી. એ સત્યમને સાફ કરી શકતી હતી. ઘેર ભાભી હોય તો ય મમ્મી જ સત્યમને નવડાવે છે, સત્યમ મમ્મીનો જ હેવાયો છે પણ પ્રતીક્ષામાં એવી તો કઈ આવડત, કેવી ખૂબી કે સત્યમે એની પાસે બધું સાફ કરાવ્યું. એને જરાય અજાણ્યું ન લાગ્યું. બાળક માણસને બહુ સારી રીતે ઓળખી શકે છે. એ ક્ષણે જ મારા હૈયામાંથી પ્રતીક્ષા માટે હા નીકળી હતી. આવી છોકરી હોય તો હું એકલો જ નહીં, મારું આખું કુટુંબ સચવાય. ઘણાં ઘરોમાં રૂપાળી, હોંશિયાર, બાહોશ પુત્રવધૂ હોય છે તોય માબાપ દીનહીન, લાચાર, ઓશિયાળાં થઈને એક ખૂણામાં બેસી રહ્યાં હોય છે. મને આવું ન ગમે. મને વિશ્વાસ છે પ્રતીક્ષાના રાજમાં મારાં મમ્મીપપ્પા કદી ઓશિયાળાં કે લાચાર બનીને નહીં જીવે. એમનાં હૈયાં સૂનકારનો અનુભવ નહીં કરે.&lt;/p&gt; &lt;p&gt;કેટલાય યુવાનો જીવન વ્યવસ્થિત જીવી શકાય, કુટુંબ ને ઘર બરાબર સચવાઈ શકે માટે સંસ્કારી, સદગુણી અને ખાસ તો નમ્ર છોકરી પસંદ કરે છે. જે છોકરીઓ ગૃહિણી થવામાં ગૌરવ સમજતી હોય ને અહમવાળી ન હોય, એ છોકરીઓ ભલે દેખાવે મનમોહક કે આકર્ષક ન હોય, પણ એમનું ભીતર ભાવનાશીલ હોય છે. તેઓ બીજાને સુખી કરવામાં માને છે. સદભાવ અને સર્વ પ્રત્યેનું હેત એમના ચહેરાને અનેરી શોભા આપે છે. હા, એ સૌંદર્ય જોવા દષ્ટિ જોઈએ.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-8490029005245747528?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/8490029005245747528/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8490029005245747528'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8490029005245747528'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_13.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-2523832383192849696</id><published>2009-08-13T05:43:00.001-07:00</published><updated>2009-08-13T05:46:05.647-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1 class="headline"&gt;ગાઓ, નાચો સાથે સાથે છતાં એકલાં&lt;/h1&gt;                  &lt;!-- byline --&gt;         &lt;div class="byline"&gt;           &lt;div class="dots"&gt;&lt;img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /&gt;&lt;/div&gt;           &lt;div id="author" style="float: left;"&gt;&lt;strong&gt;Avantika Gunvant&lt;/strong&gt;&lt;/div&gt;           &lt;div id="pubDate" style="float: right;"&gt;Monday, February 16, 2009 20:47 [IST]&lt;/div&gt;    &lt;div class="dots" style="clear: both;"&gt;&lt;img src="http://www.divyabhaskar.co.in/images/dot_h.gif" alt="" width="3" height="1" /&gt;&lt;/div&gt;    &lt;iframe id="a2b0cc06" name="a2b0cc06" src="http://ads.indiainfo.com/www/delivery/afr.php?zoneid=110" framespacing="0" width="468" frameborder="no" height="15" scrolling="no"&gt;&amp;amp;amp;amp;amp;amp;amp;lt;a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'&amp;amp;amp;amp;amp;amp;amp;gt;&amp;amp;amp;amp;amp;amp;amp;lt;img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&amp;amp;amp;amp;amp;amp;amp;amp;amp;n=a7aed65a' border='0' alt='' /&amp;amp;amp;amp;amp;amp;amp;gt;&amp;amp;amp;amp;amp;amp;amp;lt;/a&amp;amp;amp;amp;amp;amp;amp;gt;&lt;/iframe&gt;&lt;br /&gt;       &lt;/div&gt;                 &lt;p&gt;&lt;img src="http://www.divyabhaskar.co.in/2009/02/16/images/hansh1.jpg" alt="hansh.jpg" vspace="10" align="left" border="0" hspace="10" /&gt;દરેક માણસને સુખની તલાશ હોય છે, તેથી તો એ સાથી ઇરછે છે, બાલ્યાવસ્થામાં એ રમતગમત માટે ભેરુ ઇરછે છે અને એ યૌવનમાં પ્રવેશે છે ત્યારે એના સ્વપ્નામાં એને દેખાય છે, એક જીવનસાથીની મૂર્તિ, એવા જીવનસાથીની મૂર્તિ જે એની ક્ષણેક્ષણ આનંદથી છલકાવી દે, એ સ્વપ્નમૂર્તિ સાથે તાદાત્મ્ય અનુભવતો એ વાસ્તવિક જગતમાં એની શોધ આરંભે છે.&lt;/p&gt;  &lt;p&gt;જે જે પાત્ર એના માર્ગમાં આવે એને એ રૂપ, ગુણ, સંસ્કાર, સ્વભાવ, અભ્યાસ એમ કેટકેટલી દ્રષ્ટિએ એની ચકાસણી કરીને અંતે એક પાત્રને જીવનસાથી તરીકે પોતાના જીવનમાં પ્રતિષ્ઠિત કરે છે. અનુપમ સુખથી છલકાતા આદર્શ દાંપત્યજીવનની કલ્પના સાથે ખૂબ ઉમંગ અને શ્રદ્ધાથી શુભ દિવસે, મંગલ ઘડીએ એ પાત્ર સાથે જોડાય છે. કેટલી બધી ચિવટથી ગણત્રી કરીને, સાવધાની રાખીને એ લગ્ન કરે છે, પણ કયારેક ધાર્યા પ્રમાણે જિંદગી રૂપ, રંગ અને આકાર ધારણ કરતી નથી, એ ઉદાસી અને નિરાશાથી ધેરાઇ જાય છે. એના દામ્પત્યજીવનના પાયામાં તિરાડ પડે છે. &lt;/p&gt;  &lt;p&gt;ઊડાણમાં એને ધ્રાસ્કો પડે છે, કેમ? કેમ આવું થયું? શું મેં જીવનસાથીની પસંદગીમાં થાપ ખાધી? ના, પસંદગી તો બરાબર જ હતી પણ બહુધા એનો અભિગમ જ ખામીભર્યોહતો. આપણે યાદ રાખવું જોઇએ, લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી થતા. પતિ-પત્નીનો સંબંધ તન અને મનનો છે, એમાં ગાઢ આત્મીયતાની અપેક્ષા હોય છે. &lt;/p&gt;  &lt;p&gt;એ સંતોષવા પતિ-પત્નીએ સભાનપણે ધીરજ, વિશ્વાસ અને સમતાથી સંયુકતપણે મથવાનું છે. બધા માનવીય સંબંધોમાં લગ્ન સંબંધ એ માણસના સમગ્ર જીવનનો એક અતિમહત્ત્વપૂર્ણ અને અર્થસભર સંબંધ છે. એની સફળતા કે નિષ્ફળતાનો આધાર પતિ-પત્ની એ સંબંધને કઇ દ્રષ્ટિથી જુએ છે એની ઉપર છે.&lt;/p&gt;  &lt;p&gt;થોડા દાયકાઓ પહેલાં લગ્નજીવનનો આદર્શ હતો કે પત્ની પોતાનું સમગ્ર વ્યકિતત્ત્વ અસ્તિત્ત્વ સમર્પિતભાવે પતિમાં ઓગાળી દે. સ્ત્રી ત્યાગ, સંયમ અને સહનશીલતાની મૂર્તિ ગણાતી, એ જમાનામાં સ્ત્રીને પોતાની ઈચ્છાઓ અને અરમાનો છોડીને પતિ સાથે એકરૂપ થવામાં ગૌરવ સમજતી હતી. એને અંગત મહત્ત્વાકાંક્ષા ધરાવવાનો જાણે હક જ ન હતો.&lt;/p&gt;  &lt;p&gt;પણ હવે સમય બદલાયો છે. દરેક માનવીય સંબંધની વ્યાખ્યા બદલાઇ છે, પતિ-પત્નીના સંબંધોના સમીકરણો નવી દ્રષ્ટિથી જોવાય છે. આધુનિક શિક્ષણ અને પાશ્ચાત્ય વિચારસરણીના પ્રભાવમાં સ્ત્રીની ભૂમિકા ઘણી વિસ્તરી છે, એણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.&lt;/p&gt;  &lt;p&gt;વ્યકિત સ્વાતંત્ર્ય અને સમાનતા આ યુગમાં સ્ત્રી પોતાના વ્યકિતત્વનો લોપ ના કરી શકે એ શોભાની પૂતળી થઇને પ્રણાલિકાગત વિનમ્ર નારીની જેમ અન્યાય કે શોષણ ના સહી શકે. આજની શિિક્ષત, જાગ્રત નારી સંવાદી જિંદગી, પ્રેમ કે કર્તવ્યના નામ પર પોતાનું સ્વમાન હણાવા ના દે.&lt;/p&gt;  &lt;p&gt;આજની નારીએ પોતાની શકિત અને સાધના દ્વારા સંસારના દરેકે દરેક ક્ષેત્રે દ્રઢતાથી પદાર્પણ કર્યું છે. હવે એ ઘરની ચાર દીવાલોમાં સમાઇ શકે એમ નથી. એને એનો વ્યવસાય છે, કારકિર્દી છે, સૌથી ઉરચતમ શિખરે પહોંચવાની એની મહત્ત્વાકાંક્ષા છે, એના માટે આકરી સાધના કરવાની નેમ ધરાવે છે.&lt;/p&gt;  &lt;p&gt;આજની નારી પરણે છે, પોતાનો સંસાર રચે છે, પણ દરેક ગૃહકાર્યમાં એ પતિનો મૈત્રીપૂર્ણ સહકાર વાંછે છે. ઘર, સંસારના વ્યવહારો અને બાળકોની જવાબદારી હવે માત્ર સ્ત્રીની નથી ગણાતી. ઘર પતિ અને પત્ની બેઉનું છે. વ્યવસાયી નારી ઘરના કામમાં, બાળકના ઉછેરમાં પતિની મદદ નિ:સંકોચ લે છે. સમજદાર, પ્રેમાળ પતિ એને દાળચોખા ધોઇ આપે છે, શાક સમારી આપે છે અને ઘરની સફાઇ પણ કરી આપે છે. આમ જ અદ્વૈત સધાય છે અને ‘આઇ લવ યુ’ કહ્યા વગર અસીમ પ્રેમની અનુભૂતિ થાય છે.&lt;/p&gt;  &lt;p&gt;એમના ઘર અને વ્યવસાયની જવાબદારી બરાબર સચવાય એ રીતે જિંદગી ગોઠવાય છે, જેથી કરીને બેમાંથી કોઇને પોતાનું કંઇ છોડવું પડયું છે એવો વસવસો નથી રહેતો પતિ-પત્ની અન્યોન્યના મિત્ર થઇને રહે છે. જીવનસંઘર્ષની એ પળો એમને નિકટ લાવે છે. અલગઅલગ વ્યવસાયવાળાં આજનાં પતિ-પત્ની પહેલાંના દંપતીની જેમ ક્ષણેક્ષણનો સાથ નથી મેળવતા પણ જયારે એક જણ સહાય માટે પોકાર પાડે ત્યારે બીજું પાત્ર પોતાનાં સર્વ કામ છોડીને પોતાના જીવનસાથીના પડખે જઇને ઊભું રહેશે. એમના માટે લગ્નસંબંધ બંધન નથી, પણ અન્યોન્યના સાથમાં તેઓ ખુલ્લા વ્યોમમાં વિહરે છે, વિકસે છે.&lt;/p&gt;  &lt;p&gt;પ્રાચીન પરંપરા પ્રમાણે જીવતી ગઇ પેઢીની શોષાયેલી ગૃહિણીને પણ થાય છે કે નવી પેઢી સાચું સમજી છે અને સાચી રીતે જીવે છે. પતિ-પત્ની વરચે આવું મૈત્રીપૂર્ણ સાયુજય અપેક્ષિત છે. એકબીજાની નાની નાની વાતમાંય કોમળતાથી કાળજી લઇ કદર કરી, પ્રોત્સાહન આપીને નિષ્ઠાપૂર્વક સહજીવન જીવવું જોઇએ. કેવું અદ્ભૂત છે આ જીવન. કોઇને ચાહવું એટલે એની અપૂર્ણતાને સ્વીકારીને, એને અનર્ગળ પ્રેમ આપીને પોતે પૂર્ણ થવું અને અન્યને પૂર્ણતાનો અહેસાસ કરાવવો. &lt;/p&gt;  &lt;p&gt;જીવનસાથીની ખામીને લાચારીથી નિભાવવાની નહીં પણ પૂરેપૂરી સમજણથી નિભાવવી જોઇએ, અને એ સમજણ બુદ્ધિની નહીં પણ હૃદયની એટલે કે પ્રેમની હોવી જોઇએ. પ્રેમ તો ચમત્કારીક રસાયણ છે જેમાં બધી મલિનતા, બધી કડવાશ નષ્ટ થાય છે, રહે છે માત્ર પ્રસન્નતા. પતિ-પત્નીએ આ બૌદ્ધિક યુગમાં સફળતાથી સંપૂર્ણ મનથી સાથે જીવવું એ એક પડકાર છે. લગ્નથી જોડાયાં એટલે સુખી થવાની ખાતરી નથી મળી જતી.&lt;/p&gt;  &lt;p&gt;સહજીવનમાં અવારનવાર મન ઊચા થવાના પ્રસંગો તો આવે જ છે, ત્યારે મતભેદ સર્જાય, ચર્ચા થાય, ઘાંટાઘાંટ થાય પણ મનમાં કલેશ ના થવો જોઇએ. બીજી જ પળે મુકત મને ખિલખિલાટ હસવાની ઝિંદાદિલી હોવી જ જોઇએ. પતિ-પત્નીએ સતત ખ્યાલ રાખવો જોઇએ કે કોઇ પણ વ્યકિત સંપૂર્ણ નથી. એનામાં જે કોઇ ઉણપ દેખાય એનેય પ્રેમથી ચલાવી સમજીને સમાધાન કરવું જોઇએ. માનવીય સંબંધોની ગરિમાને ઝાંખપ લાગે કે એનું ગૌરવ હણાય તેવાં વાણી, વર્તનનો ત્યાગ કરો.&lt;/p&gt;  &lt;p&gt;‘એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રીએટેડ ડેઇલી.’ જીવનસાથી કંઇ કહે નહીં તોય એને મનોભાવ સમજાય એટલા એની સાથે તદ્રૂપ થઇ જાઓ. પતિ-પત્નીનો પ્રેમ શરતમુકત હોવો જોઇએ. આ સંબંધમાં કોણે કેટલું છોડયું એની ગણતરી ના હોય. ફાધર વાલેસ કહે છે, બેમાંથી એક થઇને નિકટ સાન્નિઘ્યમાં જિંદગીભર જીવવા માટે વ્યકિત વ્યકિતને મળે એ એક સાહસ છે, પડકાર છે, સાધના છે. માણસ માણસને મળે એનાથી મોટી ઘટના બીજી એકેય નથી. મક્કમ નિર્ધાર કરો તો ચોકકસ સફળ થવાય.&lt;/p&gt;  &lt;p&gt;એકવાર જીવનસાથીની પસંદગી થઇ ગઇ એટલે સુખની કોઇ ગેરન્ટી નથી. તમારે પણ તમારા જીવનસાથીને યોગ્ય બનવા પૂરા પ્રયત્નશીલ રહેવાનું છે. અનુકૂલન, સમર્પણ અને પ્રત્યાર્પણ ઉભયપક્ષે સ્વેરછાએ અને સહજ રીતે થવું જોઇએ. પ્રિયજનના આનંદ અને સંતોષને પોતાના આનંદ અને સંતોષ માનવા જોઇએ, એમાં ઔદાર્ય, નિખાલસતા અને સાહજીકતા હોવાં જોઇએ. &lt;/p&gt;  &lt;p&gt;દાંપત્યસંબંધમાં એક વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે તમારા કોઇ ગમાઅણગમાને તમે પણ તમે સંમત થશો. જીવનસાથીને કહો કે હું તારી ભિન્નતાનો અને તારા વ્યકિતત્ત્વનો આદર કરું છું. તું જે છે તેને હૃદયભરીને પ્રેમ કરું છું. &lt;span style=";font-family:arial;font-size:85%;"  &gt; you be yourself  &lt;/span&gt; યાદ રાખો, દાંપત્યને સાર્થક બનાવવા એમાં સ્વતંત્રતા અને મોકળાશ ઊમેરવા પડે. આજ્ઞાપાલન, સ્વામીત્વ કે સ્પર્ધા કડવાશ ઊભી કરે છે. પતિ-પત્નીના સંબંધમાં ગાઢ નિકટતા હોવા છતાં ય સ્વતંત્ર્ય અને મોકળાશ જરૂરી છે. &lt;/p&gt;   &lt;p&gt;ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાથે ગાજો, સાથે નાચજો પણ તમે બેઉ તમારી અલગતા જાળવજો. તમે બેઉ સાથે ઊભા રહેજો, પણ તમે ગુંગળાવ નહીં અને વિકસો, ખીલો, એટલી મોકળાશ રાખજો. અલગઅલગ ઊભા કરેલા કેટકેટલા સ્તંભો પર મંદિરનું નિર્માણ થાય છે. એ જ રીતે તમારા સહજીવનના મંદિરનું નિર્માણ કરજો. ઐકય છતાં અલગતા. જૂની પેઢીના વડીલોએ પણ જીવન પ્રત્યેનો આ અભિગમ અપનાવવો જોઇએ, તો જ જીવન પ્રસન્ન, મધુર, સુંદર અને સંવાદિતાભર્યું થશે અને ઘરના દરેક સભ્યનું જીવન સુખથી છલકાઇ જશે.&lt;/p&gt;  &lt;p&gt;&lt;b&gt;૧0 લવશિપ ફેક્ટ&lt;/b&gt;&lt;/p&gt;  &lt;p&gt;&lt;b&gt;૧.&lt;/b&gt; સફળ પુરુષ એ છે જે તેની પત્નીના ખર્ચ કરવાની ક્ષમતા કરતાં વધુ કમાય છે.સફળ સ્ત્રી એ છે જે આવો પુરુષ શોધી લે છે.&lt;br /&gt;&lt;b&gt;૨.&lt;/b&gt; પુરુષને જે વસ્તુ જોઇતી હોય તેના ૧૦૦ રૂપિયાને બદલે ૨૦૦ રૂપિયા ખર્ચ કરશે. સ્ત્રી ન જોઇતી વસ્તુના ૨૦૦ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયા આપી આવશે.&lt;br /&gt;&lt;b&gt;૩.&lt;/b&gt; પુરુષ એમ વિચારીને લગ્ન કરે છે કે તે બદલાઇ જશે પણ તે બદલાતો નથી. સ્ત્રી એમ માનીને લગ્ન કરે છે કે તે નહીં બદલાય પણ તે બદલાઇ જાય છે.&lt;br /&gt;&lt;b&gt;૪.&lt;/b&gt; એવી બે સ્થિતિ હોય છે જયારે પુરુષ તેની પત્નીને સમજી શકતો નથી - લગ્ન પહેલાં અને લગ્ન પછી.&lt;br /&gt;&lt;b&gt;૫.&lt;/b&gt; સ્ત્રીને  પતિ મળે ત્યાં સુÊધી તે તેના ભવિષ્યની ચિંતા કરે છે. પુરુષને પત્ની મળે પછી તે ભવિષ્યની ચિંતા કરે છે&lt;br /&gt;&lt;b&gt;૬.&lt;/b&gt; પુરુષ સાથે ખુશ રહેવું હોય તો તેને સમજો વધુ અને પ્રેમ ઓછો કરો. સ્ત્રી સાથે ખુશ રહેવું હોય તો તેને પ્રેમ વધુ કરો, તેને સમજવાની જરાય જરૂર નથી.&lt;br /&gt;&lt;b&gt;૭.&lt;/b&gt; ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’ પ્રમાણે ઓફિસમાં વધુ સાથે રહેવાને કારણે જ પ્રેમ સંબંધો પાંગરે છે.&lt;br /&gt;&lt;b&gt;૮.&lt;/b&gt; બે તૃતિયાંશ લોકો પોતાના ઓળખીતા હોય તેની સાથે જ સંબંધ બાંધવાનું પસંદ કરે છે.&lt;br /&gt;&lt;span style=";font-family:arial;font-size:85%;"  &gt;  &lt;b&gt;9.&lt;/b&gt; Assumptions are the termites of relationships.  - Henry Winkler&lt;br /&gt;&lt;b&gt;10.&lt;/b&gt; Are we not like two volumes of one book? -Marceline Desbordes -Valmore &lt;/span&gt;&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-2523832383192849696?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/2523832383192849696/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/avantika-gunvant-monday-february-16.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2523832383192849696'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/2523832383192849696'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/avantika-gunvant-monday-february-16.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-222333605253061432</id><published>2009-08-12T17:16:00.000-07:00</published><updated>2009-08-12T17:17:23.712-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;સમજપૂર્વકનું અંતર – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;કાજોલનો ફોન આવ્યો, ‘તું તૈયાર રહેજે. હું તને લેવા આવું છું.’&lt;br /&gt;ક્યાં જવાનું છે એવો પ્રશ્ન મેં એને પૂછ્યો નહિ. એવો પ્રશ્ન હું એને કદી પૂછતી નથી, કારણ કે અનુકૂળતા હોય ત્યારે સાથે વખત ગાળવાનું અમને બેઉને ગમે છે. લાંબા સમયનો અમારો પરિચય નથી, પણ પહેલીવાર મળ્યાં ત્યારથી જ સ્નેહભરી મૈત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. એનું કારણ કદાચ કાજોલનાં ભારતીય મૂળ હોઈ શકે…. કાજોલનાં માતાપિતાનો જન્મ, ઉછેર અને અભ્યાસ ભારતમાં હતો. લગ્ન કર્યા પછી તેઓ અમેરિકા આવીને વસેલાં.&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;કાજોલનો જન્મ અમેરિકામાં થયો, પણ એના ઘરનું વાતાવરણ, જીવનશૈલી લગભગ ભારતીય હતાં. કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે, એ અમેરિકન સિટિઝન છે, એણે ભારત જોયું જ નથી, છતાં મને એવું લાગ્યા કરે કે ઊંડેઊંડે એનામાં પરંપરાગત ભારતીય સંસ્કારો છે. તેથી જ અમે જીવન વિશે ઘણી બધી બાબતોની ચર્ચા કરી શકતાં ને અન્યોન્યનું દષ્ટિબિંદુ સમજી શકતાં. કશુંક છુપાવ્યા વગર હૃદયમનના ભાવ નિખાલસતાથી બેધડક પ્રગટ કરી શકતાં. અમારી વાતોનો પ્રવાહ અસ્ખલિત વહ્યા કરતો.&lt;/p&gt; &lt;p&gt;રસ્તમાં કાજોલે કહ્યું : ‘આપણે બર્લિંગ્ટન મૉલમાં જઈએ છીએ, પ્રેઝન્ટ ખરીદવા. ડીક માટે પ્રેઝન્ટ.’&lt;br /&gt;‘ડીક માટે ?’ આટલા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યાં, પણ પછી હું અટકી ગઈ, કારણ કે આજ સુધી એક ડીકનું નામ મેં એના મોંએ સાંભળ્યું છે અને એ છે એનાથી છૂટા પડેલા એના પતિનું. એ સિવાય બીજા કોઈ ડીક વિશે મેં સાંભળ્યું નથી, તો એના એ છૂટાછેડાવાળા પતિ માટે પ્રેઝન્ટ લેવા એ જતી હતી ? ડીકથી છૂટા પડ્યે પાંચેક વરસ થયાં છે. આ ડીકની વર્ષગાંઠ કે એવું કંઈ હશે, એની ઉજવણી થવાની હશે.. એક સેકન્ડમાં મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા. મારા ચહેરા પર આલેખાઈ ગયેલા એ પ્રશ્નો એણે વાંચી લીધા હોય એમ કાજોલ બોલી : ‘ડીકનાં લગ્ન છે, કાલે આમંત્રણ આપવા આવ્યો હતો.’&lt;br /&gt;મેં જોવા પ્રયત્ન કર્યો, એ દુ:ખી તો નથી ને ! અમેરિકામાં છૂટાછેડા લીધા પછી પણ પતિ-પત્ની એકબીજાને સદભાવથી મળે છે. તેઓ વચ્ચે મૈત્રી ટકી રહે છે, એમના એ સંબંધનું એક ગૌરવ હોય છે. કાજોલ જ્યારે જ્યારે ડીક વિશે વાત કરે ત્યારે માનપૂર્વક ઉલ્લેખ કરતી, એને ડીકમાં વિશ્વાસ હતો, તેઓ એકબીજાનું ધ્યાન રાખતાં, કાળજી લેતાં, તેઓ ઉત્સાહપૂર્વક એકબીજાને મળતાં. કાજોલના મોંએ એની વાતો સાંભળી ક્યારેક તો મને થતું કે આ લોકોએ શું કામ છૂટાછેડા લીધા હશે !&lt;br /&gt;&lt;span id="more-2865"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;એક વાર તો મારાથી બોલાઈ ગયું હતું કે આટલી સારી રીતે મેળ બેસતો હોય તો ભારતમાં કોઈ છૂટાં ન પડે.&lt;br /&gt;‘છૂટાં પડવા માટે ઝઘડવું જ પડે ?’ કંઈક અકળામણભર્યા સૂરે એણે પૂછ્યું.&lt;br /&gt;‘અરે, ત્યાં તો ઝઘડા થતા હોય તોય થોડી બાંધછોડ કરીને નિભાવી લેવાની જ સલાહ અપાય.’ મેં કહ્યું.&lt;br /&gt;‘નિભાવવું એટલું આસાન છે ? પતિ-પત્નીનો સંબંધ, ત્યાં જરાય કૃત્રિમતાને અવકાશ નથી ત્યાં બાંધછોડ કરો, મન ન હોય છતાં અણગમતી વાત ચલાવી લો, તો એક પ્રકારની ખેંચ ન લાગે ? સ્ટ્રેસ ન અનુભવાય ?’ એણે પૂછ્યું.&lt;br /&gt;‘સ્ટ્રેસ નથી અનુભવવો એવો નિર્ણય કરો તો સ્ટ્રેસ ન અનુભવાય. આપણું મન ધારે તો આવી અસરમાંથી મુક્ત રહી શકે અને થોડા સમય પછી બધું બરાબર થઈ જતું હોય છે.’&lt;br /&gt;‘એવું ખેંચી તાણીને જીવવાનો શો અર્થ ? હું તને કહું, લગ્ન પહેલાં હું ને ડીક સારાં મિત્રો હતાં. વર્ષો જૂની અમારી મૈત્રી હતી, કલાકો સુધી અમે વાતો કરતાં. જંગલમાં સાથે ફરતાં, પહાડોમાં ઘૂમતાં. એ ઈતિહાસ અને માનવજાતની વાતો કરતો ને હું સાંભળતી, ક્યારેક એ આદિમાનવ વિશે વાત કરે, દુનિયાભરના દેશોની, ત્યાંની પ્રજાની, એમની ચડતીપડતીની, એમની સભ્યતા અને સંસ્કૃતિની વાતો કરે, ધર્મની વાતો કરે ત્યારે એ વાતો સાંભળવી મને ગમતી, બહુ ગમતી. મુગ્ધ હૈયે હું સાંભળ્યા કરતી. અમે કદી રેસ્ટોરાં કે નાચગાનની પાર્ટીમાં નથી ગયાં. મિત્રોના સમૂહમાં ઊછળકૂદ કરવી કે ધાંધલધમાલ અમને પસંદ નહોતાં. ઝાકઝમાળથી દૂર રહેવું અમને ગમતું.&lt;/p&gt; &lt;p&gt;યુદ્ધને અમે બેઉ ધિક્કારીએ. માણસમાત્ર માટે અમને બેઉને સમભાવ. હું કહું, આપણે એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ જેથી સામાન્ય માણસનાં દુ:ખ દૂર થાય. હું નર્સ બની અને એ શિક્ષણક્ષેત્રે દાખલ થયો. એ શિક્ષક બન્યો અને સાથે સાથે આગળ ભણતો હતો. હું વિચારું એક શિક્ષક ધારે તો એના વિદ્યાર્થીઓને કેટકેટલું આપી શકે. વિદ્યાર્થીઓનું ચારિત્ર્યઘડતર કરે, જીવનની વિષમતા સામે લડવાનું બળ આપે, જીવનમાં ઊંચે જવાની પ્રેરણા આપે, શિક્ષકનું જીવન તો આદર્શ જીવન કહેવાય. અમે બેઉએ લગ્ન કર્યાં. થોડા મહિના તો અમે આકાશમાં ઊડ્યાં, પણ પછી મને એની જીવનશૈલી ન ગમી, એનું જીવન ખામીયુક્ત દેખાવા માંડ્યું. એ આખો દિવસ વાંચ્યા જ કરે. કૉલેજ લાઈબ્રેરી વચ્ચે ફરતો જ હોય. ઈતિહાસ અને સંસ્કૃતિ એના વિષય હતા. મારી કલ્પના મુજબ એ એના વિદ્યાર્થીઓથી ઘેરાયેલો ન હોય, ભાવુક, જ્ઞાનઘેલા, થનગનાટવાળા વિદ્યાર્થીઓ એની પાછળ દોડતા નહિ, વિદ્યાર્થીઓનો એ પ્રિય ટીચર ન બની શક્યો. વિદ્યાર્થીઓમાં એને રસ જ નહોતો. જીવંત માણસોમાં નહિ, પણ નિર્જીવ થોથમાં એને રસ હતો. આ જોઈને હું અકળાઈ ઊઠું. હું કહું, ડીક, તું બહાર નીકળ, તારી રૂમમાંથી બહાર નીકળ. તારાં આ ખુરશી ટેબલ છોડ. ખુલ્લી જગ્યામાં જા. રમતના મેદાનમાં જા. તારા વિદ્યાર્થીઓમાં ભળ. એમનાં આકાંક્ષા, અરમાન અને સ્વપ્નાં વિશે સાંભળ. એમના ચહેરા વાંચ, એમના હૃદયની ભાષા ઉકેલ, એમનાં પ્રગતિ અને ઉત્કર્ષનો વિચાર કર. એમને માર્ગદર્શન આપ, પ્રોત્સાહન આપ.&lt;/p&gt; &lt;p&gt;પણ ના, એને મારા શબ્દો સંભળાય જ નહિ, મારું કહેવું એના મનમાં ઊતરે નહિ. એને તો અભ્યાસ કરવાથી, ગંભીર ચર્ચા કરવાથી, લેકચર કરવાથી સંતોષ થાય, મને એ પૂરતું ન લાગે. મને એની જીવનપદ્ધતિમાં દંભ લાગે, નિરર્થકતા લાગે, એની એ ભ્રમણામાંથી બહાર કાઢવા મેં પ્રયત્ન કર્યા, પણ કંઈ વળ્યું નહિ, પરિણામે મારી નજરમાંથી એ ઊતરતો ગયો. મને થાય એ સાવ બેઠાડું છે, આળસુ છે, નિરુદ્યમી છે. શું આવી જિંદગીનાં આપણે સ્વપ્નાં સેવ્યાં હતાં.’&lt;br /&gt;‘નર્સ તરીકે તો તારી કામગીરીથી તને સંતોષ હતો ને ?’ મેં પૂછ્યું.&lt;br /&gt;‘હા, હું મારા દર્દીઓમાં પ્રિય હતી. ડૉક્ટરો પણ મને માનથી જોતા હતા, પણ ડીક સામે મારા મનમાં ફરિયાદો જ ઊઠતી. દિવસના અંતે સાંજે અમે મળીએ ત્યારે જીભાજોડી કે વાદવિવાદ જ હોય. એમાંય રજા આવે ત્યારે તો નાની વાતમાંથીય એવી ઉગ્રતા પ્રગટે કે વાતાવરણમાં અશાંતિ પ્રવર્તી જાય. અમારાં હૃદયમન કડવાં કડવાં થઈ જાય, અમે એકબીજાથી દૂર જવા માંડ્યાં. પતિ-પત્નીના સંબંધમાં આકર્ષણ, માધુર્ય, તીવ્રતા, રોમાંચ નાશ પામ્યાં. અમે બેઉ અવશપણે ઉદાસીનતાના ખાડામાં ડૂબી ગયાં. અમે બેઉ ચોંકી ઊઠ્યાં. જીવનને આમ નષ્ટ તો ન જ થવા દેવાય. અમે બેઉએ સાથે બેસીને વિચાર્યું કે સાથે જીવવામાં કોઈ લાભ નથી. સહવાસથી કશું સારું નીપજતું નથી. તો લગ્નના નામે એકબીજાને બાંધી રાખવામાં ડહાપણ નથી, બંધાઈ રહેવું ઈષ્ટ નથી.&lt;/p&gt; &lt;p&gt;અમે નક્કી કર્યું કે છૂટાં પડીએ. આવી રીતે અમે છૂટાં પડ્યાં. અંત:કરણપૂર્વક શુભેચ્છા પાઠવી છૂટાં પડ્યાં. અમને એકબીજામાં ખૂબ વિશ્વાસ હતો, સ્નેહ હતો, તેથી અમારી મૈત્રી અતૂટ રહી. અમે છૂટાં પડ્યાં તોય એકબીજાને અમે છોડી નહોતાં દીધાં, અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો, એ પ્રેમને જાળવવા અમે માગતાં હતાં, તેથી જ અમે છૂટાં પડ્યાં હતાં. પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં. કોઈ અટપટો, પડકારરૂપ પેશન્ટને મેં ટ્રીટ કર્યો હોય તો એની વાત ડીકને કહેવા હું અધીરી બનતી તો ડીક પણ એના અભ્યાસના અંતે કોઈ તારાતમ્ય પર પહોંચ્યો હોય તો સૌથી પહેલાં મને કહેતો. અમારા સારા કે ખોટા સમાચાર અમે એકબીજાને તરત કહેતાં. ક્યારેક લૉંગડ્રાઈવ પર સાથે જતાં.’&lt;/p&gt; &lt;p&gt;કાજોલ વાત કર્યે જતી હતી, હજી એ ડીકના પ્રેમમાં હતી, પણ હવે શું ? હવે તો ડીક પરણી જાય છે. કાલે જ એનાં લગ્ન છે. ડીકને જીવનસંગિની મળી છે. હવે એ એકલો નહિ હોય. હવે કંઈક કહેવા એ કાજોલ પાસે દોડી નહિ આવે અને કાજોલ પણ પોતાની કોઈ વાત કહેવા એને બોલાવી નહિ શકે. હૃદયમનની વાત કહેવા હવે કાજોલ ક્યાં જશે ? હવે કાજોલ ખરેખર એકલી પડશે. મેં વિચાર્યું એવું કાજોલે વિચાર્યું જ હશે. એના હૈયામાં આવનારી એ એકલતાની વેદના હશે જ. ડીકને ગુમાવી દીધો એનું દુ:ખ હશે જ. છતાં એ ડીક માટે પ્રેઝન્ટ લેવા જાય છે. મધુર દાંપત્યજીવનની શુભેચ્છાઓ સાથે એ ડીકને પ્રેઝન્ટ આપશે. સસ્મિત વદને પ્રેઝન્ટ આપશે અને પછી… એ દૂર દૂર ચાલી જશે. આવી કલ્પના આવતાં મારું હૈયું કાજોલ માટે સમભાવથી આર્દ્ર બની ગયું. મેં કાજોલ સામે જોયું, એના ચહેરાને વાંચવા પ્રયત્ન કર્યો. પણ નવાઈ ! કાજોલ સ્વસ્થ છે. હા, એના અવાજમાં વ્યથા વરતાતી હતી. આંખ કદાચ ભીંજાયેલી હતી, પણ આંસુની ધાર નહોતી વહેતી. એ પૂરા સંયમથી વર્તતી હતી. એની જાત પર એનો અંકુશ હતો. કોઈ પણ પ્રકારની લાગણીમાં એ વહી નહોતી ગઈ. એ પોતાની સ્વામિની હતી.&lt;/p&gt; &lt;p&gt;દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-222333605253061432?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/222333605253061432/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7239.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/222333605253061432'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/222333605253061432'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7239.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-5716098253476269596</id><published>2009-08-12T17:11:00.000-07:00</published><updated>2009-08-12T17:12:29.976-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;જો હું એમની આંખો બનું તો… ? – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;&lt;p&gt;&lt;img class="alignright size-full wp-image-3410" title="bhaskarbhai" src="http://www.readgujarati.com/sahitya/wp-content/uploads/2009/03/bhaskarbhai.jpg" alt="bhaskarbhai" width="386" align="right" height="245" /&gt;આપણે ત્યાં પહેલા બ્લાઈન્ડ લેકચરર કોણ ?&lt;br /&gt;ભાસ્કરભાઈ મહેતા…&lt;br /&gt;પહેલા બ્લાઈન્ડ સેનેટ સભ્ય કોણ ?&lt;br /&gt;ભાસ્કરભાઈ મહેતા…&lt;br /&gt;પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કોણ ?&lt;br /&gt;ભાસ્કરભાઈ મહેતા…&lt;br /&gt;અને પહેલા વિકલાંગ કમિશનર કોણ ?&lt;br /&gt;ભાસ્કરભાઈ મહેતા….&lt;/p&gt; &lt;p&gt;ઈંગ્લૅન્ડમાં અંધ કેળવણીપ્રધાન છે, પરંતુ આપણે ત્યાં વિકલાંગની આવા ઊંચા પદ પર પ્રથમવાર નિમણૂંક થઈ છે. આજ સુધી જે સ્થાન પર ફક્ત આઈ.એ.એસ અધિકારીઓ જ બેસતા તે સ્થાન પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈએ ગત સતત ત્રણ વર્ષો (2005-2008) સુધી શોભાવ્યું હતું. એ સમયે તેમના હાથ નીચે 25 કલેક્ટરો રહેતા. અથાગ પરિશ્રમ, અખૂટ આત્મવિશ્વાસ અને અસીમ શ્રદ્ધાથી એક એક ડગ આગળ વધતા ભાસ્કરભાઈના જીવન અને તેમના અનોખા પ્રસન્ન દાંપત્ય વિશે તમને જાણવું ચોક્કસ ગમશે. તો ચાલો સૌપ્રથમ, ભાસ્કરભાઈના જીવન અને તેમના કાર્યક્ષેત્ર પર એક નજર કરીએ….&lt;/p&gt; &lt;p&gt;તેઓ મૂળ ભાવનગરના. 23 સપ્ટેમ્બર, 1950માં અમદાવાદમાં તેમનો જન્મ. માતા રંભાલક્ષ્મી અને પિતા યોગેન્દ્રભાઈ, એ.એમ.ટી.એસ.ના સામાન્ય કર્મચારી. ભાસ્કરભાઈને જન્મથી જ આંખના નૂર નહિ. એમના પછી 1952માં જન્મેલા નાના ભાઈ ગગનની આંખો પણ તેજહીન. એ જમાનામાં અંધજનો માટે શિક્ષણ અને પુનર્વસનની ખાસ વ્યવસ્થા ન હતી. સામાન્ય ઘરમાં બબ્બે બાળકો, માબાપનું તો હૈયું જ બેસી જાય ને ! પણ એમના નાનાજી અને દાદાજી અને આખા કુટુંબે આ બાળકોની સમસ્યાને પોતાની ગણી હતી અને શક્ય એટલી જવાબદારી સંભાળી લીધી હતી. ભાસ્કરભાઈ કહે છે કે એમના નાગર કુટુંબની સંસ્કારિતા અને શહેરમાં વસવાટ – આ બે પરિબળોએ એમના શિક્ષણમાં સારો ભાગ ભજવ્યો. એમના ઘરની નજીક જ અંધશાળા. વિનોદાબહેન દેસાઈ એનાં સંચાલિકા. એમને જોયાં ને રંભાલક્ષ્મીબહેનને પોતાના દીકરાઓ માટે માર્ગ દેખાયો. દીકરાઓને એમણે અંધશાળામાં દાખલ કર્યા. બે ભાઈઓ ચાલતા કાં તો બસમાં એકલા સ્કૂલે જતા.&lt;br /&gt;&lt;span id="more-3409"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;તેઓ પરિવારમાં સમાજ સાથે રહેતા હતા. એમનાં માતાપિતા વગર સંકોચે પોતે જ્યાં જાય ત્યાં દીકરાઓને પોતાની સાથે લઈ જતા હતા. આમ એમનો ઉછેર સ્વાભાવિકપણે થતો હતો. તેઓ દેખતા છોકરાઓ સાથે ગિલ્લીદંડા અને લખોટી રમતા. ક્યારેક પડી જાય, વાગે પણ રમતાં અટકે નહિ. એક વાર બૉલ લેવા જતાં પાણીની ટાંકીમાં ઊંધા પડી ગયા હતા, પણ ચપળતા દાખવીને તરત ઊભા થઈ ગયા. એક વાર ભારે રોલર ફેરવતાં ગલુડિયાંને ચગદી નાખ્યા હતા. આની પાછળ કોઈ ગુનાવૃત્તિ નહિ, પણ તોફાન કરવાની મઝા આવે ને ના દેખવાના કારણે આવું થઈ જાય. તોફાની હોવાના કારણે નિશાળમાં સાહેબોનો માર ખાધો છે. પ્રિન્સિપાલ એમને તોફાની છોકરા તરીકે ઓળખે; પણ તેઓ એમના પ્રિય વિદ્યાર્થી હતા. ભાસ્કરભાઈ માને છે, આ natural pleasure of life એમને મળી તેથી એનો વિકાસ નોર્મલ થયો. અન્ય અંધ બાળકોની જેમ એમને સંગીત કે નેતરકામ ના ગમે; તેમને ભણવાનું ગમતું. તેઓ બ્રેઈલ વાંચનમાં કાયમ આગળ રહેતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઈન્ડિયા લેવલ પર બ્રેઈલ વાચનમાં પ્રથમ આવતા ને ઈનામ જીતતા. પછી એ જ સ્પર્ધાના એ નિર્ણાયક નિમાયા અને સ્પર્ધક મટી ગયા. અંધ સ્કૂલના આચાર્ય શ્રી હર્ષદભાઈ જોશી સાથે એમને પિતાપુત્ર જેવો સંબંધ. પોતાના પિતાની વાત ક્યારેક અવગણે પણ જોશીસાહેબની નહિ.&lt;/p&gt; &lt;p&gt;ભાસ્કરભાઈએ સાતમું ધોરણ પાસ કર્યું, પછી કહે મારે અંધસ્કૂલમાં નથી જવું, હું નોર્મલ સ્કૂલમાં ભણીશ; અને બહુ લોકોના વિરોધ વચ્ચે એમણે નૂતન ફેલોશીપમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ એમના જીવનનો ટર્નિંગ પૉઈન્ટ હતો. અહીં એમને વિશાળ સર્કલ મળ્યું. લગભગ છસો-સાતસો બાળકો વચ્ચે ભણવાનું એટલે વાચાળતાનો વિકાસ થયો. સ્પર્ધા માટે પણ મોટું ગ્રાઉન્ડ મળ્યું. સ્કૂલની પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે જ્યારે ભાસ્કરભાઈ મૌખિક પરીક્ષા આપે. બધા વિકલ્પ સવાલો સાથે આખા પેપરના જવાબો એ કડકડાટ મોંએ બોલી જાય. તેઓ રાજ્યકક્ષાએ યુવક મહોત્સવમાં વક્તૃત્વ હરીફાઈમાં ઈનામો જીતે. આ બધી સફળતાના આધારે એમણે નિર્ણય કર્યો કે પોતે શિક્ષણનો વ્યવસાય અપનાવશે. એમની સ્કૂલમાં ટીચર ના આવે તો એ પિરિયડ લેવા જતા. નિબંધ કે વિચારવિસ્તાર કરાવીને એ આખા વર્ગને ભણવામાં રોકી રાખતા. આમ એમનો વિકાસ થતો ચાલ્યો.&lt;/p&gt; &lt;p&gt;મેટ્રિક પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બધી જ પરીક્ષાઓ ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કરી. દરેક વખતે સ્કૉલરશિપ મળતી અને એમનું ભણવાનું ચાલુ રહેતું. તેઓ ફાઈનલ બી.એ.માં હતા ને પ્લુરસી થયો. મહિનાઓ સુધી જિંથરીની હૉસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું. એમના પિતા રડી પડ્યા કે હવે દીકરો બી.એ.ની પરીક્ષા નહિ આપી શકે, પણ, ભાસ્કરભાઈ કહે મારાથી એક વરસ ના બગાડાય, હું પરીક્ષા આપીશ. માંદગીના લીધે શરીર કૃશ થઈ ગયું હતું. વધારે પરિશ્રમ કરવા પર અંકુશ હતો, પરંતુ દઢ સંકલ્પ શું નથી કરતો ? વિદ્વાન પ્રોફેસર ગૌતમભાઈ પટેલે તેમની ટ્યુશન ફી લીધા વગર પોતાના ઘરે ભણાવ્યા, જમાડ્યા અને ભાસ્કરભાઈ કૉલેજમાં પ્રથમ આવ્યા. પછી. યુ.જી.સી.ની સ્કોલરશિપ મળી ને એમ.એ. કર્યું. સંસ્કૃત કાલિદાસ મહોત્સવ ઉજ્જૈનમાં વકૃત્વસ્પર્ધામાં તૃતીય આવ્યા. વિદ્યાર્થીજીવનમાં તેમણે નવનિર્માણના આંદોલનમાં ભાગ લીધો હતો, પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ય ગયા હતા. સ્ટુડન્ટ વેલફેર બોર્ડની ચૂંટણી લડ્યા ને જીતેલા. તેઓ આનંદબજારના આયોજન કરતા. આમ અંધત્વના કારણે તેઓ ક્યાંય પાછા નથી પડ્યા. ઉત્સાહ-ઉમંગથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેતા.&lt;/p&gt; &lt;p&gt;તેમણે આંતરાષ્ટ્રીય સ્તરે એક નિંબધ હરીફાઈમાં ભાગ લીધો ને તેમને જર્મની જવા મળેલું. જર્મની જતા પહેલાં વાતચીતની જર્મન ભાષા શીખી લીધેલી. સંસ્કૃત અને પ્રાકૃત સાથે એમ.એ.ની પરીક્ષા 72% માર્ક્સથી પાસ કરી, પછી બી.એડ.માં પ્રવેશ લીધો. એ દરમિયાન પ્રાંતિજની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં લેક્ચરર તરીકે જોબ મળી. જોબની સાથે સાથે બી.એડ. ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કર્યું. તે પછી એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને પછી ઈડર કૉલેજમાં 17 વર્ષ અધ્યાપન કર્યું. એમની ઈડરની કૉલેજમાં નિમણૂક કરતી વખતે પસંદગી સમિતિ હિચકિચાટ અનુભવતી હતી કે આંખે જરાય ના દેખતી વ્યક્તિ કૉલેજમાં વિદ્યાર્થીઓને કાબુમાં રાખી શકશે ? ભાસ્કરભાઈ વિદ્યાર્થીઓના પ્રિય સર બન્યા. ભાસ્કરભાઈના માર્ગદર્શન નીચે એમ.એ.માં એન્ટાયર સંસ્કૃત લેવાની સગવડ શરૂ થઈ.&lt;/p&gt; &lt;p&gt;સાબરકાંઠામાં અંધજનો માટે ખાસ કામ નહોતું થયું, તેથી તેમણે ‘રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા, ઈડર’ – શરૂ કર્યું. આજે ત્યાં 120 વ્યક્તિનો સ્ટાફ છે ને સવા કરોડનું બજેટ છે. અંધ ઉપરાંત મંદબુદ્ધિના, બહેરામૂંગા, મલ્ટીપલ ક્ષતિઓવાળાને પણ શિક્ષણ તથા તાલીમ અપાય છે. અભ્યાસ પછી નોકરી, લગ્ન વગેરે બાબતે સહાય કરાય છે. ભાસ્કરભાઈ માને છે કે માનવધર્મ જ શ્રેષ્ઠ છે. અન્યાય અને શોષણ સામે લડવા એ કાયમ તત્પર હોય છે. અધ્યાપક મંડળનું કામ હોય તો ય એ આગેવાની લેવા તૈયાર. અનામત આંદોલનમાં ય આગળ પડતો ભાગ લીધો હતો. પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ગયા હતા. વિકલાંગોના સ્વાવલંબન માટે વિકલાંગ ધારો પસાર કરાવવા લડત ચલાવી અને 20 વર્ષની લાંબી લડત પછી એ ધારો અમલમાં આવ્યો. આ ધારાની જોગવાઈ મુજબ વિકલાંગોને સમાન તક મળવી જોઈએ, એમના હકોનું રક્ષણ થવું જોઈએ અને એમને લગતાં કાર્યોમાં એમની તાકાતનો ઉપયોગ થવો જોઈએ. આ ધારાના પરિણામે ભાસ્કરભાઈ વિકલાંગ બોર્ડના કમિશનર થઈ શક્યા. આ પદ ગ્રહણ કરનાર તેઓ સૌ પ્રથમ વિકલાંગ છે. આજ સુધી આ જગ્યા પર આઈ.એ.એસ. અધિકારી નિમાતા. પરંતુ ભાસ્કરભાઈનું આજ સુધીનું કાર્ય અને સિદ્ધિ જોઈને એમની પસંદગી કરવામાં આવી.&lt;/p&gt; &lt;p&gt;ભાસ્કરભાઈ સમાધાન કરવામાં માને છે, પણ સિદ્ધાંતની બાંધછોડ કરવામાં નહિ. જ્યાં અન્યાય દેખાય ત્યાં નમ્રતાથી વિવેકપૂર્ણ રીતે વિરોધ કરે જ છે. તેઓ કહે છે, શા માટે ગભરાઓ છો ? બોલો, માગણી કરો તો પામશો.&lt;br /&gt;‘સરકારી હોદ્દા પર રહીને કામ કરવાનું કેવું લાગે છે ?’ મેં પૂછ્યું.&lt;br /&gt;‘અત્યાર સુધી એન.જી.ઓ. સાથે કામ કરેલું, હવે સરકારી રીતરસમ સાથે પરિચિત થાઉં છું. મારે આંખ નથી, પણ દિલ અને દિમાગ તો છે ને ? કાર્યમાં નિષ્ઠા અને વાણીવર્તનમાં વિવેક રાખીને આગળ વધવાનું છે. હું જો સારું કામ કરીશ તો જ બીજા વિકલાંગોની ઊંચી પોસ્ટ પર નિમણૂક થશે. લોકોને વિકલાંગોમાં વિશ્વાસ બેસશે અને અમારા માટે ખૂલેલા માર્ગ ખૂલેલા જ રહેશે.’ ભાસ્કરભાઈએ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઢાકા, જર્મની, નેધરલેન્ડ, બૅંગકૉક તથા સિંગાપુરમાં સેમિનારમાં ભાગ લીધો છે. હવે થોડીક વાતો તેમની અર્ધાંગિની વિશે કરીએ.&lt;/p&gt; &lt;p&gt;સામાન્ય રીતે એવું મનાય છે કે માણસ પોતાના સુખ અને વિકાસ માટે લગ્ન કરે છે. દરેક વ્યક્તિ જીવનસાથી પસંદ કરતી વખતે એક જ ગણતરી કરે છે કે આ પાત્ર સાથે જીવન જોડવાથી મને શું મળશે ? માણસ બીજાને સુખી કરવા નહીં પણ પોતે જાતે સુખી થવા લગ્ન કરે છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે માત્ર પોતાનંી સુખ નહીં પણ બીજાનું હિત વાંછે છે. આવી જ વાત છે પ્રવીણાબહેનની. એ ગ્રજ્યુએટ થયાં ને ઘરમાં લગ્નની વાત ચાલી ત્યારે તેઓ કહે, ‘મારે લગ્ન નથી કરવાં. મારે તો અંધજનોનું કામ કરવું છે.’&lt;br /&gt;‘લગ્ન કર્યાં પછીય એ કામ થઈ શકે.’ પિતા બોલ્યા. તત્કાળ, પ્રવીણાબહેનના ભીતરમાંથી અવાજ આવ્યો, ‘હા, થઈ શકે અને એ માટે અંધજન સાથે લગ્ન કરવાં આવશ્યક છે.’ એમણે માતાપિતાને કહ્યું : ‘હું કોઈ અંધજન સાથે લગ્ન કરીશ.’ પ્રતિષ્ઠિત, સાધનસંપન્ન વત્સલ માબાપ પોતાની ખોડખાંપણ વગરની સોહામણી શિક્ષિત દીકરી માટે અંધ મુરતિયો નહીં જ શોધે એની ખાતરી હતી તેથી પ્રવીણાબહેને જાતે અંધ યુવકની શોધ આદરી. સંઘર્ષભર્યા પંથે પ્રયાણ આરંભી દીધું.&lt;/p&gt; &lt;p&gt;અને એમની નજરમાં ભાસ્કરભાઈ વસ્યા. ભાસ્કરભાઈ જન્માંધ છે, પણ પ્રતિભાશાળી એવા છે કે બી.એ.માં ફર્સ્ટ કલાસ, એમ.એ.માં ફર્સ્ટ કલાસ, બી.એડમાં પણ ફર્સ્ટ કલાસ અને વિકલાંગતાના નામ પર નહીં પણ પોતાની શૈક્ષણિક લાયકાત પર કોલેજમાં નોકરી મેળવી હતી. પ્રવીણાબહેનને થયું આ યુવકને આંખો નથી છતાં પોતાના પ્રખર પુરુષાર્થ, દઢ મનોબળ અને તીવ્ર મેધાશક્તિથી આટલો આગળ વધ્યો છે. હવે જો હું એની આંખો બનું તો આ માણસ આભને આંબે. સેવાના અભિલાષી પ્રેમાળ પ્રવીણાબહેને વિનયપૂર્વક ભાસ્કરભાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભાસ્કરભાઈએ ઘસીને ના પાડી દીધી અને કહ્યું, ‘લગ્ન તો સમાન વચ્ચે હોય, તમે દેખતાં છો તેથી મારા કરતાં ચડિયાતાં ગણાઓ. હું તમને ના પરણી શકું.’&lt;br /&gt;પ્રવીણાબહેને કહ્યું : ‘હું તમારી બુદ્ધિપ્રતિભા, તમારા સમગ્ર વ્યક્તિત્વનો આદર કરું છું ને તેથી તમારી જીવનસંગિની બનવાની હોંશ છે. પ્લીઝ ના ન પાડો.’&lt;br /&gt;ભાસ્કરભાઈએ સ્વસ્થ સૂરે કહ્યું : ‘લગ્ન એ તો જીવનભરનો સાથ છે. એનો નિર્ણય આવેશ કે આદર્શની ઘેલછામાં ના લેવાય. અંધજન જોડે ડગ ભરવા એટલે શું એ જાણો છો ?’&lt;br /&gt;‘હું કોઈ આવેશ, ઘેલછા કે ભ્રમણામાં આવીને આ પ્રસ્તાવ નથી મૂકતી. અંધજનની મુશ્કેલીઓનો મને સ્પષ્ટ ખ્યાલ છે. તમારી આ મુશ્કેલીઓમાં હું સહભાગી થવા ઈચ્છું છું.’ દઢ સૂરે પ્રવીણાબહેને કહ્યું.&lt;/p&gt; &lt;p&gt;ભાસ્કરભાઈનાં બા રંભાબહેને કહ્યું, ‘ભાસ્કર સંપૂર્ણ અંધ છે, એનું આ અંધત્વ કોઈ રોગ નથી જે દવા કે ઓપરેશનથી મટે. એનો અંધાપો જરાય ઘટવાનો નથી કે નાબૂદ નથી થવાનો. એની સાથેનું સહજીવન અગ્નિપરીક્ષા હશે. પાછળથી તને આ લગ્ન માટે અફસોસ થશે. માટે તારો વિચાર પડતો મૂક.’ પણ પ્રવીણાબહેન તો મક્ક્મ હતાં. લગ્નની આગલી સાંજે રંભાબહેને ફરી વાર પ્રવીણાબહેનને કહ્યું, ‘હજી તું ના પાડી શકે છે, અત્યારે ના પાડીશ તો ખાસ દુ:ખ નહીં થાય. પણ પછીથી જો તું થાકીશ અને કલહકંકાસ કરીને તમે જુદાં પડશો તો એ ઘા બેઉને વસમો થઈ પડશે.’&lt;/p&gt; &lt;p&gt;ભાસ્કરભાઈની આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય હતી. એવા ઘરસંસારમાં સફળતાપૂર્વક સમાવું એક પડકાર હતો, પણ પ્રવીણાબહેને કોઈ મુશ્કેલીને મુશ્કેલી માની જ નહીં. પ્રતિકૂળતા માટે એ તૈયાર જ હતાં. ભાસ્કરભાઈ ઈડરની કોલેજમાં પ્રોફેસર થયા. સામાન્ય ગૃહિણી કરતાં પ્રવીણાબહેનની ફરજોની યાદી લાંબી છે. તેઓ માત્ર ગૃહિણી થઈને સંતોષ માનનાર ન હતાં. ઈડરમાં અંધજનોના વિકાસનું કાર્ય તેમણે આરંભ્યું. એમની સંસ્થામાં વિકલાંગો માટે ઘણું નક્કર કામ થાય છે. સાથે સાથે ઘર, કુટુંબ અને સામાજિક વ્યવહારો તો ખરા જ. સેવા, સેવા નિરંતર સેવાના કારણે પ્રવીણાબહેનનું જીવન શું શુષ્ક બની ગયું છે ? મોજશોખ વણસંતોષાયેલા રહ્યા છે ? ભાસ્કરભાઈ ટીખળખોર છે. તેઓ કહે છે : ‘બે હાથે મહેંદી મૂકવાને બદલે પ્રવીણા ગાય છે : મેંદી મૂકીને શું રે કરું વીરા, એનો જોનારો સુરદાસ રે….’ આ સાંભળીને રીસ ચડાવતાં પ્રવીણાબહેન કહે છે :&lt;br /&gt;‘મને મેંદી મૂકવી ગમતી જ નથી.’&lt;br /&gt;‘જીવનસફર કેવી રહી ?’&lt;br /&gt;‘આનંદોલ્લાસથી ઊભરાતા અમારા દામ્પત્યજીવનમાં અંધત્વ ક્યાંય આડે આવ્યું નથી. અંધત્વથી તેઓ મુક્ત થઈ ગયા છે, તેથી તો બીજાને અંધત્વમાંથી મુક્ત કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ…’&lt;/p&gt; &lt;p&gt;આપણે ભાસ્કરભાઈની સફળતાનો યશ પ્રવીણાબહેનને આપવા જઈએ તો પ્રવીણાબહેન તરત બોલી ઊઠે છે : ‘એમણે ઓલરેડી એમની જાતને પ્રુવ કરી જ હતી.’ તેઓ ઉમેરે છે, ‘લગ્ન એ તો અંગત વાત છે. એનાં ગીત શું ગાવાનાં ? મને ગમ્યું એ મેં કયું. લગ્નનો નિર્ણય કરતી વખતે જેટલી હું ખુશ હતી એટલી આજે પચીસ વર્ષ પછી પણ છું. મારા નિર્ણય માટે મને કોઈ અફસોસ નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે લગ્ન કરીએ એટલે કામ પતી નથી જતું. પળેપળ સભાનપણે લગ્નને સાર્થક કરવા માણસે પ્રયત્ન કરવો પડે છે. ઘણી બાંધછોડ કરવી પડે છે અને જ્યારે પ્રથમ દષ્ટિએ અસમાન વચ્ચેનાં લગ્ન હોય ત્યારે સુખનો માર્ગ વિકટ હોય છે, હર ડગલે પડકાર ઊભા થાય છે છતાં ઉદારતા, ધીરજ, સમતા, સંયમ અને ખાસ તો પ્રેમથી ધારી સફળતા મળે છે. પ્રવીણાબહેનની દીકરી એમ.એ. થયા પછી લગ્ન કરી લંડન સેટલ થઈ છે. દીકરાઓ મનન અને હર્ષ પોતાની રીતે વિકાસ સાધી રહ્યા છે.&lt;/p&gt; &lt;p&gt;અત્યારે તો પ્રવીણાબહેન વિકલાંગો ઉપરાંત મંદબુદ્ધિના બાળકોને પણ એમની સંસ્થામાં દાખલ કરી રહ્યાં છે. તેઓ રાતદિવસ એકાકાર કરીને કામ કરી રહ્યા છે, અને ખુશ છે જિંદગીથી. તેમનાં બે દીકરા અને એક દીકરી શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. આ સંસ્કારસંપન્ન, આનંદી, મિલનસાર કુટુંબને મળવું એ ય એક લ્હાવો છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-5716098253476269596?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/5716098253476269596/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_5388.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5716098253476269596'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5716098253476269596'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_5388.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-1117722123105564698</id><published>2009-08-12T17:08:00.000-07:00</published><updated>2009-08-12T17:09:17.015-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;મને પપ્પા કહેવાનું… – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;મારા દીકરાએ બહારગામ સર્વિસ લીધી એવું જાણ્યું એટલે વિનુભાઈ તરત બોલેલા : ‘એકનો એક દીકરો ને દૂર શું કામ મોકલ્યો ?’&lt;br /&gt;‘આ જમાનામાં દૂર શું ને નજીક શું, ઈચ્છા થાય ત્યારે મળાય છે.’&lt;br /&gt;‘દીકરાને જોવાની ઈચ્છા તો રાત-દિવસ રહે, સવારે ઊઠીએ એવું એનું મોં જોઈએ તો દિલને ટાઢક વળે. રાત્રે સાથે બેસીને વાતો કરીએ ને દિવસભરનો થાક ઊતરે. હું તો દીકરાને નજરથી દૂર ના કરી શકું.’ વ્યગ્રતાથી વિનુભાઈ બોલેલા.&lt;br /&gt;મેં દલીલ કરી હતી, ‘પણ ત્યાં સારી તક છે, મોટો પગાર, વિકાસની શક્યતાઓ – પછી આપણો મોહ છોડવો પડે.’&lt;br /&gt;‘એ થોડા પૈસા ખાતર અલગ રહેવાનું ? ઓછું મળે તો ઓછું ખાઈએ પણ સાથે જ રહેવું જોઈએ. પ્રેમ કરતાંય તમારે મન પૈસો વધી ગયો ?’ એમણે પૂછેલું.&lt;/p&gt;                                      &lt;/div&gt;         &lt;p&gt;એમના તીવ્ર વાત્સલ્ય સામે કોઈ ખુલાસા, સમજાવટ ચાલી શકે એમ ન હતાં. એમણે એમની ત્રણે દીકરીઓને પોતાના શહેરમાં જ પરણાવી હતી ને દીકરા હેતલને પોતાની સાથે જ રાખ્યો હતો. એમનો અને હેતલનો ધંધો જુદો હતો, પણ હેતલને કહેતા : ‘બેટા, તું કમાવાની હાયવોય ના કરીશ. તું તારે શાંતિથી જીવ.’ દીકરાને આંખ સામે જુએ ને એમને સંસારનાં સર્વ સુખ સાંપડ્યાં હોય એમ સંતોષ થઈ જતો.&lt;/p&gt; &lt;p&gt;એક દિવસ રોજના ક્રમ પ્રમાણે હેતલ સવારના ઑફિસ જવા ઘરેથી નીકળ્યો. બપોરના સમયે ઘેર ટેલિફોન કર્યો કે, ‘આજે મારે અગત્યનું કામ છે. જમવા નહિ આવી શકું.’&lt;br /&gt;‘તો દીકરા સાંજે વહેલો ઘેર આવી જજે.’ એની મમ્મી ભાનુબહેને કહ્યું.&lt;br /&gt;‘હા. મમ્મી.’ હેતલે કહ્યું. પણ સાંજે એ ઘેર ન આવ્યો. સીધા સમાચાર આવ્યા : ‘હેતલ અકસ્માતમાં અવસાન પામ્યો છે.’ સીધી મોતની જ ખબર. હાથપગ ભાંગ્યા છે કે બેભાન થયો છે ને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે એવા કોઈ સમાચાર નહિ, સીધા મરણના જ ખબર. માત્ર ઘરનાં જ નહિ પણ આડોશીપાડોશી, સગાંસ્નેહી જેણે જેણે સાંભળ્યું એ બધાં સ્તબ્ધ થઈ ગયાં. ઓગણત્રીસ વરસનો ભરજુવાન હેતલ મૃત્યુ પામ્યો. પાંચ વરસ પહેલાં એનાં લગ્ન થયાં હતાં. એની દીકરી લીસા માત્ર દોઢ વરસની હતી. હજી હમણાં તો એ ‘પાપા’ ‘પાપા’ બોલતાં શીખી હતી, ને એના પાપા તો ‘હં બેટા’ કહેવાને બદલે હંમેશને માટે વિદાય થઈ ગયા.&lt;br /&gt;&lt;span id="more-3166"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;ઘરના માથે આભ તૂટી પડ્યું. રોક્કળ, આક્રંદ, વિલાપ, ડૂસકાંથી વાતાવરણ દ્રવી ગયું. સવાર-સાંજ, દિવસ-રાત બધું એમના માટે એકાકાર થઈ ગયું. આ રૂદન કદી અટકશે નહીં. આંસુના આવેગમાં ઘરના આનંદ, ઉલ્લાસ, સમૃદ્ધિ બધું તણાઈ જશે, નષ્ટ થઈ જશે ? પણ ના, વિનુભાઈ સાવ કાચી માટીના બનેલા ન હતા. તત્કાળ દુ:ખથી એ ભાંગી પડ્યા હતા. પણ ધીરે ધીરે આંસુનો આવેગ ઓછો થયો. એમનું ચિત્તતંત્ર વિચારતું થયું. શું હવે આમ રડ્યા જ કરવાનું ? દીકરાના અવસાનના સમાચાર આવ્યા તે દિવસથી ભાનુબહેને પુત્રવધૂ સ્મિતાને પડખામાં લીધી. તેઓ એક ઘડીય એને સૂની મૂકતાં નહિ. પોતાના ગળે અન્નનો કોળિયો ઊતરતો નહિ છતાંય એ સ્મિતાના રૂદનગ્રસ્ત ચહેરાને જોઈને પોતાના હૈયામાં ઊમટી આવતાં આંસુ અંદર જ ભંડારી દઈ, સ્વસ્થતા ધારણ કરીને પ્રેમથી પ્રથમ કોળિયો સ્મિતાના મોંમાં મૂકતાં, ને બીજો કોળિયો પોતાના મોંમાં મૂકતાં. છાતી પર પથ્થર મૂકીને એ લીસાના હાસ્યનો જવાબ હાસ્યથી આપતાં. એની કાલીઘેલી બોલીનો પ્રત્યુત્તર વાળતાં. સ્મિતાનેય બાથમાં લઈ કહેતાં : ‘જનાર તો પાછું વાળીને જોવા નથી આવવાનો, હવે તો એની જવાબદારી આપણે નિભાવવાની છે, દીકરી.’&lt;/p&gt; &lt;p&gt;ભાનુબહેનના મોંએ પુત્રવધૂ માટે દીકરી સંબોધન સાંભળીને વિનુભાઈના મનમાં ઝબકારો થયો. હા, હવે તો સ્મિતા ખરેખર અમારી દીકરી છે. આજ સુધી અમે બોલતાં હતાં, અમારે મન તો દીકરી અને વહુ સરખાં છે, હવે એ સાબિત કરવાનો સમય આવ્યો છે. અમારી ત્રણે દીકરીઓને પરણાવી એમ આ સ્મિતાને પણ પરણાવીએ તો અમે અમારી જવાબદારી નિભાવી કહેવાય. વિનુભાઈની ફરજબુદ્ધિએ એમના અંતરાત્માને ઝકઝોરવા માંડ્યો. એમણે ભાનુબહેનને વાત કરી તો એ બોલ્યાં, ‘સ્મિતા તો આપણને એકલાં મૂકીને બે દિવસ પિયર જતી નથી. એનાં મા-બાપ કેટલી વાર તેડવા આવી ગયાં તો એક જ વાત કહે છે કે મારાં સાસુ-સસરાને મૂકીને મારાથી અવાય જ નહિ. મારા હિસાબે તો એ મન મજબૂત કરતાં થયાં છે. લીસાના હિસાબે સહેજ હળવાશ લાગે છે. અમે બેઉ ના હોઈએ તો તેઓ રડી રડીને મરી જાય.’&lt;br /&gt;‘તારી વાત તો સાચી છે. સ્મિતા આપણો ખ્યાલ કરીને આપણાં દેખતા રડતી નથી. એ છે તો ઘરમાં વસ્તી છે પણ એ જેમ આપણો વિચાર કરે છે એમ આપણે એનો વિચાર નહિ કરવાનો ? આપણી પર વહાલ રાખનાર વહુના જીવનમાં શું કાયમ માટે અંધકાર જ રહેશે ?’&lt;br /&gt;પતિની વાતમાં સંમતિ આપતાં ભાનુબહેન બોલ્યાં : ‘તમારી વાત તદ્દન સાચી છે. એને લગ્ન કરવા આપણે સમજાવવી જોઈએ. પણ એ પહેલાં એનાં મા-બાપને કાને વાત નાખીએ.’&lt;/p&gt; &lt;p&gt;વિનુભાઈએ સ્મિતાનાં માતા-પિતાનાં બોલવ્યાં, ને વાત મૂકી. માતા-પિતા કંઈ બોલે એ પહેલાં સ્મિતા બોલી, ‘આવા કોઈ વિચાર કરશો જ નહિ. હું તો અહીં રહીશ. તમારી સેવા કરીશ.’&lt;br /&gt;‘બેટા, અમે કેટલાં વરસ જીવવાનાં ? પાંચ વરસ, દસ વરસ ? પછી તો તું એકલી જ ને ?’&lt;br /&gt;સ્મિતા બોલી : ‘આ લીસા છે ને ! ત્રણ બહેનો છે.’&lt;br /&gt;‘બેટા, લીસા મોટી થઈને એનું ઘર લઈને બેસશે ને ત્રણ બહેનોને એમનો સંસાર છે. આ ભર્યા જગતમાં તું એકલી પડી જઈશ. લાંબી જિંદગી સાથી વગર ના કપાય, દીકરી.’ અત્યંત ભાવથી વિનુભાઈ બોલ્યા. સ્મિતાની આંખમાં આંસુ ઊભરાયાં. પોતાની જાતને એ આ કુટુંબથી છોડી શકે એમ ન હતી. આ ઘર, એનું આ ઘર, એના સુખદ દાંપત્યની સ્મૃતિઓથી ઊભરાતા આ ઘરને કેમ કરીને છોડાય ? હજુય જાગતાં અને ઊંઘતાં હેતલ નજર સમક્ષ દેખાય છે, એનો અવાજ કાનમાં સંભળાય છે. એનો સ્પર્શ અનુભવાય છે ત્યાં બીજા કોઈ પુરુષની કલ્પનાય કેવી રીતે કરાય ? ના, હેતલના સ્થાને એ બીજા કોઈને સાંખી ના શકે. હેતલ પાસેથી એ એટલો બધો પ્રેમ પામી છે કે એટલી મૂડી પર જિંદગી આખી પસાર થઈ શકશે.&lt;/p&gt; &lt;p&gt;હાલ ને હાલ બહુ આગ્રહ કરવો ઉચિત નથી એમ માનીને વિનુભાઈએ વાત લંબાવી નહિ. પણ મનમાં જે નિર્ણય લીધો હતો એને અનુરૂપ પગલાં લેવાં માંડ્યાં. સ્મિતાને કોઈ ને કોઈ કારણસર બહાર મોકલવા માંડ્યા. સાંજના સંગીત કલાસ જોઈન કરાવડાવ્યા, સ્મિતા ગ્રેજ્યુએટ તો હતી જ, એને વાંચવું ગમતું હતું, તેથી નાના સર્ટિફિકેટ કોર્સ કરાવડાવ્યા ને પોતાની લાગવગ લગાડીને એક ઑફિસમાં નોકરી અપાવી દીધી. સ્મિતા એ જ ખ્યાલમાં હતી કે સસરા એને સ્વાવલંબી બનાવવા માગે છે, અને જતે દિવસે સસરા ઘરડા થાય, નિવૃત્ત થાય ત્યારે ઘરમાં કોઈ કમાનાર તો જોઈએ જ ને, તો જ વ્યવસ્થિત જીવી શકાય, માટે મારે કમાવું અતિ આવશ્યક છે. આમ વિચારીને એણે પોતાનું બધું ધ્યાન સર્વિસ પર કેન્દ્રિત કર્યું. હવે એને લાગણીમાં તણાવાનો વખત રહેતો નહિ. રોજ ઘરની બહાર જવાનું, બહારના લોકોની સાથે હળવા-મળવાનું. બહારની હવાએ એને તદ્દન નોર્મલ બનાવી. હવે હેતલની યાદ આવે છે તોય હૈયું ભરાઈ નથી આવતું. હાથપગ કામ કરતા અટકી નથી જતા. એના મોં પર પહેલાંનું સ્મિત રમતું થયું. એને બધી વાતોમાં પુન: રસ પડવા માંડ્યો.&lt;/p&gt; &lt;p&gt;વિનુભાઈ આવા સમયની રાહ જોઈને બેઠા હતા. ફરી એક વાર એમણે એ લગ્નની વાત ઉચ્ચારી. સ્મિતાની આંખો ભીંજાઈ પણ એ પહેલાંની જેમ સાફ ઈન્કાર ના કરી શકી. એ નીચું જોઈને મૂંગી રહી. એકાદબે વરસના અનુભવે એને વાસ્તવિક્તાની ધરતી પર લાવી મૂકી હતી. જુવાન સ્ત્રીએ એકલાં જિંદગી કાઢવી એ દુષ્કર છે એ સમજાવા માંડ્યું હતું. વિનુભાઈ જાતે મુરતિયો શોધી લાવ્યા. પીયૂષ એનું નામ, કોઈ ગામમાં શિક્ષક હતો. વિનુભાઈએ તપાસ કરાવી તો પીયૂષમાં કોઈ વ્યસન, એબ કે દૂષણ ન હતાં. સ્મિતાનાં સાદાઈથી લગ્ન કરાવ્યાં. બધો કરિયાવર આપ્યો, દરદાગીના આપ્યાં ને વિનુભાઈ બોલ્યાં : ‘સ્મિતા, તું નવું ઘર વસાવે છે. આજથી તારી પાછળ નવું નામ અને અટક લખાશે. પણ આપણો સંબંધ પૂરો નથી થતો. અમે તારાં મા-બાપ છીએ ને બીજી ત્રણ બહેનો જેટલો જ તારો આ ઘર પર હક છે.’&lt;/p&gt; &lt;p&gt;પીયૂષ વિનુભાઈ, ભાનુબહેન તથા ત્રણે બહેનોના ભાવ જોઈને સાનંદ સંકોચ પામી ગયો. આટલી બધી ઉદારતા ? આવા લાગણીશીલ વડીલને હું શું કહીને બોલાવું ? પીયૂષે ધીમેથી આ સવાલ પૂછ્યો ને હાજર રહેલાં સૌનાં હૈયામાં રૂદનના ધોધ ઊમટ્યા. ઓહ, આ સ્મિતાનો વર છે, પણ અમારો દીકરો નથી. સ્મિતા આજસુધી અમારી પુત્રવધૂ, હેતલની પત્ની હતી પણ હવે ? હવે એ મારી પુત્રવધૂ મટી જાય છે. સમાજની દષ્ટિએ અમારી એ કંઈ નથી પણ અમારા હૈયામાં તો એ પ્રેમાળ દીકરી કરતાંય અદકેરું સ્થાન પામી છે. એ સંબંધે પીયૂષ, પીયૂષ અમને શું કહીને બોલાવે ? હૃદયમાં ફરી જાણે બધું નષ્ટભ્રષ્ટ થવા માંડ્યું. ફરી એ આઘાત થયો…. વિનુભાઈને એક વાર તો થયું કે ‘કોઈ સંબોધન ના કરીશ. પીયૂષ, તું અમારે ઘરે ન આવીશ. તું આવીશ ને મને મારા હેતલની યાદ આવશે. મેં મારી ફરજ બજાવી, હવે મારી પાસેથી કંઈ વધારે અપેક્ષા ના રાખીશ.’ વિનુભાઈ આમ ગડમથલમાં છે ત્યાં ભાનુબહેન બોલ્યાં :&lt;br /&gt;‘એમને પપ્પા કહેવાનું, એ તમારા પપ્પા જ થાય.’&lt;br /&gt;વિનુભાઈ પત્નીનો જવાબ સાંભળીને આભા બની ગયા. ઓહ, ભાનુ તેં મને સાચવી લીધો. છેલ્લી કસોટીમાં હું નાપાસ થાત પણ તેં મને બચાવી લીધો. ધન્ય છે તારાં સંયમ, ધૈર્ય અને ઉદારતાને ! તું સાચા અર્થમાં મા બની. સુધારક બની.&lt;/p&gt; &lt;p&gt;વિનુભાઈ બોલ્યા, ‘હા, તમારી મમ્મી સાચું જ કહે છે, મને પપ્પા કહેવાનું.’ આટલું કહીને એ પીયૂષને ભેટી પડ્યા.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-1117722123105564698?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/1117722123105564698/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8451.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1117722123105564698'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/1117722123105564698'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_8451.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-4900534604174575270</id><published>2009-08-12T17:05:00.001-07:00</published><updated>2009-08-12T17:05:43.914-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h1&gt;શૂન્યમાંથી સર્જન કરનાર એક કર્મયોગી – અવંતિકા ગુણવંત&lt;/h1&gt;                               &lt;div class="postauthor"&gt;                            &lt;p&gt;શહેરની સગવડ-સુવિધાભરી અમનચમનની નિશ્ચિત જિંદગી નજર સામે તૈયાર દેખાતી હોય ત્યારે એ રાજપાટ છોડી અગવડો, તકલીફો અને મુશ્કેલીઓભરી ગામડાની જિંદગીને સ્વેચ્છાએ વરનારને જ્યારે હું જોઉં છું ત્યારે નવાઈ પામી જાઉં છું; ને એ અગવડો-તકલીફો શું કામ વેઠવાની, પોતાના માટે ? ના, પોતાના માટે નહિ, પરંતુ પરાયા માટે. સાવ પરાયા માટે, અજાણ્યા માટે. પોતાના અંગત સ્વાર્થ વિસરીને પારકાના હિત માટે પોતાની સરળ, સુખચેનભરી જિંદગી છોડીને સંઘર્ષભર્યા રાહે ચાલનારને જોઉં છું ત્યારે મારું મસ્તક આદરથી ઝૂકી જાય છે. આવા માર્ગે ચાલવું કઠિન છે. ખૂબ કઠિન, પણ અસંભવ તો નથી જ. નહિ તો ખેડા જિલ્લાના દેથલી ગામના પાદરે પ્રાચીન ઋષિ-મુનિઓના ગુરુકુળ જેવી વિશાળ શિક્ષણસંસ્થા પાંગરી ના હોત. આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, તપોવન છાત્રાલય, ઉત્તર બુનિયાદી છાત્રાલય, ગાંધીઘર વિભાગ. આ બધું માત્ર એક જ માનવી શ્રી પરસદરાય શાસ્ત્રીનું સાકાર થયેલું જીવનસ્વપ્ન છે. જીવનભર શ્રદ્ધા અને નિષ્ઠાથી પુરુષાર્થ કર્યો, તપશ્ચર્યા કરી તો સંકલ્પ ફળ્યો.&lt;br /&gt;&lt;span id="more-3243"&gt;&lt;/span&gt;&lt;/p&gt;                                      &lt;/div&gt;          &lt;p&gt;કોણ છે આ પરસદરાય શાસ્ત્રી ? પિતા શ્રી દિનમણિશંકર શાસ્ત્રી. માતા ચંચળબા અને મૂળગામ દેવાતાજ. પણ જન્મ વાસદમાં, 1927માં. ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક બન્યા અને ગાંધીજીએ કહ્યું, લોકજાગૃતિ માટે, ઉપેક્ષિત માનવી શિક્ષણ પામે માટે છેવાડાના ગામડામાં જાઓ. અને પરસદરાયે એમના આરાધ્યદેવ ગાંધીજીના આદેશ અનુસાર જ્યાં વીજળી નહિ, પાણી નહીં, ગામને જોડતો પાકો રસ્તો નહીં, મુખ્યત્વે શરાબ અને ગુનામાં રાચતા બારૈયાની વસ્તી ધરાવતું દેથલી ગામ પસંદ કર્યું. ત્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું. તેથી વહેમ, વ્યસન, કલેશ, કુસંપ, કુરિવાજ વધારે. 1952માં ખભે બગલથેલો, એમાં બે જોડ કપડાં. થોડાં પુસ્તકો ને એક બિસ્તરો લઈને પરસદરાયે દેથલીમાં પ્રવેશ કર્યો ને ગામના નારાયણદેવના મંદિરે મુકામ કર્યો. આરંભકાળના થોડો સમય મગનભાઈ પટેલ એમની સાથે હતા. પણ પછી તો આ એકલવીર એકલા. ગામલોકો અચરજભરી નજરે આ સુઘડ, સંસ્કારી, ભાવનાશીલ યુવકોને જોઈ રહ્યા. તેઓ સાંજે બાળકોને એકઠા કરીને પ્રાર્થના કરાવે, ભજનો ને રાષ્ટ્રગીતો ગવડાવે, સુભાષિતો શિખવાડે, જીવનઘડતરની વાતો કરે.&lt;/p&gt; &lt;p&gt;બાળકોને રસ પડવા માંડ્યો ને બાળકો રાત ત્યાં રોકાવા લાગ્યા. સવારે વહેલા ઊઠવાનું, વ્યાયામ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, પ્રભાતફેરીમાં જવાનું, કાંતવાનું, બાળકોને ગમવા માંડ્યું. સાથે સાથે ગામની સફાઈ શરૂ કરી. બ્રાહ્મણનો દીકરો ઝાડુ લઈને ભંગીનું કામ કરે ! ગામલોકોને આંચકો લાગ્યો. પણ અસ્પૃશ્યતાના નિવારણ માટે એ જરૂરી હતું ને મક્કમ મનના શાસ્ત્રીજીએ નીડરતાથી પોતાના વિચારો આચરણમાં મૂક્યા માંડ્યા. ગામલોકોને એકઠા કરીને રામકથા વાંચતા. કથા વાંચતાં વાંચતાં તેઓ માણસે ક્યા ગુણો વિકસાવવા જોઈએ એની વાત કરે. સચ્ચાઈ, પ્રામાણિકતા ને ‘સર્વમાનવ સમાન છે’ ની વાતો કરતા. લોકો રસ ને આદરથી સાંભળતા. માત્ર બાળકો નહિ, એમનાં માતાપિતા, સમગ્ર સમાજને કેળવવાનો હેતુ હતો. કામ કપરું હતું. શરૂઆતમાં કેટલાક લોકો શંકાની નજરે જોતા ને માર્ગમાં વિધ્નો નાખતા પણ શાસ્ત્રીજી કાયર ન હતા. કાચી માટીના ન હતા. તેમણે ધીરજ અને ખંતથી પરિશ્રમ જારી રાખ્યો. સમજુ અને વિકાસપ્રિય ગામલોકોનો સહકાર મળતો ગયો અને ગામની સિકલ બદલાઈ ગઈ. તેમણે ગામમાં ઘર ભાડે રાખ્યું ને સંસાર શરૂ કર્યો.&lt;/p&gt; &lt;p&gt;‘આપના માતાપિતાએ આવા અંતરિયાળ ગામડામાં જઈને વસવાની, ત્યાંની ધૂળમાટીમાં દાટવાની અનુમતિ આપેલી ?’&lt;br /&gt;શાસ્ત્રીજી હસ્યા. કહે : ‘મારા પિતા પણ આ જ માર્ગે હતા. તેઓ ગુજરાત કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા. શેરબજારની ધીકતી આવક હતી. અમદાવાદમાં મોજથી જીવતા હતા. પણ કોચરબ આશ્રમમાંથી ગાંધીજીએ દેશપ્રેમની એવી હવા ફેલાવી કે 1920માં તેઓએ અમદાવાદ છોડ્યું ને વાસદમાં રાષ્ટ્રીય વિનય મંદિરના સંચાલન અને આચાર્યપદની જવાબદારી લીધી. ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાતી નહિ પણ વિદ્યાર્થીઓ રોજ બે કલાક કાંતણપીંજણનો ઉદ્યોગ કરે ને જે આવક થાય એમાંથી શાળા-શિક્ષકોનો ખર્ચ નીકળતો.&lt;br /&gt;‘નમક સત્યાગ્રહ વખતે લોકમાનસ તૈયાર કરવાની કામગીરી જે સ્વયંસેવકોને સોંપી હતી તેમાં પિતાજી પણ હતા. ચંચળબા સ્વયંસેવકો માટે રસોડું ચલાવતાં.’ આમ, ત્યાગ ને સ્વાર્પણ, સ્વાશ્રય ને દેશદાઝના સંસ્કાર ગળથૂથીમાં જ મળેલા છે. એમના પિતા કહેતા, ‘મુશ્કેલીઓ ગમે એટલી આવે પણ પાછાં પગલાં નહિ ભરવાનાં.’&lt;/p&gt; &lt;p&gt;હું વિચારમાં પડી ગઈ. શાસ્ત્રીજીની વાત હજી હમણાંની છે. પાંચેક દસકા પહેલાંની. પણ જાણે સતયુગની વાત હોય એટલી પ્રાચીન-પુરાણી લાગે છે. આપણાં જીવનમૂલ્યો, જીવનદષ્ટિ કેટલી ઝડપથી બદલાવા માંડ્યાં છે ! ભૌતિકવાદનો આ જમાનો છે. આજે સૌ માબાપો પોતાનાં સંતાનો શું ભણે તો સંપત્તિ-પ્રતિષ્ઠા પામે, કઈ જૉબ લે તો અઢળક કમાણી કરે એની જ ગણતરી કર્યાં કરે છે. આપણે આપણી પ્રગતિની જ ચિંતા કરીએ છીએ. મેં શાસ્ત્રીજીને કહ્યું, ‘આપની મુશ્કેલીઓની વિગતે વાત કરો ને’&lt;br /&gt;પણ મુશ્કેલીઓને મુશ્કેલીઓ જ ના ગણતા હોય એ એની વાત શું કરે ! હિંમત હારવાનું એમના લોહીમાં નથી. શાળા અને છાત્રાલય, પુસ્તકાલયનાં મકાનો ઊભાં કરવાં, ક્યા ક્યા પ્રયત્ન નહિ કર્યા હોય ! ક્યાંક સારો અનુભવ થયો હશે, ક્યાંક માઠો. વિદ્યાર્થીઓને સ્વાવલંબનનું શિક્ષણ આપવા, ગ્રામ્ય વિસ્તારના છોકરાઓને ખેતીનું અને પશુપાલનનું શિક્ષણ આપવા જમીન જોઈએ, ખેતીવાડીનાં સાધનો જોઈએ. દાતાઓ અને ગામલોકો પાસેથી ધીમે ધીમે જમીન મેળવી. છાત્રોને જરૂરી અનાજ એ ખેતરોમાં પાકે છે, એક ગૌશાળા પણ છે. ફળોનાં વૃક્ષો છે. બધી માવજત શિક્ષકો ને વિદ્યાર્થીઓ સાથે મળીને કરે છે. કઠિન સેવાવ્રતમાં હરેક પગલે એમને સાથ આપનાર એમનાં પત્ની વિદ્યાબહેનને આશ્રમશાળાના જીવનની તકલીફો વિશે પૂછ્યું, તો મધુર હસીને કહે, ‘આ જીવન પસંદ કરતાં પહેલાં ખબર જ હતી કે આ જીવન સરળ નથી. પછી ફરિયાદ શું હોય ?’&lt;/p&gt; &lt;p&gt;વાત સાચી છે, સેવાધર્મના માર્ગે ચાલતાં અનેક આંતર-બાહ્ય કસોટીમાંથી પસાર થવું પડે છે. તોય ક્યારેક એકદમ ઉચાટ થઈ જાય. ગભરાઈ જવાય.&lt;br /&gt;‘મારો દીકરો અશોક માંદો પડ્યો ત્યારે ખોઈમાં નાખીને માઈલો ચાલી ડૉક્ટરના ત્યાં જવું પડેલું. ત્યારે જીવ અદ્ધર થઈ ગયેલો. પણ આવું જીવન કેમ પસંદ કર્યું એવો અફસોસ નહોતો થયો. અન્ય ગામલોકો પણ આવું કષ્ટ ભોગવતા હતા ને !’&lt;br /&gt;કેવું કરુણાભર્યું હૈયું. છાત્રાલયમાં રહેતા વણજારા અને આદિવાસી બાળકો માંદાં થાય ત્યારે શાસ્ત્રી દંપતી માબાપના હેતથી ચાકરી કરે. દવાખાને લઈ જાય. ખેતરાઉ જમીન. ક્યારેક સાપ, વીંછી કરડે ત્યારે કેવી દોડાદોડ કરવી પડતી હશે, એ બધાંની તો કલ્પના કરવાની રહે. નટુભાઈ વાટલિયા કહે, ‘સ્વચ્છતા અને સુઘડતાના કેટલાય પાઠ અમને વિદ્યાબહેને જ શીખવ્યા છે.’&lt;/p&gt; &lt;p&gt;ત્યાં એક નાની બાળા મલકાતી, શરમાતી મારી પાસે આવી. પૂછે, ‘હું તમને કાગળ લખું તો મને જવાબ આપશો ?’ મેં હા કહી. તો કહે, ‘સરનામું લખાવશો ?’ એટલા વિનયથી એ પૂછે ! મને થયું, ક્યાંથી આવ્યો આ વિવેક, રીતભાત. મારા જેવી અપરિચિતાને પત્ર લખવાનો રસ, ઉમંગ ! એણે મારું નામ અને સરનામું લખ્યું, એકદમ વ્યવસ્થિત, ચોખ્ખા અક્ષરે. સાચી જોડણી ! ત્યાંના બાળકો સાથે વાતો કરી ઈતિહાસ, ભૂગોળ ને સામાન્ય જ્ઞાનમાં, ક્યાંય પાછાં ના પડે. વાચનનો શોખ બધામાં કેળવાયો છે. આખું પરિસર ચોખ્ખું. મકાનો, ઓરડાઓ, આંગણા, ક્યાંય કચરો નહિ. વાસણો ચકચકિત. રસોઈઘરમાં પણ પૂરી સ્વચ્છતા.&lt;br /&gt;‘કોણ કરે છે આ બધાં કામો ?’&lt;br /&gt;‘અમે ટુકડીઓ પાડી છે, કામ વહેંચી નાખ્યાં છે.’&lt;br /&gt;‘કામ કરવું ગમે છે ?’ એક બાળકને મેં પૂછ્યું.&lt;br /&gt;‘હા, મઝા આવે છે.’&lt;br /&gt;દરેક કામમાં રસ પડે, એની ઉપયોગિતા સમજાય, કોઈ કામ કરતાં શરમ ના આવે, કંટાળો ના આવે એ કેટલી આવશ્યક તાલીમ છે. બાળકોને લખતાં-વાંચતાં આવડે એટલું જ પર્યાપ્ત નથી, એમનાં હૃદય, મન, આત્મા સંસ્કારી બને, ઉદાર બને, વિકાસ પામે એ જ સર્વાંગી કેળવણી. આ માટે શાસ્ત્રીજી પ્રવાસ અને પદયાત્રા યોજે છે. રાષ્ટ્રીય તહેવારોની સાથે સાથે રામનવમી, ગુરુપૂર્ણિમા, ગીતાજયંતી, જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે ને ભારતીય સંસ્કારનું સિંચન કરાય છે.&lt;/p&gt; &lt;p&gt;આજે શાસ્ત્રીજીના વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાયા છે. એમના જ વિદ્યાર્થી નટુભાઈ સંસ્થાનો કાર્યભાર સંભાળે છે. 1985થી શાસ્ત્રીજી નિવૃત્ત થયા છે. જોકે એના સંચાલન સાથે જોડાયેલા છે. શાસ્ત્રીજીના પ્રયત્ને દેથલી ગામ સાચા અર્થમાં દેવસ્થલી થયું છે. માત્ર દેથલી ગામ નહિ પણ આજુબાજુનાં બીજાં ગામોની ઉન્નતિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ ગીતાના ઉપાસક છે, પ્રવૃત્તિ કરે છે પણ અનાસક્તભાવે. કોઈ નોંધ લે, માન-સન્માન આપે, ઍવોર્ડ આપે એવી કોઈ ખેવના નથી. એમના હૈયે એક જ લગન છે, સર્વોદયની. એટલા માટે સમિતિ ને કેન્દ્રો સંભાળે છે. ગાંધીમેળા અને સર્વોદયમેળાનું આયોજન કરે છે.&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-4900534604174575270?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/4900534604174575270/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_6346.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/4900534604174575270'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/4900534604174575270'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_6346.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-3718351565232780346</id><published>2009-08-12T17:01:00.000-07:00</published><updated>2009-08-12T17:18:53.025-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;p&gt;&lt;span style="color: rgb(128, 0, 128);font-size:180%;" &gt;&lt;strong&gt;એ જિંદગી જીવવાની કલા જાણે છે&lt;br /&gt;&lt;/strong&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;&lt;p&gt;ઋષભ મુંબઈથી કન્યાની પસંદગી માટે એના ગામ આવ્યો. મામી બોલ્યાં : ‘શહેરની એકે છોકરી નજરમાં ન આવી તો છેક અહીં છેવાડાના ગામમાં આવ્યા ? અહીંની છોકરી તમને નજરમાં ય નહીં આવે. અહીંની છોકરીને ટાપટીપ બહુ ન આવડે, પટ પટ બોલતા ન આવડે, થોડી શરમાળે હોય. તમે તો મોટા સર્જન ડૉક્ટર. કેવો તમારો ફલેટ, ત્યાં અહીંની ઊછરેલી શોભતી હોય ?’&lt;br /&gt;મામા બોલ્યા : ‘બહેન કહેતાં હતાં કે કેવી કેવી ડૉક્ટર છોકરીઓ આવે છે, ઋષભ જેટલું જ ભણેલી, કમાતી ને વળી રુઆબદાર, રૂપાળી પરંતુ ઋષભ કહે છે ઘરમાં હું એક ડૉક્ટર છું તો બસ છે. મારે ડૉક્ટર નહીં કલાકાર છોકરી જોઈએ છે.&lt;/p&gt; &lt;p&gt;બનેવી કહેતા હતા કે, ‘આવું સાંભળ્યું ને કલાકાર છોકરીઓની લાઈન લાગી ગઈ. કોઈને ગાતાં આવડે, કોઈને નાચતાં તો કોઈને ચીતરતાં. એ બધીઓનાં નામનાં સિક્કા પડે, છાપામાં ફોટા આવે, પણ ભાઈસાહેબને એકે પસંદ ન પડે. કહે છે મારે તો જેનો આત્મા કલાકારનો હોય, જેનાં રૂંવેરૂંવેથી સૌમ્યતા ને શીતળતા પ્રગટતી હોય એવી જીવનસાથી જોઈએ. એ છોકરી જીવન જીવવાની કલા જાણતી હોવી જોઈએ.’ મામાએ એમનું કહેવાનું પૂરું કર્યું એટલે મામી બોલ્યાં : ‘જુઓ ભાઈ, આ મયૂરી તમને પસંદ પડે તો એના તો ભાગ્ય જ ખૂલી જશે. છોકરી ખોટી નથી.’&lt;br /&gt;&lt;span id="more-3571"&gt;&lt;/span&gt;&lt;/p&gt; &lt;p&gt;ઋષભ મામા-મામી સાથે મયૂરીના ઘરે પહોંચ્યો. આંગણામાં પગ મૂક્યો ને એને ઘર ગમી ગયું. નાનું એક માળનું એ ઘર હતું. એ હતું એના કરતાં ય નીચું દેખાતું હતું, કારણ કે પ્લીન્થ ઊંચી ન હતી ને છત સાવ નીચી હતી. ચારેબાજુ ફૂલછોડના ક્યારાઓ હતા. વાતાવરણમાં મધુરતા અને તાજગીનો અહેસાસ થતો હતો. ઘરમાં મયૂરીનાં દાદા, દાદી, મમ્મી, પપ્પા તથા એક કુંવારા ફોઈ હતાં. આગલી રૂમમાં જ ત્રણેક કબાટો હતાં જેમાં પુસ્તકો જ પુસ્તકો હતાં. ભીંતો પર પેઈન્ટિંગો હતાં. ઋષભ મયૂરીને એકાંતમાં મળ્યો ત્યારે બોલ્યો : ‘તમારા ઘરનું વાતાવરણ કેવું અલગ છે ! એકદમ શાંત છતાંય ભર્યું ભર્યું અને જીવંત.’&lt;br /&gt;‘તમને ગમ્યું ?’ મયૂરીએ પ્રેમાળ સ્નિગ્ધ કંઠે પૂછ્યું.&lt;br /&gt;‘હા’ ઋષભ બોલ્યો. વાતનો દોર સાધતાં મયૂરીએ પૂછ્યું, ‘અને બીજું શું શું ગમ્યું ?’ ઋષભ મયૂરીના વાકચાતુર્યં અને સાહજિક સરળ વર્તનથી પ્રસન્ન થઈ ગયો. કેવી સ્વાભાવિકતાથી નિ:સંકોચ છતાં પૂરા વિવેકથી મયૂરી વાત કરે છે. એ હસી પડ્યો ને નિખાલસતાથી બોલ્યો, ‘મને તમે ગમ્યાં અને આ સવાલ હું તમને પૂછી શકું ને ? તમને હું ગમ્યો ?’&lt;/p&gt; &lt;p&gt;ઋષભના સવાલનો જવાબ આપવાના બદલે મયૂરી બોલી, ‘તમે મારી સાથે કોઈ લાંબી વાત ન કરી, પ્રશ્નો પૂછી પૂછીને મારો તાગ મેળવવા મથ્યા નહીં ને સીધો નિર્ણય લઈ લીધો અને તમારા ઘરનાં સાથે ચર્ચાવિચારણા કર્યા વિના પ્રગટ કરી દીધો !’&lt;br /&gt;‘તમને કોઈ પ્રશ્નો પૂછવાની જરૂરત જ ક્યાં છે ? તમારો પરિચય તો તમને જોતાંવેંત મળી જાય છે. તમારો આ હાસ્યમંડિત ચહેરો, તમારી આંખોના મૃદુ ભાવ, તમારી વેશભૂષા, તમારું બોલવું, ચાલવું, આ અવાજ. મેં કલ્પના કરી હતી એના કરતાંય તમે વધારે સુંદર છો, મનમોહક છો. મારે ઘરમાં કોઈને પૂછવાની જરૂર નથી, કોઈનો અભિપ્રાય જાણવાની જરૂર નથી. મમ્મીપપ્પાએ બધું મારી પર છોડ્યું છે. મારા હૃદયે મને મંજૂરી આપી દીધી છે.’ મયૂરી ઋષભની નિર્દંભ ભાવુકતા પર વારી ગઈ. એણે ઋષભને એવું ય ન પૂછ્યું કે તમારા આ ભાવ જિંદગીભર રહેશે ને ? મયૂરી બુદ્ધિશાળી છે પણ શંકાશીલ નથી. લાગણી અને તર્કનું સમતોલન સાચવીને એ જીવનારી છે. ક્યાં હૃદયનું અને ક્યાં બુદ્ધિનું કેટલું સાંભળવું એ જાણે છે. લાંબી ચર્ચા કર્યા વિના બેઉએ એકબીજાને સમસ્ત હૃદયથી પસંદ કરી લીધાં.&lt;/p&gt; &lt;p&gt;મયૂરી બોલી, ‘મારા દાદાજી કાયમ કહે છે તમારા માટે જે પાત્ર નિર્માણ થયું હોય એને વ્યવહારિક બુદ્ધિથી મૂલવવાની કે ટકોરા મારીને એની ખાતરી કરવાની કોઈ જરૂરત નથી. તમે જુઓ ને એ પાત્રને ઓળખી જશો, હ્રદય જ પોકારી પોકારીને તમને આ વાત કહેશે, માત્ર એ સાંભળવા માટે તમારા કાન સરવા જોઈએ. તમારું ચિત્ત શાંત, કોલાહલશૂન્ય જોઈએ.’&lt;/p&gt; &lt;p&gt;આવો જ કિસ્સો છે વાસવી અને મોહિતનો. અમેરિકા સેટલ થયેલો ઍન્જિનિયર મોહિત ઈન્ડિયા પરણવા આવ્યો ત્યારે એનાં માબાપે ઍન્જિનિયર, ફાર્માસીસ્ટ અને ડૉક્ટર છોકરીઓ જોઈ રાખી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં વસી શકે એવી પાવરફૂલ અને બહિર્મુખી એ છોકરીઓ હતી. આજકાલ પરદેશથી આવનાર છોકરાઓ કે છોકરીઓ આવા ડિગ્રીધારી જીવનસાથીને પસંદ કરે છે. આવાં પાત્રોની પસંદગીમાં ભૌતિક લાભની ગણતરી હોય છે. પસંદ કરેલું પાત્ર મબલખ કમાશે એવી ધારણા હોય છે. પરંતુ મોહિતે ટૅકનિકલ ભણેલી નહીં પણ સાયકૉલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલી વાસવીને પસંદ કરી. અમદાવાદમાં ઊછરેલી ને ગુજરાતી માધ્યમમાં ભણેલી વાસવીને ફટાફટ અંગ્રેજી બોલતાં ય નહોતું આવડ્યું. એ બુદ્ધિમતી હતી પણ સંકોચશીલ હતી. તો શું જોયું મોહિતે વાસવીમાં ? મોહિતને તો એક પ્રેમાળ ઉષ્માભરી પત્ની જોઈતી હતી, જેનો હેતભર્યો સંગ અને કાળજી એને રોજેરોજ મળી રહે. મોહિત કહે છે સગાં, સ્વજનો, મિત્રો અને આપણા દેશથી દૂર રહેનાર મારા જેવા માટે તો પત્ની જ બધાંની ખોટ પૂરી કરનાર હોવી જોઈએ. એની પાસેથી ભરપૂર પ્રેમ મળે, પછી મારી કોઈ વિશેષ માગ નથી. હા, વાસવીને ઈચ્છા હશે તો એ આગળ ભણશે, કમાશે. એના વિકાસ માટે એને જે યોગ્ય લાગે તે કરશે, બધામાં મારો ટેકો હશે. બસ, મારે તો એક એવી જીવનસાથી જોઈએ છે, જેની સાથે હું તાદાત્મ્ય અનુભવું ને અમારા બેઉનાં જીવન ભર્યાં ભર્યાં થાય.&lt;/p&gt; &lt;p&gt;હજી આજેય ઘણાં યુવાનોને પરંપરાગત શાંત જિંદગી ગમે છે. એમને પૈસાની કમાણી કરતાં ય ભર્યા ભર્યા ગૃહસ્થજીવનનો મોહ હોય છે. પુરુષની જેમ જ સ્ત્રી જીવનસાથી કમાય ને બેઉ જણ ભેગાં થઈને ધન એકઠું કર્યા કરે એવી કોઈ લાલસા એમને નથી હોતી. એમના જીવનમાં પૈસા સિવાય પ્રેમની વધારે મહત્તા હોય છે.&lt;/p&gt; હા, સ્ત્રી બહાર નીકળે. બહારની દુનિયાના પડકારો ઝીલીને પોતાનું દૈવત બતાવી દે એ ગમે છે. એમાં તેઓ પૂરો સહકાર આપે છે. સાથે સાથે સ્ત્રી એનું પોતાનું નાજુક કોમળ પ્રેમાળ હૃદય પણ સાચવે, ઘરમાં એની હૂંફ વર્તાય એવું પણ ઈચ્છે છે. આમ સ્ત્રી પાસે ઘણી અપેક્ષાઓ રખાય છે. એને દરેક કાર્યમાં સહયોગ આપવા પુરુષ તૈયાર રહે છે. એ તંદુરસ્ત સમાજ માટે બહુ સરસ એંધાણ છે. આવી દષ્ટિ રહેશે તો જ કુટુંબો પ્રફુલ્લિત રહેશે.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-3718351565232780346?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/3718351565232780346/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7565.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3718351565232780346'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/3718351565232780346'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_7565.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-5548558546914911312</id><published>2009-08-12T16:40:00.001-07:00</published><updated>2009-08-12T16:40:40.828-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h2&gt;&lt;a href="http://www.readgujarati.com/sahitya/?p=1534" rel="bookmark" title="Permanent Link: સુખના ખજાનાની ચાવી – અવંતિકા ગુણવંત"&gt;સુખના ખજાનાની ચાવી – અવંતિકા ગુણવંત&lt;/a&gt;&lt;/h2&gt;&lt;br /&gt;         &lt;p&gt;‘લગ્ન પછી તમે ક્યાં ફરવા જવાના છો ?’ અર્ચનાને એની બહેનપણી રીનાએ પૂછ્યું.&lt;br /&gt;‘અરે ભાઈ મારો વર તો બહુ રોમેન્ટિક છે. એણે એ વિશે તો મને જરાય ખબર જ નથી પડવા દીધી. હનીમૂનનો ‘હ’ પણ એણે ઉચ્ચાર્યો નથી. એ મને સરપ્રાઈઝ આપવા માગતો હશે તો મારે શું કામ પૂછવું પડે ?’ મલકાતાં મલકાતાં અર્ચનાએ કહ્યું.&lt;br /&gt;‘પણ તને જાણવાની ઈંતેજારી નથી થતી ? એણે તને કોઈક ક્લ્યૂ તો આપી હશે ને !’&lt;br /&gt;‘ના ભાઈ ના, એણે તો મને એવું ય નથી પૂછ્યું કે તને પહાડ ગમે કે સમંદર. અને હું ય અંધારામાં જ રહેવા માગું છું. બધું પહેલેથી ખબર પડી જાય તો પછી વિસ્મય જ ના રહે, રોમાંચ જ ના અનુભવાય. એ જ્યાં લઈ જશે ત્યાં એનો હાથ પકડીને આપણે તો જવાનું છે. મેં તો હું ફોટો પડાવતાં કેવો પોઝ આપીશ, કેવી સ્ટાઈલો મારીશ એ નક્કી કરી રાખ્યું છે.’ ઉત્સાહથી છલકાતાં અર્ચના બોલી.&lt;/p&gt; &lt;p&gt;વિવાહ થયા પછી વર અને મોજમસ્તી સિવાય બીજી કોઈ વાત અર્ચનાના મોંએ ન હતી. દાગીના કપડાં ય ગૌણ થઈ ગયાં હતાં. એની બહેનપણીઓ દાગીના કપડાં વિશે પૂછતી તો એ કહેતી : ‘દાગીના કપડાં તો આખી જિંદગી કરાવવાનાં જ છે ને ! દાગીના કપડાંની શું નવાઈ ? એ તો અત્યારેય પહેરું જ છું ને ! આપણને તો બસ ફરવા જવામાં રસ છે. એકાંત પહાડીઓ, પગદંડી વગરનાં જંગલો અને સૂના સમુદ્રકિનારે હાથમાં હાથ પરોવીને બસ ફર્યા જ કરીશું. ગાલને ગાલ અડાડીને ગીતો ગાઈશું, વાતો કરીશું. બસ, હું ને મારો વર…’ અર્ચના સ્વપ્નમાં રાચતી હતી.&lt;/p&gt; &lt;p&gt;અર્ચનાનું સાસરું ખૂબ પૈસાદાર હતું. ત્રણ દિવસ સુધી લગ્નનો ઉત્સવ ઊજવાયો. લાખો રૂપિયા ખર્ચાયા. સગાંવહાલાં ને સ્નેહીજનોના આનંદ-ઉત્સાહનો કોઈ પાર ન હતો. દરેકે મન મૂકીને પ્રસંગ માણ્યો. અર્ચના વિચારતી, અહીં તો પૈસાની કોઈ ગણતરી જ નથી કરતું. પૈસા ઉડાવે જ જાય છે. લગ્નમાં આટલી ધામધૂમ છે તો પછી અમારે ફરવા જવાનો પ્રોગ્રામ તો કેવોય ધમાકેદાર હશે ! દૂર દૂર આફ્રિકાનાં જંગલોમાં જવાનું હશે કે સ્વિટ્ઝરર્લેન્ડ હશે ! હું તો કદી વિમાનમાં બેઠી નથી. જિંદગીમાં ક્યારેય જે જોયું નથી, માણ્યું નથી એવું બધું હવે મને મળશે. હર પળ મારા માટે તો ઉત્સવ જ હશે. હું ને મારો રાજેશ.&lt;br /&gt;&lt;span id="more-1534"&gt;&lt;/span&gt; &lt;/p&gt; &lt;p&gt;અર્ચના કોઈ સુરમ્ય એકાંત સ્થળે જવા અધીરી થઈ ઊઠી હતી. મનોમન તો એ કલ્પનાના પ્રદેશમાં પહોંચી ગઈ હતી. લગ્ન પછી એક દિવસ ગયો, બીજો દિવસ ઊગ્યો, પણ ક્યાંય જવાનાં કોઈ એંધાણ વરતાતાં નથી. હવે અર્ચનાની ધીરજ ખૂટી, તે બોલી ઊઠી : ‘આપણે ક્યારે ફરવા જવાનું છે ?’&lt;br /&gt;અર્ચનાના સમગ્ર અસ્તિત્વમાંથી નીકળેલો એ ગભરાઈ ગયો કે અર્ચનાને શી રીતે કહું કે હનીમૂન જેવો શબ્દ મારાં મા-બાપ પાસે ઉચ્ચારાય નહિ. અમારા કુટુંબમાં આજ સુધી કોઈ નવપરિણીત યુગલ એકલું ફરવા નીકળી પડ્યું નથી. એકલા બહાર જવું છે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં ય મર્યાદાભંગ લાગે. તેઓ હબકી જાય. અમારે ત્યાં મબલખ ધનસંપત્તિ છે. હવેલી જેવું વિશાળ રહેઠાણ છે. અદ્યતન ફર્નિચર છે. સગવડ સુવિધા છે. પણ હજી, અમારા કુટુંબનું માનસ તો અઢારમી સદીનું છે. મારા પપ્પાના દાદાના ય દાદા જે વિચારતા હતા એ જ મારા પપ્પા વિચારે છે. એ જ રીતરિવાજ ચાલ્યા આવે છે.&lt;/p&gt; &lt;p&gt;આ ઘરમાં પપ્પા કહે એ કાયદો. એમની ઈચ્છા સર્વોપરી ગણવાની. અહીં બીજા કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. ભલે હું ગ્રેજ્યુએટ થયો, લેટેસ્ટ ફેશનના કપડાં પહેરું, લેટેસ્ટ મોડલની કાર વાપરું, કાર હું જાતે ચલાવું પણ મારા જીવનના કોઈ નિર્ણય જાતે લેવાની મને સત્તા નથી. મારો દોર તો પપ્પાના હાથમાં છે. અરે અર્ચના, તને મેં જોઈ એ પહેલાં મારાં મમ્મી-પપ્પાએ તને જોઈ હતી. એમણે તને પસંદ કરી પછી જ તને હું જોઈ શક્યો હતો. એમણે મારું મન જાણવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો. એની એમને જરૂર જ લાગી ન હતી. એમને મારા માટે એક જીવનસાથી લાવવાની હોંશ ન હતી. એમને તો એમની હવેલીમાં શોભે એવી એક ઢીંગલી જોઈતી હતી. એમના કહ્યા મુજબ કરે એવી આજ્ઞાંકિત ઢીંગલી.&lt;/p&gt; &lt;p&gt;મારી મમ્મીને મારા પપ્પાએ નહીં પણ દાદા-દાદીએ પસંદ કરી હતી, એમ તને મારાં મમ્મી-પપ્પાએ પસંદ કરી. યુવાન દીકરાને હૈયે શું અરમાન છે એ જાણવાની એમણે કોશિશ જ નહોતી કરી. અર્ચના, તું માગે છે એવી જીવનશૈલી અમારે ત્યાં નથી. તારી કોમળ લાગણી કે મધુર અરમાન સમજે એવાં સંવેદનશીલ મારાં માવતર નથી, પણ આ વાત મારે કઈ રીતે સમજાવવી ?&lt;br /&gt;રાજેશે ખૂબ પ્રેમથી સ્નિગ્ધ કંઠે અર્ચનાને કહ્યું : ‘હાલને હાલ ફરવા શું જવાનું ? પછી ક્યારેક જઈશું.’ રાજેશના બોલવામાં કોઈ પ્રાણ ન હતો.&lt;br /&gt;‘ઓહ, મેં તો કેટકેટલાં સ્વપ્નાં સેવ્યાં હતાં ?’ અર્ચના રુદનભર્યા કંઠે બોલી. એ સાવ થીજી ગઈ. આસમાનમાં ઊડતી ભોંયે પટકાઈ ગઈ. રાજેશ સૂની આંખે જોઈ રહ્યો. પ્રિય પત્નીનું મન રાખી શકતો નથી એનું રાજેશને પારવાર દુ:ખ હતું, પણ જૂનવાણી માબાપને કંઈ પણ કહેવાની એનામાં હિંમત ન હતી. મા-બાપે સમાજમાં પોતાનો વટ પાડવા ભલે લાખો રૂપિયા ખર્ચીને લગ્નોત્સવ ઊજવ્યો પણ વહાલા દીકરાની ઈચ્છાની એ પરવા નહિ કરે એવું રાજેશ જાણતો હતો. અર્ચનાની ઈચ્છા એ જ રાજેશની ઈચ્છા હતી. એને પણ દૂર અજાણ્યા પ્રદેશમાં કુદરતના સાંનિધ્યમાં નવજીવનનું પરોઢ માણવું હતું. પત્નીનો પૂર્ણ પરિચય ત્યાં જ પામવો હતો, પરંતુ એને સમજે એવું ઘરમાં કોઈ ન હતું. અરે એ જો આવી મતલબનું કંઈ બોલે તો હાંસીને પાત્ર ઠરે. ઘરમાં ઉલ્કાપાત થઈ જાય.&lt;/p&gt; &lt;p&gt;અર્ચનાએ રાજેશનું ઊતરી ગયેલું મોં જોયું, એને રાજેશ માટે સમભાવ જાગ્યો પણ પોતાની અદમ્ય ઈચ્છા, તીવ્ર તલસાટ…. એનું શું ? જિંદગીમાં આ પ્રસંગ ફરી કદી આવવાનો છે ? ઉત્કટ અભિલાષાઓના ગળે સાવ ટૂંપો દઈ દેવાનો ? આ ઘડી માટે તો એણે કેટલાં સ્વપ્નાં જોયાં હતા. આવા લગ્નને શું કરવાનાં ? એને થયું, આધુનિક જમાનામાં મા-બાપ ઉદાર બનીને દીકરા-વહુને સમજવા પ્રયત્ન કરે છે, નવપરિણિત દંપતી વચ્ચે કોઈ સમસ્યા ન ઉદ્દભવે એવું વલણ લે છે તો આ ઘરમાં આવું કેમ ? એણે રાજેશને આજીજીના સૂરે કહ્યું : ‘તું મમ્મીપપ્પાને કહે ને ફકત ચાર દિવસ માટે નજીકમાં નજીકના કોઈ સ્થળે જઈને, મારે બહાર જવું છે.’&lt;br /&gt;રાજેશ બોલ્યો : ‘મમ્મી-પપ્પાને કહી શકાય એટલું બધું મેં કહ્યું. હવે વધારે કહેવું એટલે ઝઘડો કરવો. બોલ અર્ચના, જીવનના આરંભે તને કલેશ ગમશે ? આપણાં મધુર અરમાન ખાતર મા-બાપ સાથે કાયમનો કકળાટ વહોરવો છે ? તારા જેટલી જ મનેય ઈચ્છા છે પરંતુ પપ્પા સામે બોલ્યા પછી એનું પરિણામ શું આવે એ હું જાણું છું. એ આપણો જરાય વિચાર ના કરે.’&lt;/p&gt; &lt;p&gt;વાસ્તવિકતાની કઠોરતાએ અર્ચનાને લાચાર પાડી દીધી. એ સમજી ગઈ કે હવે આગ્રહ રાખીશ તો અમે પતિ-પત્ની કદાચ ઝઘડી પડીશું. ઝઘડીએ નહિ તોય મન ઊંચા થઈ જ જશે. રાજેશ મને ફરવા નથી લઈ જઈ શકતો એનું એને દુ:ખ છે, પણ અત્યારે એ મારો છે. સંપૂર્ણપણે મારો. અહીં અમારી વચ્ચે તાદાત્મ્ય સાધવાનું નિર્માણ થયું હશે. એનો આ અઢળક પ્રેમ અકબંધ રાખવો હોય તો મારે મારા સ્વપ્નાંને ભીતરમાં દાટી દઈને, આ પરિસ્થિતિને સ્વીકારવી જ રહી. રડવાથી કે ગુસ્સો કરવાથી કંઈ બદલાશે નહિ. અર્ચના સમજુ હતી. ઘડી પળ વર્તીને એ હૃદય મનને સંયમમાં રાખી શકી. આખી જિંદગીને અખિલાઈપૂર્વક નિહાળીને એણે ઘડી બે ઘડીની એ રંગભરી મસ્તીને બાજુ પર રાખી દીધી. એણે એક ઉચ્છવાસ સાથે મનની નિરાશા, ઉદાસી બહાર ફગાવી દીધી. અને એ બોલી : ‘ભૂલી જા એ આખી વાત. આપણા જીવનની તો હરેક ક્ષણ અનન્ય હશે. જિંદગીભર લગ્નોત્સવ ઊજવાશે.’&lt;/p&gt; &lt;p&gt;આજકાલ તો સામાન્ય નિમ્ન મધ્યમવર્ગના સંતાનોય હનીમૂન માટે જાય છે જ્યારે અહીં તો ધનદોલતની છોળો ઊડે છે તો ય અર્ચના-રાજેશને ફરવા જવા ન મળ્યું. મન મારવું પડ્યું. તેમ છતાં અર્ચનાએ રાજેશને ‘તું માવડિયો છે’ કહીને મહેણું ન માર્યું. કેટલી કુશળતા અને નાજુકાઈથી એણે આખી વાત સંભાળી લીધી ! પોતાનો આગ્રહ કેવો ચૂપચાપ છોડી દીધો ! પોતે ખાસ કંઈ છોડી રહી છે કે રાજેશ ઉપર ઉપકાર કરી રહી છે એવું શબ્દોથી શું હાવભાવથી ય ન દર્શાવ્યું.&lt;/p&gt; &lt;p&gt;વિદ્વાન માનસશાસ્ત્રી કહે છે : ‘જીવનસાથીમાં માફ કરવાની અને ભૂલી જવાની ક્ષમતા હોય, તો જીવનમાં ક્યારેય સમસ્યા ન ઉદ્દભવે.’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-5548558546914911312?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/5548558546914911312/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4521.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5548558546914911312'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/5548558546914911312'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_4521.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-8867235068101743080</id><published>2009-08-12T16:38:00.001-07:00</published><updated>2009-08-12T16:39:23.400-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h2&gt;&lt;a href="http://www.readgujarati.com/sahitya/?p=1988" rel="bookmark" title="Permanent Link: બાવળ ન બની જાય ! – અવંતિકા ગુણવંત"&gt;બાવળ ન બની જાય ! – અવંતિકા ગુણવંત&lt;/a&gt;&lt;/h2&gt;&lt;br /&gt;          &lt;p&gt;‘અમે તમારા દીકરા વિશે તમારા મોટાભાઈ ભાભીને પૂછ્યું તો એમણે કહ્યું અમારે એમની સાથે ખાસ સંબંધ નથી.’ એક સજ્જન જેમના ઘેર લગ્નયોગ્ય શિક્ષિત, સોહામણી દીકરી છે તેઓ ગગનભાઈને કહી રહ્યા છે. ગગનભાઈને એમના મોટાભાઈ સાથે જરાય અણબનાવ નથી. મન ઊંચા થાય એવી પરિસ્થિતિ એમણે કદી ઊભી થવા જ નથી દીધી. જીવનના આરંભે જ્યારે એમની ખાસ કમાણી ન હતી ત્યારે સઘળી મિલકત મોટાભાઈને સોંપીને તેમણે ઘર છોડી દીધું હતું. એમની પત્ની સૂર્યા પણ એમને અનુસરી હતી.&lt;/p&gt; &lt;p&gt;ગગનભાઈએ મિલકત પરથી હક ઉઠાવી લીધો હતો પણ છેક સુધી માબાપને એમણે જ સાચવ્યા હતા, કૌટુંબિક વ્યવહાર કરવામાં તેઓ પૈસા અને જાતથી ઘસાતા હતા, ચૂપચાપ પોતાની ફરજ બજાવતા હતા. તેમ છતાં મોટાભાઈએ પોતાના વિશે આવું કહ્યું તેથી ગગનભાઈ વ્યથિત થઈ ગયા. તેઓ જાણે છે કે ભાભી તો પોતાને સારા બતાવવા કાયમ ગગનભાઈ અને સૂર્યાને વગોવે છે, ના હોય ત્યાંથી ખોટી વાતો ઉપજાવી કાઢે છે. પણ ભાઈ ? ભાઈએ આવો અભિપ્રાય આપ્યો ? પચીસ વર્ષથી ઘર જુદાં છે પણ મન ? મનમાંય આટલો બધો વિરોધ ? આજ સુધી ગગનભાઈ મોટાભાઈની આમન્યા જાળવતા હતા પણ આજે એમને આઘાત લાગ્યો. સૂર્યાએ આ વાત જાણી, પણ પતિનું મુખ જોઈને એ ચૂપ રહી. પતિ સાથે આ સંદર્ભે જરાય ચર્ચા ન કરી.&lt;/p&gt; &lt;p&gt;ગગનભાઈ વિચારે છે, મોટાભાઈ મારાથી બાર વરસ મોટા, મિલકત બધી એમના હાથમાં સોંપી છે, સામાજિક વ્યવહાર પણ એ સંભાળે છે. હા, વ્યવહારમાં થતા ખરચાનો અડધો ભાગ યાદ કરીને લઈ લે છે, છતાં બહાર તો એમ જ કહે છે, મેં બધું કર્યું, એમનું આ જૂઠાણું મારા કાને આવે છે છતાં હું સાચી વાત શું છે એ કોઈને કહેતો નથી.&lt;br /&gt;મોટાભાઈના ઘેર પ્રસંગ હોય તોય અમને આવકાર નહીં, પછી હેત અને ઉમળકાની વાત જ ક્યાં કરવાની ? અરે, સૂર્યાને તો રીતસરની બાજુએ ધકેલે. કોઈ વિધિમાં સામેલ ના કરે. સૂર્યાને આ કારણે ઓછું આવી જતું. ક્યારેક બળાપો ય કરી લેતી કે મોટાભાઈ – ભાભી સારું વર્તન કરીને સારા દેખાવને બદલે આપણને ખરાબ ચીતરીને સારા દેખાવા પ્રયત્ન કરે છે. કોઈ આપણા સૌજન્ય અને શાલીનતાના વખાણ કરે તો કંઈ કેટલીય વાતો તેઓ ઉપજાવી કાઢે છે. ગગનભાઈ પત્નીને સમજાવતાં :&lt;br /&gt;&lt;span id="more-1988"&gt;&lt;/span&gt;&lt;br /&gt;‘એમની વાતો લક્ષમાં જ નહિ લેવાની.’&lt;br /&gt;‘હું ય માણસ છું, એમનું વર્તન રાતદિવસ મને કોતર્યા કરે છે. મને થાય છે, એ તમારા સગા મોટાભાઈ છે, તમારા બેઉની મા એક છે, બાપ એક છે તોય કેમ આવું ઓરમાયું વર્તન ? આપણે એમની પાસેથી કોઈ ચીજવસ્તુની આશા નથી રાખતા, મારી તો એક જ અપેક્ષા છે આપણા વિશે એ ખોટું ના બોલે. એટલી તો આશા હું રાખી શકું ને ?’&lt;br /&gt;‘આશા રાખ પણ આગ્રહ ના રાખ, નહિ તો તું દુ:ખી થઈશ.’&lt;br /&gt;‘દુ:ખી તો હું થાઉં છું જ, હું એ બધાને મારા ગણું છું, એમના માટે ઘસારો ય હોંશે હોંશે વેઠું પણ તેઓ તો આપણને એમના ગણતા જ નથી, એટલું જ નહિ પણ આપણને સતત વગોવ્યા કરે છે અને હું વડીલ તરીકે એમની આમન્યા જાળવીને કોઈના ય મોંએ એમની જૂઠી વાતનો રદિયો નથી આપી શકતી.’&lt;/p&gt; &lt;p&gt;‘સૂર્યા, તારો આ વિવેક મને ગમે છે, પણ તું જીવ શું કામ બાળે છે ? તું લાગણીમાં તણાઈશ નહિ, આપણું સ્વતંત્ર ઘર છે, આપણો દીકરો ભણેલો છે પછી તું ચિંતા શું કામ કરે છે ?’&lt;br /&gt;‘પણ એમની આંખમાં આપણા માટે અમી કેમ નથી ? એમનું આપણે કશુંય બગાડ્યું નથી છતાં આટલું ઝેર કેમ ?’&lt;br /&gt;‘તારી જેમ હું ય વલોવાતો જ હતો, પણ અત્યારે આ ક્ષણે મારા મનમાં એક ઝબકાર થયો છે એની વાત કરું, ભાઈ-ભાભી ભલેને આપણને પોતાનાં નથી ગણતાં, પણ ભગવાન તો આપણને એના ગણે છે ને ? એ આપણી કાળજી લે છે પછી આપણે શું કામ વલોપાત કરવાનો અને દુ:ખી થવાનું ? આમાં તો આપણો સ્વભાવ બગડી જાય. આપણને આવાં સગાં આપીને ઈશ્વર આપણને કહેવા માગતો હશે કે તું ખોટી મોહમાયામાં ફસાઈશ નહિ. એમના હેતપ્રેમની અપેક્ષા રાખવામાં તું તારી ચારેબાજુ અગણિત નાનામોટાં બંધનો ઊભા કરીને તારી જાતને એમની સાથે જોડવા પ્રયત્ન કરે છે એમાં તો તું વધારે એકાકીપણું ભોગવે છે.’&lt;/p&gt; &lt;p&gt;‘તું ખોટી ભ્રમણા અને મિથ્યા આદર્શોમાંથી બહાર આવ. એક વાર સ્વીકારી લે કે આપણાં સગાં પિત્તળ છે, એમની સાથે હૈયાનો મેળ નથી. વરસો સુધી એ પિત્તળ સોનામાં પલટાઈ જશે એ આશા રાખી, પણ હવે હકીકતનો સ્વીકાર કરી લે કે આપણા અને એમના સૂર નહિ મળે. નરસિંહ મહેતાના જેવો ભાવ અનુભવ કે આ જંજાળમાંથી મુક્ત થવામાં ભલું જ છે, હવે મનગમતી પ્રવૃત્તિમાં મસ્ત બનીને સંપૂર્ણ આનંદસભર જિંદગી જીવીશું. હા, આપણી સરળતા અને સ્નેહભર્યો ઉદાર સ્વભાવ અકબંધ જાળવીશું. પણ મોટાભાઈ-ભાભીનો વિચાર કરીને કલેશ નહિ પામીએ, ઉદાસ નહિ થઈએ, એમના વ્યવહારથી કલુષિત થયેલા સંબંધથી આપણી જાતને મુક્ત રાખીશું, તો જ આપણું જીવન રળિયામણું બનશે. ગુલછડીનો મોહ રાખવામાં જોજે તું બાવળ ન બની જાય…’&lt;/p&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2533492869937373095-8867235068101743080?l=avantikagunvant.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://avantikagunvant.blogspot.com/feeds/8867235068101743080/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_6053.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8867235068101743080'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2533492869937373095/posts/default/8867235068101743080'/><link rel='alternate' type='text/html' href='http://avantikagunvant.blogspot.com/2009/08/blog-post_6053.html' title=''/><author><name>Avantika Gunvant</name><uri>http://www.blogger.com/profile/17311090067245034755</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='20' height='32' src='http://4.bp.blogspot.com/_ict53JsOxhA/SoNQ0hOos7I/AAAAAAAAAAM/T2BDEwb7NeI/S220/mehta4a.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2533492869937373095.post-714097171697805736</id><published>2009-08-12T16:35:00.000-07:00</published><updated>2009-08-12T16:36:20.551-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;h2&gt;&lt;a href="http://www.readgujarati.com/sahitya/?p=1722" rel="bookmark" title="Permanent Link: પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત"&gt;પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત&lt;/a&gt;&lt;/h2&gt;કુમુદે પ્રવીણ સાથે લગ્ન કર્યાં હતાં પણ કોને ખબર કેમ પ્રવીણ એને ગમતો નહોતો. કદાચ એ પોતાની જાતને પ્રવીણ કરતાં ખૂબ ચડિયાતી માનતી હતી. પ્રવીણને જોઈને એ હરખાતી નહીં. એની સામે જોઈને હસતી નહીં. એની સાથે હોંશથી વાત કરતી નહીં. જાણે એને વરની જરૂર જ નથી. વર એના જીવનમાં વણનોતર્યો આવી ચડ્યો છે. એ પોતાનામાં મસ્ત રહેતી. &lt;p&gt;પત્નીનું અતડાપણું પ્રવીણને બેચેન બનાવી મૂકતું. પત્નીનું દિલ જીતવા એ જાતજાતની ભેટ લઈ આવતો પણ કુમુદ ભેટ પર એક નજરે નાખ્યા વગર બાજુ પર મૂકી દેતી. ધડકતા હૈયે અચકાતાં અચકાતાં પ્રવીણ કહેતો, ‘ખોલીને જો તો ખરી, અંદર શું છે ?’&lt;br /&gt;‘મારે જોઈતી ચીજ હું મારી મેળે ખરીદી શકું છું.’ ભાવહીન સૂરે કુમુદ બોલતી.&lt;br /&gt;‘આ ચીજ માત્ર તારે ખપમાં આવે એટલે નથી આપી, આ તો પ્રેમના પ્રતીક તરીકે હું આપું છું.’ પ્રવીણ કહેતો.&lt;br /&gt;‘તો એ હું તમને સાભાર પરત કરું છું.’ લાગણીહીન, નિર્જીવ સૂરે કુમુદ કહેતી.&lt;br /&gt;‘માત્ર આભાર જ ? સાથે પ્રેમ નહીં ?’ સંવાદ લંબાવતાં આતુર પ્રવીણ સ્નિગ્ધ કંઠે પૂછતો. એ કોઈ પણ રીતે નવોઢા પત્નીનું દિલ જીતવા માગતો હતો. કુમુદે કરેલી અવગણના લક્ષમાં ન લેતો.&lt;br /&gt;‘આભાર તો વિવેક ખાતર કહેવું પડે એટલે કહ્યું, પરંતુ એનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો.’ ધડ કરતું કુમુદે કહ્યું. જાણે પ્રવીણ સાથે એને કોઈ સંબંધ જ નથી.&lt;/p&gt; &lt;p&gt;લગ્ન પહેલાં પ્રવીણ કુમુદના રૂપ પર મુગ્ધ થયેલો હતો, પણ ઓ રે ! આવા સુંદર મુખમાં આવી કડવી વાણી ? આઘાત પામીને પ્રવીણ જતો રહ્યો. થોડા દિવસ પછી પ્રવીણને શુંય ઉમળકો આવ્યો કે કુમુદને પૂછ્યું :&lt;br /&gt;‘આપણે પિકનિક પર જઈશું ? મારો મિત્ર ભાવેશ ને રૂમાભાભી પણ આવશે.’&lt;br /&gt;‘નિશાળનાં છોકરાં પિકનિક પર જાય, આવડા મોટા ઢગા નહીં.’&lt;br /&gt;‘તું કહેતી હોય તો આબુ જવાનું ગોઠવીએ.’ પ્રવીણ કુમુદને ખુશ કરવા તત્પર હતો.&lt;br /&gt;‘મિત્રોનો સંઘ લઈને આબુ જવાનું ?’ કુમુદે પૂછ્યું.&lt;br /&gt;‘ના રે, આપણે બે એકલાં જઈશું. બોલ, આવતા અઠવાડિયે જઈશું ?’ ઉત્સાહથી પ્રવીણે પૂછ્યું.&lt;br /&gt;‘ના, આવતા વીકમાં તો મારી ફ્રેન્ડની બર્થ ડે છે.’&lt;br /&gt;‘તો તું કહે, ક્યારે જઈશું ?’ આટલી વાતચીતથી પ્રવીણમાં આશાનો સંચાર થયો હતો.&lt;br /&gt;‘આબુ ગયેલાં જ છીએ ને !’ બગાસાં ખાતાં કુમુદ બોલી, ‘હું તો આબુ છપ્પન વાર જઈ આવી છું.’ કુમુદનાં એ વેણમાં જાણે ચાબખાનો માર હતો. પ્રવીણ સ્વમાની હતો. એક જ ઝાટકે એણે એનું મન કુમુદ તરફથી વાળી લીધું. પહેલાં એ કુંવારો હતો ને જે રીતે એ જીવતો હતો એ રીતે એણે જીવવા માંડ્યું. પુસ્તકોની દુનિયામાં પોતાને ખૂંપાડી દીધો. હવે એ કુમુદ સામે જોતો જ નથી. જો કે કુમુદને ય એની પરવા નથી. એના તાનમાં એ મસ્ત છે.&lt;br /&gt;&lt;span id="more-1722"&gt;&lt;/span&gt;&lt;br /&gt;પ્રવીણ એકલો પડી રહે એમાં જાણે એને ખુશી થાય છે. પરંતુ પ્રવીણના કપાળે એકલતાનો અભિશાપ નહીં લખાયો હોય તે એને એક દિવસ લાઈબ્રેરીમાં વિનિતાનો પરિચય થયો. વિનિતા પરિણીત છે. એનો પતિ વકીલ છે. એ આ
